/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Adani-Group.jpg)
ગૌતમ અદાણીના માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express photo by Nirmal Harindran)
Gautam Adani Family Investment 9350 Crore In Adnai Green Energy: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના પરિવારે જૂથની ગ્રીન એનર્જી કંપની - અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં રૂ. 9,350 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. આ માટે, કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 1,480.75ના ભાવે પ્રમોટરોને રૂ. 9,350 કરોડના પ્રેફરન્શિયલ વોરંટ જારી કરવાની મંજૂરી આપી છે. આ રકમનો ઉપયોગ 2030 સુધીમાં કંપનીની વીજ ઉત્પાદન ક્ષમતાને 45 GW સુધી વધારવા માટે કરવામાં આવશે. આ સમાચાર બાદ અદાણી ગ્રી કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો.
અગાઉ કર્યા છે 19.8 ગીગાવોટના PPA (Adnai Green Energy Projects)
અદાણી ગ્રૂપે સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં રૂ. 9,350 કરોડના રોકાણનો ઉપયોગ મૂડી ખર્ચને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. અદાણી ગ્રૂપના ગ્રીન એનર્જી યુનિટમાં 20.6 ગીગાવોટ પાવર જનરેટ કરવાની ક્ષમતા છે, જેમાંથી 19.8 ગીગાવોટ પાવર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની 800 મેગાવોટ પાવર ખરીદી માટે ઉપલબ્ધ થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gautam-Adani-Group-Companies-Share.jpg)
આ ઉપરાંત, કંપની પાસે સંશાધનથી સમૃદ્ધ વિસ્તારોમાં 2 લાખ એકરથી વધુ જમીન ઉપલબ્ધ છે, જે 40 GW કરતાં વધુ વીજળીની વધારાની ઉત્પાદન ક્ષમતાની સમકક્ષ છે. અદાણી ગ્રીન એનર્જીએ વર્ષ 2030 સુધીમાં 45 ગીગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
18 જાન્યુઆરી, 2024ની એજીએમમાં પ્રસ્તાવ રજૂ કરાશે (Adnai Green Energy AGM)
કંપનીએ કહ્યું છે કે તેના પ્રસ્તાવિત પ્રેફરન્શિયલ વોરંટ ઇશ્યૂ માટે તમામ નિયમનકારી અને કાયદાકીય મંજૂરીઓ લેવાની બાકી છે. આ દરખાસ્ત 18 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારી કંપનીની અસાધારણ સામાન્ય સભા (EGM)માં શેરધારકોની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. અગાઉ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ગુજરાતના ખાવડામાં તેના 2167 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટે 8 મોટી આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી 1.36 અબજ ડોલરના લોનની મંજૂરીની પણ ઘોષણા કરી છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ દેશનો સૌથી મોટો સોલાર પાર્ક હશે.
પ્રમોટર કંપનીના લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ : AGEL
આ ઉપરાંત AGEL એ 1.425 અબજ ડોલરની ઇક્વિટી મૂડી એકત્ર કરવાની પણ જાહેરાત કરી હતી, જેમાં પ્રમોટરોને પ્રેફરન્શિયલ શેર આપીને 1.125 અબજ ડોલર એકત્ર કરવાના હતા, જ્યારે ટોટલ એનર્જીસ જેવી (TotalEnergies JV) પાસેથી 30 કરોડ ડોલરનું ભંડોળ મેળવવાની હતી. આ તમામ સાથે અદાણી ગ્રીન એનર્જીએ 3 અબજ ડોલરથી વધુ મૂડી એકત્ર કરવાની જાહેરાત કરી છે. સ્ટોક એક્સચેન્જોને જણાવેલી માહિતીમાં કંપનીએ કહ્યું છે કે, તેની યોજનાઓ દર્શાવે છે કે માત્ર AGENના પ્રમોટર્સ જ કંપનીના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ નથી, પરંતુ તેના લાંબા ગાળાના રોકાણકારો, વ્યૂહાત્મક ભાગીદારો, નાણાકીય સંસ્થાઓ અને બેંકો પણ ઊંડો રસ ધરાવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/adani.jpg)
કંપનીના લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ પ્રમોટર: AGEL
આ ઉપરાંત, AGEL એ $1.425 બિલિયનની ઇક્વિટી મૂડી એકત્ર કરવાની પણ જાહેરાત કરી હતી, જેમાં પ્રમોટરોને પ્રેફરન્શિયલ શેર આપીને $1.125 બિલિયન એકત્ર કરવાના હતા, જ્યારે ટોટલ એનર્જીસ JV પાસેથી 30 કરોડ ડોલરની રકમ મેળવવાની હતી. આ બધા સહિત, અદાણી ગ્રીન એનર્જીએ $3 બિલિયનથી વધુ મૂડી એકત્ર કરવાની જાહેરાત કરી છે. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલા સંદેશાવ્યવહારમાં, કંપનીએ કહ્યું છે કે તેની યોજનાઓ દર્શાવે છે કે માત્ર AGENના પ્રમોટર્સ જ કંપનીના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ નથી, પરંતુ તેના લાંબા ગાળાના રોકાણકારો, વ્યૂહાત્મક ભાગીદારો, નાણાકીય સંસ્થાઓ અને બેંકો પણ ઊંડો રસ ધરાવે છે.
અદાણી ગ્રીન એનર્જીનો શેર તળિયેથી 264 ટકા ઉછળ્યો (Adnai Green Energy Stock Price Jumps)
અદાણી ગ્રીન એનર્જીના શેરમાં વર્ષના તળિયેથી 264 ટકાનો ઉછાળો નોંધાયો છે. આજે અદાણી ગ્રીન એનર્જીનો શેર 1600 રૂપિયાના ભાવે બંધ થયો હતો. જ્યારે 28 ફેબ્રુઆરી, 2023ના રોજ આ કંપનીના શેરમાં 438 રૂપિયાનો વર્ષનો સૌથી નીચો ભાવ બોલાયો હતો. આમ વર્ષની નીચી સપાટીથી અદાણી ગ્રીન એનર્જીના શેર ભાવ 264 ટકા રિકવર થયા છે.
આ પણ વાંચો | ભારતના ટોપ- 10 ધનાઢ્યોમાં 5 ગુજરાતી, જાણો દેશના અબજોપતિના નામ અને કેટલી સંપત્તિના માલિક છે
અલબત્ત, અદાણી ગ્રીન એનર્જીનો શેર વર્ષની ઉંચી સપાટીથી હજી પણ 26 ટકા નીચે છે.નોંધનિય છે કે, 18 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રીન એનર્જીનો શેર 2185 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે ત્યારપબાદ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં 85 ટકા સુધીનું ધોવાણ થયુ હતુ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us