ગૌતમ અદાણી સહિત આ ત્રણ ભારતીય એશિયાના સૌથી મોટા દાનવીર, લિસ્ટમાં બીજા સ્થાન પર શિવ નાડર

Forbes Asia Heroes of Philanthropy: ફોર્બ્સની પોરપકારની યાદી મંગળાવર (6 ડિસેમ્બર 2022)ના રજૂ થઈ હતી. આ યાદીમાં એવા દાનવીરોના નામ સામે છે. જેમણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં પરોપકારી કારણો માટે એક મજબૂત વ્યક્તિગત પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું છે.

Forbes Asia Heroes of Philanthropy: ફોર્બ્સની પોરપકારની યાદી મંગળાવર (6 ડિસેમ્બર 2022)ના રજૂ થઈ હતી. આ યાદીમાં એવા દાનવીરોના નામ સામે છે. જેમણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં પરોપકારી કારણો માટે એક મજબૂત વ્યક્તિગત પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

ગૌતમ અદાણી ફાઇલ તસવીર

Forbes Asia Heroes of Philanthropy: ભારતીય અરબપતિ, શિવ નાડર અને અશોક સૂતા ફોર્બ્સની યાદી અનુસાર એશિયાના સૌથી મોટા દાનવીર છે. આ લિસ્ટમાં મલેશિયાઈ-ભારતીય વ્યવસાયી બ્રહ્મલ વાસુદેવન અને તેમના પત્ની શાંતિ કંડિયાનું નામ પણ સામેલ છે. ફોર્બ્સની પોરપકારની યાદી મંગળાવર (6 ડિસેમ્બર 2022)ના રજૂ થઈ હતી. આ યાદીમાં એવા દાનવીરોના નામ સામે છે. જેમણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં પરોપકારી કારણો માટે એક મજબૂત વ્યક્તિગત પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું છે.

Advertisment
ગૌતમ અદાણીએ 60 હજાર કરોડ રૂપિયા દાન કર્યા

ગૌતમ અદાણીએ આ વર્ષમાં 60 વર્ષના થયા છે અને આ અવરસર પર તેમણે 60,000 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરા કરી છે. ફોર્બ્સની પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે આ કારણે ગૌતમ અદાણીને ભારતના સૌથી ઉદાર પરોપકારી લોકોની યાદીમાં રાખવામાં આવ્યા છે. અદાણીએ આ પૈસા સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને કૌશલ વિકાસ માટે દાન કર્યા અને પરિવાર દ્વારા સંચાલિત અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી ખર્ચ કરવામાં આવશે. જેને 1996માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે અદાણી ફાઉન્ડેશન આખા ભારતમાં 3.7 મિલિયન લોકોની મદદ કરે છે.

શિવ નાદર બીજા નંબર પર

અરબપતિ શિવ નાદર પણ ભારતના મુખ્ય દાતાઓ પૈકી એક છે. જેમણે છેલ્લા કેટલાક દશકોમાં પોતાની સંપત્તિના આશરે 1 બિલિયન અમેરિકી ડોલર શિવ નાદર ફાઉન્ડેશનના માધ્યમથી વિવિધ સામાજિક કાર્યોમાં લગાવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં શિવ નાડરે 1161 કરોડ રૂપિયા દાન કર્યા છે. આ હિસાબથી માનીએ તો તેમણે પ્રતિદિન ત્રણ કરોડ રૂપિયા દાન કર્યા છે.

આ વર્ષે તેમણે રૂ. 11,600 કરોડ (US$142 મિલિયન)નું દાન આપ્યું હતું, જેનો હેતુ શિક્ષણ દ્વારા વ્યક્તિઓને સશક્તિકરણ કરીને સમાન, યોગ્યતા આધારિત સમાજ બનાવવાનો હતો. તેણે આ રકમ 1994માં સ્થાપિત શિવ નાદર ફાઉન્ડેશનને આપી હતી. HCL ટેક્નોલોજીના સહ-સ્થાપક શિવ નાદારે ફાઉન્ડેશન દ્વારા શાળાઓ અને યુનિવર્સિટીઓ જેવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં મદદ કરી છે, જે કલા અને સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપે છે. તેમણે 2021માં IT સર્વિસ કંપનીમાં એક્ઝિક્યુટિવ ભૂમિકાઓમાંથી રાજીનામું આપ્યું હતું.

Advertisment
ત્રીજા નંબરે ટેક ટાયકૂન અશોક સૂતા

ટેક ટાયકૂન અશોક સૂતાએ વૃદ્ધત્વ અને ન્યુરોલોજીકલ રોગોના અભ્યાસ માટે એપ્રિલ 2021માં સ્થપાયેલા મેડિકલ રિસર્ચ ટ્રસ્ટને રૂ. 600 કરોડ (USD 75 મિલિયન) આપવાનું વચન આપ્યું છે. તેમણે રૂ. 200 કરોડથી SKAN-વૃદ્ધત્વ અને ન્યુરોલોજીકલ બીમારીઓ માટે વૈજ્ઞાનિક જ્ઞાનની શરૂઆત કરી જે હવે ત્રણ ગણી થઈ ગઈ છે.

આ યાદીમાં મલેશિયન-ભારતીય બિઝનેસમેનનો પણ સમાવેશ થાય છે

મલેશિયન-ભારતીય ઉદ્યોગપતિ બ્રહ્મલ વાસુદેવન, પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ક્રેડરના સ્થાપક અને સીઇઓ અને તેમની પત્ની શાંતિ કાંડિયા ક્રેડર ફાઉન્ડેશન દ્વારા મલેશિયા અને ભારતમાં સ્થાનિક સમુદાયોને મદદ કરે છે. તેણે તેની સ્થાપના 2018 માં કરી હતી. આ વર્ષે મે મહિનામાં, તેમણે પેરાક રાજ્યમાં યુનિવર્સિટી ટુંકુ અબ્દુલ રહેમાન (UTAR) કેમ્પર કેમ્પસમાં શિક્ષણ હોસ્પિટલ બનાવવામાં મદદ કરવા માટે 50 મિલિયન મલેશિયન રિંગિટ (US$11 મિલિયન) દાનની જાહેરાત કરી.

gautam adani