Mukesh Ambani RIL: મુકેશ અંબાણીની ઉત્તરાધિકારી યોજના હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ કંપની બની શકે, રોકાણકારોને શું અસર થશે?

Mukesh Ambani Reliance Industries : ક્રેડિટ સાઇટ્સના એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની ઉત્તરાધિકારી યોજના હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ કંપનીમાં રૂપાંતરિત થઇ શકે છે. તેનાથી અંબાણી પરિવાર અને રોકાણકારોને કેવી અસર થશે જાણો

Mukesh Ambani Reliance Industries : ક્રેડિટ સાઇટ્સના એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની ઉત્તરાધિકારી યોજના હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ કંપનીમાં રૂપાંતરિત થઇ શકે છે. તેનાથી અંબાણી પરિવાર અને રોકાણકારોને કેવી અસર થશે જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Anant Ambani In RIL Board : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં અનંત અંબાણીની નિમણુંકની વિરુદ્ધમાં મત આપવા શેરધારકોને સૂચન, જાણો શું છે સમગ્ર મામલો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ત્રણ સંતાન છે - આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી.

Mukesh Ambani succession plan OF Reliance Industries : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિવિધ બિઝનેસ સાથે સંકળાયેલ હોલ્ડિંગ કંપની બની શકે છે. જે હેઠળ, તે મોટા બિઝનેસનું મેનેજમેન્ટ કરવા સ્વતંત્ર રીતે કાર્યરત એકમોમાં બહુમતી હિસ્સો ધરાવશે. ફિચ ગ્રૂપની યુનિટ ક્રેડિટ સાઇટ્સે પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેવાના મોરચે સારી સ્થિતિ સાથે તેના ટેલિકોમ અને રિટેલ સેક્ટર માટે અર્નિંગ આઉટલૂક વધુ સારી રહેવાની અપેક્ષા છે. આ પરિબળો ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને તેની વધેલી મૂડીરોકાણ જરૂરિયાતો વચ્ચે રિલાયન્સના રિફાઈનિંગ અને માર્કેટિંગ સેક્ટર માટે નબળા અંદાજની ભરપાઇ કરે છે.

Advertisment

હોલ્ડિંગ કંપની શું છે?

તમને જણાવી દઈએ કે હોલ્ડિંગ કંપનીઓ અન્ય લિસ્ટેડ અને નોન-લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સેદારી ધરાવે છે. આ હોલ્ડિંગ કંપનીઓના મૂલ્યનો મોટો હિસ્સો અન્ય બિઝનેસમાં તેમના હિસ્સામાંથી મેળવવામાં આવે છે. તે અંડરલાઇંગ કંપનીઓમાંથી ડિવિડન્ડ આવક અને/અથવા વ્યાજની આવક મેળવે છે.

ઉત્તરાધિકારી યોજનાથી વિવાદની શક્યતા દૂર થશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ જૂથની ઉત્તરાધિકારી યોજનાને આગળ ધપાવી છે. આ અંતર્ગત ગ્રુપ હેડ મુકેશ અંબાણીએ ઘોષણા કરી છે કે, તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંતને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવશે. અંબાણીએ કહ્યું કે તેઓ આગામી 5 વર્ષ સુધી ચેરમેન અને સીઈઓ તરીકે કામ કરતા રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણીની ઉત્તરાધિકાર યોજનાના વિષય વિશે જાહેર કરાયેલા અહેવાલમાં ક્રેડિટ સાઇટ્સે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે અંબાણીની ઉત્તરાધિકારી યોજના આગળ વધશે. આ એટલા માટે છે કારણ કે, એક જ ખેલાડી સાથે સંકળાયેલા જોખમો ઘણા રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંબાણીના ત્રણ બાળકોને RIL (ટેલિકોમ, રિટેલ અને ન્યૂ એનર્જી)ના દરેક મુખ્ય કંપનીમાં અગ્રણી સ્થાન આપવામાં આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને, અમારું માનવુ છે કે, આવા સ્પષ્ટ વિભાજનથી, ભાઈ-બહેન વચ્ચે ભવિષ્યમાં કોઈપણ વિવાદ ટાળી શકાય છે. રિપોર્ટ અનુસાર, ઉત્તરાધિકારીની જે યોજના બનાવવામાં આવી છે, તેમાં એવું નથી કે અંબાણી અચાનક ગ્રૂપ છોડી દેશે. જો આમ થશે તો કામગીરી અને કંપનીની કામગીરી ખોરવાઈ જશે. તેના બદલે, આ યોજનામાં આવનારી પેઢીને તૈયાર કરવી અને તેમને માર્ગદર્શન આપવાનો સમાવેશ થાય છે.

Advertisment

ધિરાણના વધારે વિકલ્પો

ક્રેડિટ સાઇટ્સે જણાવ્યું હતું કે, અમારું માનવુ છે કે શેર બજારમાં લિસ્ટેડ RIL સંપૂર્ણપણે હોલ્ડિંગ કંપનીમાં રૂપાંતરિત થઈ શકે છે. જે હેઠળ, તે સ્વતંત્ર એકમોમાં બહુમતી હિસ્સો ધરાવશે જે મુખ્ય બિઝનેસનું સંચાલન કરે છે. અહેવાલ મુજબ, આવા વિભાજનથી દરેક કંપનીની સંપત્તિ અને રોકડ પ્રવાહ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થશે. તેમજ સંબંધિત પક્ષો ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે. ધિરાણના વધારે વિકલ્પો ઉપલબ્ધ થશે અને સારી મૂડી ફાળવણી સાથે મોનિટરિંગ સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે. દરેક લિસ્ટેડ યુનિટના પોતાના શેરધારકો અને કદાચ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હશે.

આ પણ વાંચો | મુકેશ અંબાણીના બાળકોને એક રૂપિયાનો પગાર નહીં મળે, માત્ર બોર્ડ મીટિંગમાં જવાની ફી મળશે, જાણો કેટલું કમિશન મળશે

આ રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીના વ્યક્તિગત વ્યવસાયની લગામ તેમના બાળકોને સોંપ્યા પછી, RIL પરિવારની માલિકીની કંપની રહેશે. એક સંભવિત વ્યવસ્થા એક ટ્રસ્ટ બનાવવાની હોઈ શકે છે. આ ટ્રસ્ટ અંબાણી, ત્રણેય ભાઈ-બહેનો અને તેમના પરિવારના સભ્યોની સંયુક્ત માલિકી અને નિયંત્રણમાં હશે. RIL એક પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ દ્વારા સંચાલિત થશે. અંબાણીએ 2022માં પ્રથમ વખત તેમની ઉત્તરાધિકારી યોજના જાહેર કરી. તેમણે ઘોષણા કરી હતી કે, તેમના ત્રણ બાળકોમાંથી દરેક કંપનીના અલગ-અલગ વિભાગના વડા બનશે. આ અંતર્ગત આકાશને ટેલિકોમ બિઝનેસના વડા, ઈશા અંબાણીને રિટેલ બિઝનેસના વડા અને અનંત અંબાણીને ન્યૂ એનર્જીના વડા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

બિઝનેસ મુકેશ અંબાણી Investment શેર બજાર