Cheque Clearance Rule : હવે એક જ દિવસમાં ચેક ક્લિયર થશે, RBIના નવા નિયમ 4 ઓક્ટોબરથી લાગુ, જાણો તમને શું ફાયદો થશે

Cheque Clearance New Rules : ચેક ક્લિયર હવે અગાઉ કરતા ઝડપથી થશે. આરબીઆઈ એ ચેક ક્લિયર માટે નવા નિયમ 4 ઓક્ટોબર, 2025થી લાગુ કર્યા છે. બેંકોએ સવારે બેંકમાં જમા કરેલા ચેક સાંજ સુધીમાં ક્લિયર કરવા પડશે.

Cheque Clearance New Rules : ચેક ક્લિયર હવે અગાઉ કરતા ઝડપથી થશે. આરબીઆઈ એ ચેક ક્લિયર માટે નવા નિયમ 4 ઓક્ટોબર, 2025થી લાગુ કર્યા છે. બેંકોએ સવારે બેંકમાં જમા કરેલા ચેક સાંજ સુધીમાં ક્લિયર કરવા પડશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
cheque clearing rules | rbi | cheque clearing time | cheque settlement system

RBI Cheque Clearing Rules : આરબીઆઈ દ્વારા ચેક ક્લિયરિંગના નવા નિયમ લાગુ કર્યા છે. (Photo: Freepik)

Bank Cheque Settlement Rules 2025 : ડિજિટલ પેમેન્ટ યુગમાં હજી પણ બેંક ચેક નાણાકીય લેવડદેવડ માટે વિશ્વસનીય માનવામાં આવે છે. આરબીઆઈ દ્વારા 4 ઓક્ટોબરથી બેંક ચેક ક્લિયરન્સ માટે નવા નિયમ લાગુ કર્યા છે. નવા નિયમથી ચેક ક્લિયરન્સ ઝડપથી થશે અને કટોકટીના કેસોમાં ચેક ક્લિયરન્સમાં વિલંબની સમસ્યાનો અંત આવવાનો છે. તો ચાલો જાણીયે બેંક ચેક ક્લિયરન્સના નવા નિયમ અને ફાયદા

Advertisment

ભારતીય રિઝર્વ બેંક ( RBI ) ના નવા અપડેટ કરેલા સેટલમેન્ટ ફ્રેમવર્કમાં દર્શાવેલ મુજબ, 4 ઓક્ટોબરથ બેંકોમાં જમા કરાયેલા ચેક તે જ દિવસે ક્લિયર કરવામાં આવશે. આનો હેતુ ચેક સેટલમેન્ટને ઝડપી બનાવવા અને ચુકવણી સુરક્ષા વધારવાનો છે. નવા નિયમ મુજબ, 4 ઓક્ટોબરથી શરૂ થતાં, ચેક તે જ દિવસે ક્લિયર અથવા રિજેક્ટ કરવામાં આવશે. જો ચેક ક્લિયર થાય છે, તો પૈસા તે જ દિવસે તમારા ખાતામાં જમા થઈ જશે.

ચેક ક્લિયરન્સની નવી પ્રક્રિયા સલામત છે?

અત્યાર સુધી, ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) દ્વારા ચેક ક્લિયરિંગ બેચ પ્રોસેસિંગ મોડમાં કરવામાં આવતું હતું. હવે, બેંકોએ જાહેરાત કરી છે કે 4 ઓક્ટોબરથી, જમા કરાયેલા ચેક તે જ કાર્યકારી દિવસે થોડા કલાકોમાં ક્લિયર કરવામાં આવશે . આ પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

ચેક ક્લિયરની કામગીરી કેવી રીતે થશે?

બેંકો ચેકની ઇમેજ સ્કેન કરશે અને MICR (મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન) ડેટા ક્લિયરિંગ હાઉસને મોકલશે. ક્લિયરિંગ હાઉસ પછી આ ઇમેજ બેંકને મોકલશે જેને દિવસ દરમિયાન ચુકવણીની પ્રક્રિયા કરવાની જરૂર છે.

Advertisment

બેંકે નિર્ધારિત સમયની અંદર, એટલે કે તે જ દિવસે સાંજે 7 વાગ્યા સુધીમાં ચેક પાસ અથવા રિજેક્ટ કરવાનો રહેશે. આનાથી ક્લિયરિંગનો સમય બે દિવસથી ઘટીને ફક્ત થોડા કલાકોનો થઈ જશે.

પ્રથમ તબક્કામાં, 4 ઓક્ટોબરથી 3 જાન્યુઆરી, 2026 સુધી, બધી બેંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં ચેક ક્લિયર અથવા રિજેક્ટ કરવાના રહેશે. જો બેંક આમ કરવામાં નિષ્ફળ જાય, તો ચેક ક્લિયર માનવામાં આવશે.

બીજા તબક્કામાં, 3 જાન્યુઆરી, 2026 થી શરૂ કરીને, બધી બેંકો પાસે બેંક ચેક ક્લિયર કરવા અથવા રિજેક્ટ માટે ફક્ત ત્રણ કલાકનો સમય હશે. જો ચેક સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે મોકલવામાં આવે છે, તો તેને બપોરે 2 વાગ્યા સુધીમાં ક્લિયર કરવાની જરૂર પડશે.

આ પણ વાંચો | આધાર કાર્ડ અપડેટ કરાવવું મોંઘુ થયું, 1 ઓક્ટોબરથી નવા ચાર્જ લાગુ

1 કલાકની અંદર ચેકની રકમ બેંકમાં ખાતામાં જમા થઈ જશે

એકવાર ચેક સેટલમેન્ટ પૂર્ણ થઈ જાય, પછી ક્લિયરિંગહાઉસ તમારી બેંકને મંજૂરી અથવા અસ્વીકારની જાણ કરશે. સેટલમેન્ટના 1 કલાકની અંદર બેંક તમારા ખાતામાં ભંડોળ જમા કરશે.

RBI દ્વારા ચેક ક્લિયરિંગમાં આ ફેરફાર દરેક બેંકમાં લાગુ કરવામાં આવશે. જો યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો, લોકો હવે વ્યવહારો માટે બેંક ચેકનો ઉપયોગ કરશે.

આરબીઆઇ બેંક બિઝનેસ