Jiobharat : ભારતનો પ્રથમ સેફ્ટી ફર્સ્ટ ફોન માત્ર 799 રૂપિયામાં લોન્ચ થયો

Jiobharat Safety First Features Phone Launch : જિયો એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની નવમી આવૃત્તિમાં દેશનો પ્રથમ સેફ્ટી ફર્સ્ટ મોબાઇલ ફોન જિયો ભારત લોન્ચ કર્યો હતો. લોકેશન મોનિટરિંગ, યુઝેસ મેનેજમેન્ટ અને રિયલ ટાઇમ ફોન હેલ્થ ફીચર્સ સાથે માત્ર 799 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Jiobharat Safety First Features Phone Launch : જિયો એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની નવમી આવૃત્તિમાં દેશનો પ્રથમ સેફ્ટી ફર્સ્ટ મોબાઇલ ફોન જિયો ભારત લોન્ચ કર્યો હતો. લોકેશન મોનિટરિંગ, યુઝેસ મેનેજમેન્ટ અને રિયલ ટાઇમ ફોન હેલ્થ ફીચર્સ સાથે માત્ર 799 રૂપિયામાં ઉપલબ્ધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Jiobharat Safety First Features Phone | Jiobharat Phone | india Safety First Features Phone

Jiobharat Safety First Features Phone : ભારતનો પ્રથમ સેફ્ટી ફર્સ્ટ ફીચર ફોન જિયોભારત લોન્ચ થયો છે. (Photo: Jio)

jiobharat Safety First Features Mobile Launch : જિયો ભારત સિરીઝના હાલના મોબાઇલ ફોન નવા સેફ્ટી શિલ્ડ ફીચર સાથે બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025માં રિલાયન્સ જિયોએ આ પાવરપેક્ડ મોબાઇલ ફોનના ફીચર્સ પરથી પડધો ઉઠાવ્યો છે.

Advertisment

આ જિયો ફોનની ખાસિયત એ છે કે, હંમેશા કનેક્ટ રહેવાની સાથે સાથે તે તમારા પ્રિયજનોને કૌભાંડ અને છેતરપિંડીથી બચાવશે. તેને ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સલામતી અને કનેક્ટિવિટી માટે સ્માર્ટ સોલ્યુશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. દેશના સૌથી સસ્તા ફોનમાંના એક, જિયો ભારતની કિંમત માત્ર 799 રૂપિયા છે.

ઓનલાઇન ફ્રોડ થી સુરક્ષિત રાખશે

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સાથેની છેતરપિંડી એક ગંભીર સમસ્યા બની ગઇ છે. આ સમયે તમારા પ્રિયજનો ક્યાં છે તે અંગે ચિંતા રહે છે. જિયોભારત ફોનના સેફ્ટી ફીચર્સ આ ચિંતાને દૂર કરે છે. જિયો ભારતમાં તમે જ્યાં પણ હોવ ત્યાં તેમના લોકેશન અથવા લોકેશન વિશે સચોટ માહિતી આપવાની શક્તિ છે. ફોનનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે, તેથી વૃદ્ધો તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.

બાળકો માટે ફોનના ઉપયોગને નિયંત્રિત કરી શકાશે

તેના દ્વારા ફોનનો ઉપયોગ મેનેજ કરવો પણ સરળ છે. તમારા પ્રિયજનો અજાણ્યા લોકોની જાળમાં ન ફસાય, તેને જિયોભારતથી પણ નિયંત્રિત કરી શકાય છે. એટલે કે, કોણ કોલ કરી શકે છે અથવા મેસેજ કરી શકે છે તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ઇન્ટરનેટ પરની અનિચ્છનીય સાઇટ્સ અને સામગ્રીને બાળકો સુધી પહોંચતા અટકાવી શકાય છે. 7 દિવસ સુધીની બેટરી બેકઅપ સાથે જિયો ભારત ફોનની બેટરી અને સ્વાસ્થ્ય વિશે રિયલ ટાઇમ માહિતી પણ પ્રદાન કરે છે.

Advertisment

રિલાયન્સ જિયોના પ્રેસિડેન્ટ સુનીલ દત્તે જણાવ્યું હતું કે, "અમારું માનવું છે કે ટેક્નોલોજી એવી હોવી જોઈએ કે જે દરેક ભારતીયને જોડે અને તેમનું રક્ષણ કરે. આ હેતુ માટે જિયો ભારત સેફ્ટી ફર્સ્ટ સોલ્યુશન બનાવવામાં આવ્યું છે. તે માત્ર ફોન ફીચર્સ જ નથી, પરંતુ સિક્યોરિટી ઇનોવેટિવ છે. જે પરિવારોને સરળ અને સસ્તી રીતે માનસિક શાંતિ આપશે. જિયોએ બતાવ્યું છે કે ટેકનોલોજી લાખો લોકો માટે રોજિંદા જીવનને સુરક્ષિત અને સરળ બનાવી શકે છે.” નવા જિયોભારત સેફ્ટી-ફર્સ્ટ ફોન અગ્રણી મોબાઇલ આઉટલેટ્સ જિયો સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.

jio સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ