મોટા સમાચાર, EPFO એ પીએફ એકાઉન્ટ પર વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો શું થશે ફાયદો

પીએફ વ્યાજ દરમાં વધારો, ઈપીએફઓ દ્વારા વ્યાજ દર વધારવાથી કર્મચારીઓને શું ફાયદો થશે? જોઈએ તમામ વિગત

પીએફ વ્યાજ દરમાં વધારો, ઈપીએફઓ દ્વારા વ્યાજ દર વધારવાથી કર્મચારીઓને શું ફાયદો થશે? જોઈએ તમામ વિગત

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
PF interest rate Increase

પીએફ ના વ્યાજ દરમાં વધારો (પ્રતિકાત્મક તસવીર)

પીએફ વ્યાજ દરમાં વધારો : ચૂંટણી વર્ષમાં કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. હવે પીએફ ખાતા પર 8.25 ટકા વ્યાજ મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) એ 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતા માટે નવા વ્યાજ દરની જાહેરાત કરી છે. જે મુજબ, 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર વ્યાજ દર 8.25 ટકા નક્કી કરવામાં આવ્યો છે. આ વ્યાજ દર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.

Advertisment

ક્યારે કેટલો રહ્યો વ્યાજ દર?

EPFOએ 2022-23 માટે EPF પરના વ્યાજ દરને 2021-22 માં 8.10 ટકાથી વધારીને માર્ચ 2023માં 8.15 ટકા કર્યો હતો. માર્ચ 2022માં EPFOએ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી નીચો હતો. EPF પર વ્યાજ દર 2020-21માં 8.5 ટકા હતો

આ પણ વાંચો - પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિની આ પુત્રી કોણ છે? અબજો રૂપિયાનું કર્યું છે દાન, જાણો નેટવર્થ અને લવ સ્ટોરી

કર્મચારીઓને 8.25 ટકા વ્યાજ મળશે

અહેવાલ મુજબ, EPFO ​​ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ' (CBT) એ શનિવારે તેની બેઠકમાં 2023-24 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો હતો. CBT ના નિર્ણય પછી, 2023-24 માટે EPF થાપણો પર વ્યાજ દર સંબંધિત નિર્ણયને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની મંજૂરી પછી, 2023-24 માટે EPF પર વ્યાજ દર EPFOના છ કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ બિઝનેસ