Financial Rule Changes From July 2025: જુલાઇ મહિનાથી ભારતમાં ઘણા નિયમમાં ફેરફાર થવાની સાથે સાથે નવા નિયમો લાગુ થયા છે. 1 જુલાઇથી 2025થી ભારતમાં પાન કાર્ડ, રેલવે ટ્રેન બુકિંગ, એટીએમ અને ક્રેડિટ ચાર્જ સહિત વિવિધ બાબતોના નિયમો બદલાઇ ગયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થવાની છે. આવી સ્થિતિમાં, તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 1 જુલાઈ, 2025 થી કયા નવા નિયમો લાગુ થયા છે.
1 જુલાઈથી પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત
આગામી મહિનો એટલે કે 1 જુલાઈ 2025થી પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.
ટ્રેન ટિકિટ મોંઘી થઇ
જુલાઇથી રેલવે વિભાગ દ્વારા ટ્રેન ટિકિટ મોંઘી કરવાની સાથે સાથે ઓનનલાઇન ટ્રેન ટિકિટ બુકિંiના નિયમ પણ બદલવામાં આવ્યા છે. 1 જુલાઈથી એસી ટ્રેન ટિકિટનું ભાડું પ્રતિ કિમી 2 પૈસા વધી જશે. નોન એસી ટ્રેન ટિકિટનું ભાડું પ્રતિ કિમી 1 પૈસા વધારવામાં આવ્યું છે. ઉપરાંત IRCTC એકાઉન્ટ આધાર વેરિફાઇડ હશે તો જ ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ થશે.
ICICI બેંકના ATM નિયમોમાં ફેરફાર
1 જુલાઈ 2025થી ICICI બેંકના ATM સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. ગ્રાહકોને હવે આ બેંકના એટીએમનો ઉપયોગ કરવો મોંઘો પડી શકે છે. નવા નિયમો અનુસાર લિમિટ કરતા વધુ એમટીએમ માંથી રોકડ ઉપાડવા પર ટ્રાન્ઝેક્શન દીઠ 23 રૂપિયા ચાર્જ લાગશે. સાથે જ એટીએમમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે. આ મર્યાદા મેટ્રો શહેરોમાં 3 ટ્રાન્ઝેક્શનની રહેશે.
HDFC ક્રેડિટ કાર્ડના નિયમ બદલાયા
એચડીએફસી ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમો અનુસાર, હવે થર્ડ પાર્ટી એપથી એચડીએફસી ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર લોકોને 1 ટકા ચાર્જ આપવો પડશે. સાથે જ યૂટિલિટી બિલની ચૂકવણી પર પણ ચાર્જ લાગશે. આ નિયમ પણ 1 જુલાઈથી બદલાવા જઈ રહ્યો છે.