Railway : રેલવેની ન્યુ યર ગિફ્ટ, ટ્રેન ટિકિટ પર 3 ટકા ડિસ્કાઉન્ટ સાથે કેશબેક પણ મળશે, ઓફર મર્યાદિત સમય સુધી ઉપલબ્ધ

RailOne App Discount And Cashback Offers : રેલવે વિભાગે RailOne એપ દ્વારા જનરલ કોચની ટ્રેન ટિકિટ ખરીદનારને 3 ટકા ડિસ્કાઉન્ટ અને તેનું ઓનલાઇન પેમેન્ટ કરવા પર કેશબેક આપવાની ઘોષણા કરી છે. જો કે આ ઓફર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે.

RailOne App Discount And Cashback Offers : રેલવે વિભાગે RailOne એપ દ્વારા જનરલ કોચની ટ્રેન ટિકિટ ખરીદનારને 3 ટકા ડિસ્કાઉન્ટ અને તેનું ઓનલાઇન પેમેન્ટ કરવા પર કેશબેક આપવાની ઘોષણા કરી છે. જો કે આ ઓફર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે.

author-image
Ajay Saroya
New Update
Train Tickets Booking | Online Train Tickets Booking

Train : ટ્રેન, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Canva)

Indian Railway : ભારતીય રેલ્વે એ જનરલ કોચની ટ્રેન ટિકિટ ખરીદનારા ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. રેલવે મંત્રાલય 14 જાન્યુઆરી થી 14 જુલાઈ 2026 સુધી RailOne એપ મારફતે અનિરિઝર્વ ટ્રેન ટિકિટની ખરીદી અને કોઇ પણ ડિજિટલ મોડથી પેમેન્ટ કરવા પર 3 ટકાની છૂટ આપશે. હાલમાં, RailOne એપ્લિકેશન પર આર વોલેટ પેમેન્ટ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવા પર 3 ટકા કેશબેક ઓફર કરવામાં આવે છે.

Advertisment

CRISને મંત્રાલયએ પત્ર લખ્યો

30 ડિસેમ્બર 2026 ના રોજ, મંત્રાલયે સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) ને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, રેલવન એપ્લિકેશન પર તમામ ડિજિટલ પેમેન્ટ મોડ્સ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટના બુકિંગ પર 3 ટકાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે." પત્રમાં સોફ્ટવેર સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવાની વિનંતી કરવામાં આવી હતી.

પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે. RailOne એપ પર આર વોલેટ દ્વારા કરવામાં આવેલા ટ્રેન ટિકિટ બુકિંગ પર હાલનો 3 ટકા કેશબેક ચાલુ રહેશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 3 ટકા ડિસ્કાઉન્ટની ઓફર 14.01.2026 થી 14.07.2026 સુધી લાગુ રહેશે. સીઆરઆઈએસ વધુ તપાસ માટે મે મહિનામાં આ દરખાસ્ત પર પોતાનો પ્રતિસાદ રજૂ કરશે. ”

અધિકારીએ શું કહ્યું?

એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, હાલની સિસ્ટમમાં સંભવિત મુસાફરોને 3 ટકા કેશબેક આપવામાં આવે છે જેઓ RailOne એપ્લિકેશન પર જનરલ કોચની ટ્રેન ટિકિટ ખરીદે છે અને આર-વોલેટ દ્વારા ચૂકવણી કરે છે. જો કે, નવા પ્રસ્તાવમાં, RailOne પર તમામ ડિજિટલ પેમેન્ટ મોડ્સ માંથી અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદનારાઓને 3 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે આ ઓફર અન્ય કોઈ ઓનલાઇન અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદીના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.

Advertisment

રેલવે એ આધાર લિંક્ડ યુઝર્સ માટે નોંધપાત્ર ફેરફાર કર્યો છે. 29 ડિસેમ્બરથી એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (એઆરપી)ના પહેલા દિવસે ટિકિટ બુકિંગ વિંડોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની સીધી અસર લાખો ટ્રેન મુસાફરો પર પડશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો છે, જેથી તેનો લાભ ફક્ત વાસ્તવિક મુસાફરો સુધી પહોંચાડી શકાય. 

રેલવે બિઝનેસ