RBI MPC News : આરબીઆઈ એ ફરી વ્યાજદર સ્થિર રાખ્યા, બેંક લોન સસ્તી નહીં થાય

RBI MPC Meeting News 2025: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણનીતિ જાહેર કરી છે.

RBI MPC Meeting News 2025: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણનીતિ જાહેર કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
RBI | rbi monetary policy meeting | rbi mpc meeting | RBI governor Sanjay Malhotra | rbi news | rbi rate cute news | Reserve Bank of India

RBI Governor Sanjay Malhotra: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા. (Photo: RBI)

RBI Monetary Policy Meeting News 2025 : આરબીઆઈ ધિરાણનીતિમાં વ્યાજદર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણનીતિ જાહેર કરતા જણાવ્યું કે, મોનેટરી પોલિસી મિટિંગમાં તમામ વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ રેપો રેટ 5.5 ટકા સ્થિર રાખવામાં આવ્યો છે. વ્યાજદર સ્થિર રહેતા બેંક લોનના વ્યાજદર અને લોન ઇએમઆઈ હપ્તો ઘટશે નહીં.

Advertisment

ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરની ધિરાણનીતિમાં રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડશે કે નહીં તે મામલે અવઢવ હતી. અગાઉ એસબીઆઈના વડાએ રિઝર્વ બેંકને 0.25 ટકા રેપો રેટ ઘટાડવાનું સૂચન કર્યું હતું. ત્યારબાદ બજારમાં વ્યાજદર ઘટવાની આશા જાગી હતી. જો કે મોંઘવારી દર વધવાની જોખમને ધ્યાનમાં રાખી RBI એ વ્યાજદર ઘટાડવાનું ટાળ્યું છે.

GST ઘટવાથી મોંઘવારી પર અંકુશ મૂકવાની અપેક્ષા : RBI ગવર્નર સંજય મલ્હોત્રા

આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, ગત ઓગસ્ટ મહિનાની ધિરાણનીતિની ઘોષણા બાદથી આર્થિક વિકાસ મોંઘવારીના સમીકરણોમાં ફેરફાર થયો છે. સરકાર દ્વારા તાજેતરમાં જીએસટી દરમાં ઘટાડો કર્યા બાદ મોંઘવારી ઘટવાની અપેક્ષા છે. એટલે કે જીએસટી સુધારણાથી વપરાશકારોને રાહત મળશે.

Advertisment

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસીમાં શું કહ્યું

સારા વરસાદથી ભારતનું અર્થતંત્ર મજબૂત થયું છે
જીએસટી સુધારાણાથી મોંઘવારી દરમાં ઘટાડો આવશે
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઝડપી ફેરફાર થયો છે
ટેરિફથી નિકાસ મંદ પડી છે

નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 6.8% રહેવાનો અંદાજ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓગસ્ટ પોલિસીમાં નાણાકીય વર્ષ 2025-26 માટે વાસ્તવિક GDP વૃદ્ધિનો અંદાજ 6.5 ટકાથી વધારીને 6.80 ટકા કર્યો છે.

નાણાકીય વર્ષ 2026 માટે ફુગાવાનો અંદાજ ઘટાડ્યો

RBI એ FY26 માટે CPI ફુગાવાનો અંદાજ 3.1% થી ઘટાડીને 2.6% કર્યો છે, જે ઓગસ્ટના નીતિ અંદાજ 3.7% થી 3.1% હતો.

RBI એ સતત બીજી વખત વ્યાજદર સ્થિર રાખ્યા હતા

આરબીઆઈ એ ઓગસ્ટ મહિનાની ધિરાણનીતિમા તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા, જેના કારણો લોન વધુ સસ્તી થવાની અપેક્ષા પર પાણી ફરી વળ્યું હતું. તેની અગાઉ આરબીઆઈ એ જૂન મહિનાની મોનેટરી પોલિસીમાં આશ્ચર્યજનક 0.50 ટકા રેપો રેટ ઘટાડી 5.50 ટકા કર્યો હતો. આ અગાઉ બે તબક્કામાં પણ અડધો ટકા વ્યાજદર ઘટાડ્યો હતો. આમ 3 તબક્કામાં કુલ 1 ટકા રેપો રેટ ઘટાડ્યો છે.

બેંક આરબીઆઇ હોમ લોન