/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/EPFO-6.jpg)
EPFO : ઇપીએફઓ Photograph: (Social Media)
EPFO News: ઇપીએફઓ સભ્યો માટે એક ખુશખબર છે. લાંબા સમયથી નિષ્ક્રિય નાના ઇપીએફ ખાતા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે પીએફ એકાઉન્ટમાં રકમ જમા છે અને ત્રણ વર્ષની કોઇ લેવડદેવડ થઇ નથી, તેની રકમ હવે પીએફ સભ્યના લિંક બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આવા છ લાખ થી વધુ નિષ્ક્રિય પીએફ ખાતા અલગ વર્ગીકૃત કર્યા છે અને પૈસા રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.
સૌથી સારી વાત એ છે કે, પીએફ ખાતાધારકોએ આ પૈસા પરત મેળવવા માટે કોઇ અરજી, દસ્તાવેજ જમા કરવાની જરૂર પડશે નહીં. મંત્રાલયના મતાનુસાર, આ રકમ સીધી આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટિક થશે.
માત્ર આવા PF ખાતાધારકોને લાભ મળશે
જો કે આ સુવિધાનો લાભ માત્ર એવા પીએફ ખાતાધારકોને મળશે જેમના ઇપીએફ એકાઉન્ટમાં 1000 રૂપિયા સુધીની રકમ જમા છે. જે પીએફ એકાઉન્ટમાં તેનાથી વધારે રકમ જમા છે, તેમને આ પહેલ હેઠળ ઓટોમેટિક રિફંડ મળશે નહીં.
EPF ખાતું ક્યારે નિષ્ક્રિય ગણાય છે?
ઇપીએફ ખાતું નિષ્ક્રિય ત્યારે થાય છે જ્યારે સતત ત્રણ વર્ષ સુધી તેમાં કોઇ યોગદાન જમા ન થયું હોય અથવા કોઇ લેવડદેવડ કરવામાં આવી ન હોય. અલબત્ત પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થયા બાદ પણ તેમા જમા રકમ પર નિર્ધારત વ્યાજ જમા થતું રહે છે.
પીએફ ખાતાધારક પોતાના ઇપીએફ ખાતાનું સ્ટેટ્સ ઓનલાઇન જાણી શકે છે. તેની માટે ઇપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર જઇ UNA અને પાસવર્ડ થી લોગિન કરો અને વ્યૂ પાસબુકમાં પીએફ યોગદાનની જાણકારી જોવા મળશે. UMANG એપ મારફતે પણ પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us