Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

Deepinder Goyal: ઝોમેટા સ્થાપક દીપિન્દર ગોયલનું CEO પદેથી રાજીનામું, હવે કોણ સંભાળશે Eternal ની જવાબદારી

Deepinder Goyal Resigns As Eternal CEO : ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રૂપ સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. ઇટરનલ લિમિટેડની લીડરશીપમાં મોટા ફેરફારના ભાગરૂપે આ જાહેરાત કરી છે.

Written byAjay Saroya

Deepinder Goyal Resigns As Eternal CEO : ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રૂપ સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. ઇટરનલ લિમિટેડની લીડરશીપમાં મોટા ફેરફારના ભાગરૂપે આ જાહેરાત કરી છે.

author-image
Ajay Saroya
21 Jan 2026 18:04 IST

Follow Us

New Update
deepinder goyal | zomato | eternal

Deepinder Goyal : દીપિન્દર ગોયલ ઝોમેટો કંપનીના સ્થાપક છે. Photograph: (Deepinder Goyal Instagram)

Deepinder Goyal Resigns As Zomato CEO : ઝોમેટો એટલે કે ઇટરનલ કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થયા છે. ઓનલાઇન ફુડ ડિલિવરી ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની ઇટરનલના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. શેરહોલ્ડરોની મંજૂરી મળ્યા બાદ દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું છે. આ સાથે અલ્બિંદર ઢીંડસાની તત્કાળ અસરથી ઇનરનલના નવા ગ્રુપ સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Advertisment

ઈટરનલ કંપનીએ સ્ટોક એક્સચેન્જને કરવામાં આવેલી ફાઇલિંગમાં ત્રિમાસિક પરિણામો અને ગ્રુપ સીઇઓના પદ પરથી દીપિન્દર ગોયલના રાજીનામા વિશે જાણકારી માહિતી આપી હતી.

ગોયલે શેરહોલ્ડરોને પત્ર લખીને આ વાત કહી છે

એક પત્રમાં દીપિન્દર ગોયલે કહ્યું કે, તાજેતરમાં જ હું કેટલાક નવા વિચારો તરફ આકર્ષિત થયો છું, જેમાં હાઇ રિસ્ક રિસર્ચ અને પ્રયોગનો સમાવેશ થાય છે. આ એવા વિચારો છે કે ઇટરનલ જેવી જાહેર કંપનીની બહાર પ્રયાસ કરવો વધુ સારું રહેશે.

અલ્બિંદર ઢીંડસા ઓપરેશન સંબંધિત નિર્ણયો લેશે

દીપિન્દર ગોયલે કહ્યું કે, હવે કંપનીના કામકાજ સંબંધિત નિર્ણયો અલ્બિંદર ઢીંડસા દ્વારા લેવામાં આવશે. તેમણે કહ્યું કે ગ્રુપ સીઈઓ તરીકે, તેઓ રોજિંદા કામગીરી, ઓપરેશનલ પ્રાથમિકતાઓ અને વ્યવસાયિક નિર્ણયો માટે જવાબદાર રહેશે.

Advertisment

તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમણે બ્લિંકિટના સંપાદનથી બ્રેકઇવન સુધીની સફર સંભાળી હતી અને તે ગ્રુપ સીઇઓ તરીકે "ઇટરનલનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ સક્ષમ" છે. આ ફેરફાર હેઠળ, ગોયલના તમામ અનઇન્વેસ્ટ્ડ સ્ટોક ઓપ્શન એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન (ઇએસઓપી) પૂલમાં પાછા જશે.

An important update on leadership changes at Eternal. pic.twitter.com/CALn2QQFWE

— Deepinder Goyal (@deepigoyal) January 21, 2026

ઇટરનલ Q3 પરિણામો FY26

ઇટરનલ કંપનીએ બુધવારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 72.8 ટકા વધીને 102 કરોડ રૂપિયા થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 59 કરોડ રૂપિયા હતો. કંપનીની ઓપરેશનલ કોન્સોલિડેટેડ આવક રૂ.16,315 કરોડ રહી છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.5,657 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 188.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

ઇટરનલ શેર ભાવ

બીએસઈ પર બુધવારે ઇટરનલનો શેર 4.98 ટકા વધીને 283.40 રૂપિયા બંધ થયો હતો. કંપનીનો શેર પાછલા બંધ 269.95 રૂપિયાની સામે આજે 268.60 રૂપિયા ખુલ્યો હતો. આ ઇન્ટ્રા ડે શેર નીચામાં 268 રૂપિયા અને ઉંચામાં 287 રૂપિયા બોલાયો હતો. કંપનીની માર્કેટકેપ 2,73,490 કરોડ રૂપિયા હતી.

બિઝનેસ શેર બજાર
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!