NPS Tier-2 Account : એનપીએસ ટિયર-2 ખાતું કેવી રીતે ખોલવું, જાણો તેના ફાયદા શું છે?

NPS Tier-2 account : આ એક નેશનલ પેન્શન સ્કીમ (national pension scheme) અથવા NPS ટિયર-2 સ્કીમ છે. NPS ટિયર-2 ખાતું કેવી રીતે ખોલવું, NPS ટિયર-2 એકાઉન્ટની વિશેષતાઓ, કયા દસ્તાવેજોની જરૂર છે, ટિયર-2 ખાતામાં કેટલું રોકાણ કરવું વગેરે વગેરે માહિતી જાણો

Written by Haresh Suthar
September 22, 2022 16:10 IST
NPS Tier-2 Account : એનપીએસ ટિયર-2 ખાતું કેવી રીતે ખોલવું, જાણો તેના ફાયદા શું છે?
નેશનલ પેન્શન સ્કીમ

NPS Tier-2 Account : કેન્દ્ર સરકારે લોકો માટે નેશનલ પેન્શન સ્કીમ અથવા NPS ટિયર-2 સ્કીમ શરૂ કરી છે. આ હેઠળ, ગ્રાહકો ખાતું ખોલાવીને ઓછા રોકાણ પર સારું ભંડોળ જમા કરાવી શકે છે અને વધુ નફો પણ કમાઈ શકે છે. તે નિયમિત બેંક ખાતા હેઠળ કામ કરે છે અને ત્યાં કોઈ ફરજિયાત ઉપાડ નિયમ અથવા નિશ્ચિત વ્યાજ દર નથી.

NPS ટિયર-2 ખાતું કેવી રીતે ખોલવું

તમે NPS એકાઉન્ટ ઓનલાઈન પણ ખોલી શકો છો, જેના માટે તમારે eNPSની વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. અહીં જઈને, તમે ‘Tier-II એક્ટિવેશન’ વિકલ્પ પર ક્લિક કરો અને આગલા પેજ પર વિગતો દાખલ કરો. તમારે તેની ચકાસણી પણ કરવી પડશે. બીજી તરફ, જો તમે ટાયર-2 એકાઉન્ટ ઑફલાઇન ખોલો છો, તો તમારે ‘સબ્સ્ક્રાઇબર્સ પીઓપી-એસપી’નો ઉપયોગ કરવો પડશે. તે પછી ફોર્મ ડાઉનલોડ કરો અને બેંકની વિગતો સાથે તમામ વિગતો ભરીને સબમિટ કરો.

NPS ટિયર-2 એકાઉન્ટની વિશેષતાઓ

NPS ટિયર-2 એકાઉન્ટ ધારક કોઈપણ NPS રોકાણ વિકલ્પ પસંદ કરવા માટે મુક્ત છે. આ સાથે, તેઓ તેમના એકાઉન્ટને એક રોકાણ વિકલ્પમાંથી બીજામાં પણ શિફ્ટ કરી શકે છે. NPS ટિયર-2 ખાતામાં જમા રકમ ઉપાડવા પર કોઈ પ્રતિબંધ નથી. તમે તમારા જોખમ અનુસાર પસંદ કરી શકો છો.

અજિત કુમાર, CSO, KFintechએ જણાવ્યું હતું કે, “NPS ટાયર-II એકાઉન્ટ ઓછી કિંમત તેમજ સરળ ઍક્સેસ વિકલ્પ પ્રદાન કરે છે. આ સાથે, તે એક વ્યાવસાયિક રોકાણ વિકલ્પ પણ પ્રદાન કરે છે. કોઈપણ વ્યક્તિ તેમાં વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક પૈસા જમા કરાવી શકે છે. આ સાથે, તે તેના રોકાણની રકમ વધારી અને ઘટાડી પણ શકે છે.

કયા દસ્તાવેજોની જરૂર છે

રોકાણકારોને NPS Tier-II ખાતું ખોલવા માટે માત્ર PRAN કાર્ડની જરૂર હોય છે, કારણ કે ગ્રાહકે NPS Tier-I ખાતું ખોલાવતી વખતે પહેલાથી જ તમામ દસ્તાવેજો સબમિટ કરેલા હોય છે. જો કે, ખાતું ખોલાવતી વખતે, સબસ્ક્રાઇબરે રજિસ્ટ્રેશન ફોર્મ, ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો અને ઉંમરનો પુરાવો આપવો પડશે.

ટિયર-2 ખાતામાં કેટલું રોકાણ કરવું

NPS ટિયર-II એકાઉન્ટ હેઠળ 1000 રૂપિયાની લઘુત્તમ રોકાણ મર્યાદા અને મહત્તમ રકમ મર્યાદા કોઈ નથી. તમે ઈચ્છો તેટલા પૈસા રોકાણ કરી શકો છો.

NPS ટિયર-2 ખાતામાં ટેક્સ સેવિંગ

NPS ટિયર-I એકાઉન્ટથી વિપરીત, NPS ટિયર-II એકાઉન્ટ કર મુક્તિ ઓફર કરતું નથી કારણ કે ભંડોળ ચોક્કસ સમયગાળા માટે લૉક થતું નથી. અજિત કુમારે કહ્યું કે “જો કે, તમે નાણાકીય વર્ષ 2020-21માં લોક-ઇન પીરિયડ ધરાવતા NPS ટિયર-2 એકાઉન્ટ્સ પર ટેક્સ ક્લેમ કરી શકો છો.

ઉપાડનો નિયમ શું છે

અજિત કુમારે માહિતી આપી હતી કે NPS ટિયર-2 ખાતામાંથી તમારું ભંડોળ ઉપાડવા માટે, તમારે જરૂરી વિગતો ભરવાની અને સંબંધિત દસ્તાવેજો સાથે ઉપાડ માટે UOS-S12 ફોર્મ સબમિટ કરવાની જરૂર છે. સબ્સ્ક્રાઇબરના ખાતામાં વધુમાં વધુ 3 કામકાજના દિવસોમાં ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. સબસ્ક્રાઇબર કોઈપણ પેનલ્ટી ફી વિના પૈસા ઉપાડી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ