IndiGo Flight : ઈન્ડિગોની મોટી જાહેરાત, આ પેસેન્જરોને આપશે ₹ 10000ના ટ્રાવેલ વાઉચર

IndiGo Passengers Travel Vouchers : ઈન્ડિગો એરલાઈન્સે 3/4/5 ડિસેમ્બરના રોજ સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરોને 10000 રૂપિયાના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. જાણો વિગતો

IndiGo Passengers Travel Vouchers : ઈન્ડિગો એરલાઈન્સે 3/4/5 ડિસેમ્બરના રોજ સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરોને 10000 રૂપિયાના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. જાણો વિગતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
indigo flight | indigo | indigo airlines

Indigo Flight : ઈન્ડિગો ફ્લાઇટ્સ. (Photo: @IndiGo6E)

IndiGo Flight Cancellations Update : ઈન્ડિગો ફ્લાઈટ્સ: ઈન્ડિગોએ ગયા સપ્તાહથી તેની ફ્લાઈટ્સ રદ અને વિલંબને કારણે હેડલાઈન્સમાં રહેલી ઈન્ડિગોએ એક મોટી જાહેરાત કરી છે. એરલાઇન્સે ફ્લાઇટ્સમાં વિક્ષેપ દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરોને 10000 રૂપિયાના ટ્રાવેલ વાઉચરની જાહેરાત કરી છે. આ સિવાય રદ થયેલી ફ્લાઇટની ટિકિટની રકમ મુસાફરોને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

Advertisment

ઈન્ડિગો ફ્લાઇટ કટોકટીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા એરલાઇન્સ પેસેન્જર માટે રાહતના સમાચાર આવ્યા છે. એરલાઇન્સે ફ્લાઇટ્સમાં વિક્ષેપ દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરોને 10000 રૂપિયાના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રદ થયેલી ફ્લાઇટની ટિકિટની રકમ મુસાફરોને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઈન્ડિગો એરલાઇને માહિતી આપી છે કે, ઓપરેશનલ વિક્ષેપોને કારણે રદ થયેલી ફ્લાઇટ્સના તમામ રિફંડ પર પ્રક્રિયા કરવામાં આવી છે. ટ્રાવેલ પાર્ટનર દ્વારા બુકિંગ કરતી વખતે ગ્રાહકો ઇમેઇલ કરીને મદદ મેળવી શકે છે.

એરલાઇન કંપનીએ માહિતી આપી છે કે 3/4/5 ડિસેમ્બરે કલાકો સુધી ફસાયેલા મુસાફરોને 10,000 રૂપિયાના ટ્રાવેલ વાઉચર આપવામાં આવશે. આ વાઉચરનો ઉપયોગ આગામી 12 મહિનામાં ગમે ત્યારે કરી શકાય છે. આ સિવાય સરકારની ગાઈડલાઈન મુજબ રદ થયેલી ફ્લાઈટ્સ પર 5,000-10,000 રૂપિયાનું વધારાનું વળતર પણ આપવામાં આવશે.

Advertisment

તમને જણાવી દઈએ કે 2 ડિસેમ્બરથી ઈન્ડિગોની ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ ગઈ છે. અને પછી 3/4/5 ડિસેમ્બરના રોજ, પરિસ્થિતિ વધુ વણસી ગઈ. ઈન્ડિગોની વિમાન સેવામાં વિક્ષેપને કારણે દેશભરમં હજારો હવાઇ મુસાફરો પરેશાન થયા હતા. 5 ડિસેમ્બરે ઇન્ડિગોએ એક દિવસમાં 1600 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી, ત્યારબાદ દેશના ઘણા મોટા એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ ગઈ હતી. ઇન્ડિગોના સીઇઓ પીટર આલ્બર્સે એક વીડિયો મેસેજમાં માફી માંગી હતી. સરકારી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીજીસીએ એ FDTL નિયમનો એ ભાગ સ્થગિત કર્યો હતો જેમા પાઇલટ માટે આરામના કલાકો વધાર્યા હતા.

FDTL નિયમો શું છે

તમને જણાવી દઈએ કે એફડીટીએલના નવા નિયમો હેઠળ પાયલટ માટે આરામનો સમયગાળો અઠવાડિયામાં 36 કલાકથી વધારીને 48 કલાક કરવામાં આવ્યો છે અને નાઇટ લેન્ડિંગ 6 કલાકથી ઘટાડીને બે સુધી મર્યાદિત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઇન્ડિગોના ક્રૂ રોસ્ટર પર આની ભારે અસર પડી છે. નવા નિયમોમાં રાત્રિના કલાકોમાં પણ એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે અને આનાથી એરલાઇનની કામગીરી પર વધારાનું દબાણ આવ્યું છે. નવા નિયમોનો હેતુ પાઇલટના થાકને વધુ સારી રીતે પહોંચી વળવાનો છે, જે ઉડ્ડયન સલામતીમાં મોટું જોખમ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ નિયમો જૂન 2024 માં અમલમાં આવવાના હતા. પરંતુ ઇન્ડિગો અને અન્ય એરલાઇન્સના વિરોધને કારણે તેમના અમલીકરણમાં વિલંબ થયો હતો. એરલાઇન કંપનીઓની પહેલી દલીલ એ હતી કે નવા નિયમોમાં વધુ ક્રૂ મેમ્બરની જરૂર પડશે અને તેઓ આગામી સમયમાં તબક્કાવાર રીતે નિયમોનો અમલ કરવા માંગે છે. જો કે, દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ ડીજીસીએ એ આ વર્ષે આ નિયમો લાગુ કર્યા છે. આ નિયમો જુલાઈ અને નવેમ્બરમાં બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા હતા.

એરલાઇન્સ બિઝનેસ