Tax Saving Tips: ટેક્સ કેવી રીતે બચાવવો? રોકાણનો પુરાવો સબમિટ કરતા પહેલા કર મુક્તિના આ વિકલ્પો વિશે વિચારો

Investment Proof Submission: જો તમે તમારા રોકાણનો પુરાવો સબમિટ કરવા જઈ રહ્યા છો, તો પહેલા અહીં આપેલી માહિતીને ધ્યાનથી વાંચો. શક્ય છે કે તમે છેલ્લી ક્ષણે પણ થોડો વધુ ટેક્સ બચાવી શકો.

Written by Ajay Saroya
January 03, 2024 08:15 IST
Tax Saving Tips: ટેક્સ કેવી રીતે બચાવવો? રોકાણનો પુરાવો સબમિટ કરતા પહેલા કર મુક્તિના આ વિકલ્પો વિશે વિચારો
કરદાતા વિવિધ કર મુક્તિ અને કર કપાતનો લાભ લઇ મહત્તમ ટેક્સ સેવિંગ કરી શકે છે. (Photo - Freepik)

How to Save More Tax Before Submitting Investment Proof: શું તમારે આગામી થોડા દિવસોમાં તમારી ઑફિસમાં રોકાણનો પુરાવો પણ સબમિટ કરવો પડશે? જો બધા દસ્તાવેજો એકઠા કર્યા પછી, તમને ખબર પડે કે આ વખતે તમારા રોકાણમાં કોઈ ખામી રહી ગઇ છે, જેના કારણે વધુ ટેક્સ કાપવાની સંભાવના છે, તો તમે શું કરશો? જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે, તો રોકાણનો પુરાવો સબમિટ કરતા પહેલા અહીં જણાવેલ બાબતોને ધ્યાનથી વાંચો. શક્ય છે કે તમારી પાસે હજુ પણ આવકવેરા નિયમો હેઠળ થોડો ટેક્સ બચાવવાની તક હોય.

કલમ 80C હેઠળ રોકાણ (Section 80C Of Income Tax Act)

આવકવેરા અધિનિયમની કલમ 80C આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોમાં આવકવેરો બચાવવા માટેનો સૌથી લોકપ્રિય માર્ગ છે. આ વિભાગ હેઠળ, તમે PPF, EPF, જીવન વીમા પ્રીમિયમ, ટેક્સ સેવિંગ બેંક એફડી સહિત ઘણા પ્રકારના રોકાણો પર ટેક્સ બચાવી શકો છો. આ કલમ હેઠળ, નાણાકીય વર્ષમાં મહત્તમ રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર કર મુક્તિ ઉપલબ્ધ છે. તેથી જો આ કલમ હેઠળ તમારું કુલ રોકાણ રૂ. 1.5 લાખથી ઓછું હોય, તો પણ તમે રોકાણ કરી શકો છો અને તેનો પુરાવો તમારી ઓફિસમાં સબમિટ કરી શકો છો.

Tax | Tax On IPO Profit Booking | Tax On IPO listing gains | Tax Liability | STCG | LTCG
શેરબજારમાંથી થતી કમાણી પર STCG ટેક્સ અને LTCG ટેક્સ ચૂકવવો પડે છે. (Photo – Freepik)

શિક્ષણ લોનના વ્યાજ પર કર કપાત (Tax Exemption On Education Loan Interest)

જો તમે તમારા, તમારા બાળકો અથવા તમારા જીવનસાથીના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન લીધી છે, તો તમે તેના પર ચૂકવવામાં આવતા વ્યાજ પર કલમ ​​80E હેઠળ કર કપાત પણ મેળવી શકો છો. તમે આ કપાતનો મહત્તમ 8 વર્ષની અવધિ અથવા વ્યાજની ચુકવણીની વાસ્તવિક અવધિ, બે માંથી જે ઓછી હોય તે માટે મેળવી શકો છો. સારી વાત એ છે કે આ કલમ હેઠળ કપાતની રકમ પર કોઈ મહત્તમ મર્યાદા નથી. આ કપાત માત્ર લોનના વ્યાજ પર ઉપલબ્ધ છે અને મૂળ રકમની ચુકવણી પર નહીં. તેથી જો તમે એજ્યુકેશન લોન લીધી હોય અને અત્યાર સુધી આ કલમ વિશે જાણતા ન હતા, તો તમે તેનો પુરાવો સબમિટ કરીને ટેક્સ બચાવી શકો છો.

આરોગ્ય વીમા પ્રીમિયમ પર કર લાભ (Tax Benefit On Health Insurance Premium)

જીવન વીમા માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર કલમ ​​80C હેઠળ કર મુક્તિ ઉપલબ્ધ છે, પરંતુ આ સિવાય, આરોગ્ય વીમા માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમને પણ કલમ 80D હેઠળ અલગ કર લાભ મળે છે. આ લાભ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને 25,000 રૂપિયા સુધીના મહત્તમ પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. પરંતુ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ મર્યાદા 50 હજાર રૂપિયા છે. આ મર્યાદા તમારા, તમારા જીવનસાથી અને બાળકો માટે ખરીદેલા સ્વાસ્થ્ય વીમાને લાગુ પડે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તેના માતા-પિતા માટે અલગ સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ ચૂકવે છે, તો તેને અલગ ડિસ્કાઉન્ટ મળે છે. માતા-પિતાની ઉંમર પ્રમાણે પણ આ છુટછાટ મળે છે.

જો માતા-પિતાની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો 25 હજાર રૂપિયા સુધીની કર કપાત મળી શકે છે અને જો માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો 50 હજાર રૂપિયા સુધીનું ટેક્સ એક્સઝમ્પશન મળી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતે 60 વર્ષથી વધુ ઉંમરના હોય, તો તે પોતાના અને તેના માતા-પિતા માટે રૂ. 1 લાખ સુધીના સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર કર મુક્તિનો દાવો કરી શકે છે. આ ઉપરાંત, તમે તમારા, તમારા જીવનસાથી, બાળકો અને માતા-પિતાના નિવારક સ્વાસ્થ્ય તપાસ પર ખર્ચવામાં આવેલા 5000 રૂપિયા સુધીની કર મુક્તિ પણ મેળવી શકો છો.

home loan | home loan interest rates | home loan rates | bank loan
હોમ લોન

હોમ લોન વ્યાજની ચુકવણી પર કર મુક્તિ (Tax Exemption On Home Loan Interest)

હોમ લોનની મૂળ રકમની ચુકવણી પર કર મુક્તિ કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખની મર્યાદામાં જ ઉપલબ્ધ છે. જ્યારે, એક નાણાકીય વર્ષ દરમિયાન મહત્તમ રૂ. 2 લાખ સુધીની હોમ લોનના વ્યાજની ચુકવણી પર અલગથી કર મુક્તિ ઉપલબ્ધ છે. આ છૂટ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 24B હેઠળ ઉપલબ્ધ છે. તેથી જો તમે હોમ લોન પર વ્યાજ પણ ચૂકવ્યું છે, તો તેના પર કર મુક્તિનો દાવો કરવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો | IPO લિસ્ટિંગમાં પ્રોફિંટ બુકિંગ કર્યુ છે? નફા પર કેટલો ટેક્સ લાગશે, જાણો આવકવેરાના નિયમ

બચત ખાતાના વ્યાજ પર કર કપાત (Tax Rebate On Saving Accounts Interest)

જો તમે તમારા પૈસા બચત ખાતામાં રાખો છો અને તમને તેના પર વ્યાજ મળે છે, તો તમે એક વર્ષમાં 10,000 રૂપિયાની મર્યાદા સાથે તેના પર પણ ટેક્સ કપાતનો દાવો કરી શકો છો. આ છૂટ કલમ 80TTA હેઠળ ઉપલબ્ધ છે. ધ્યાનમાં રાખો કે આ કલમ હેઠળ, કપાતનો લાભ બચત ખાતા પરના વ્યાજ પર જ મળે છે. આ FDમાં રોકાણ, રિકરિંગ ડિપોઝિટ અથવા અન્ય કોઈપણ સમયની થાપણ પર લાગુ પડતું નથી. વરિષ્ઠ નાગરિકોને એક અલગ કલમ 80TTB હેઠળ વ્યાજ પર ટેક્સ છૂટ મળે છે, જેમાં મહત્તમ મર્યાદા 50 હજાર રૂપિયા છે. આટલું જ નહીં, વૃદ્ધોને પણ FD પર મળતા વ્યાજ પર આ લાભ મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ