PM Narendra Modi Mother Heeraben Death Live Updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. અમદાવાદમાં આવેલી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું શુક્રવારે 30 ડિસેમ્બરે વહેલી સવારે હોસ્પિટલના બિછાને નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા અંતિમ દર્શન કરવા માટે આવશે. ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ ઉપર હીરાબાના નિધન અંગેના પળેપળના અપડેટ્સ મળતા રહેશે.
વડનગર બજાર આવતીકાલથી રાબેતા મુજબ ખોલવા હીરાબાના પરિવારે અપીલ કરી છે. વેપારી એસોસિએશન દ્વારા ત્રણ દિવસ બંધની જાહેરાત કરાઈ હતી. હીરાબાના પરિવારે વેપારીઓનો આભાર વ્યક્ત કરી આવતીકાલથી બજાર રાબેતા મુજબ ખોલવા અપીલ કરી છે. અપીલને પગલે આવતીકાલથી વડનગર બજાર રાબેતા મુજબ ખુલશે. બજારમાં વેપારી એસોસિએશન દ્વારા નોટિસ મુકવામાં આવી.