RBI ની મોટી ચેતવણી! શું તમે કોઈ લોન લીધી છે? આવી કોઈ ઓફર આવે તો ચેતી જજો, થઈ શકે છે મોટું નુકસાન

RBI warning : આરબીઆઈએ એક નિવેદન બહાર પાડીને લોન માફી આપતી જાહેરાતો (loan waiver campaigns) અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્દ્રીય બેંકે લોન માફીની ઓફર કરતી ભ્રામક જાહેરાતોની નોંધ લીધી છે, જે લોકોને ઉધાર લેવા માટે લલચાવવાનો પ્રયાસ કરે છે.

RBI warning : આરબીઆઈએ એક નિવેદન બહાર પાડીને લોન માફી આપતી જાહેરાતો (loan waiver campaigns) અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્દ્રીય બેંકે લોન માફીની ઓફર કરતી ભ્રામક જાહેરાતોની નોંધ લીધી છે, જે લોકોને ઉધાર લેવા માટે લલચાવવાનો પ્રયાસ કરે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
RBI warning | Loan Waiver | RBI Cautions | unauthorized loan waiver campaigns

આરબીઆઈએ લોન માફી ઓફર કરતી જાહેરાતોથી સાવચેત રહેવા જણાવ્યું છે.

RBI Warning : લોન માફી ઝુંબેશ પર આરબીઆઈ : ભારતીય રિઝર્વ બેંક છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઑનલાઇન છેતરપિંડી અને ડિજિટલ વ્યવહારો અંગે સતત નવા નિર્ણયો લઈ રહી છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોકોને લોન માફી આપતી ભ્રામક જાહેરાતો વિશે ચેતવણી આપી છે. RBIએ કહ્યું છે કે, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાતી લોન માફી સંબંધિત ભ્રામક જાહેરાતોને કારણે જનતાને નુકસાન થઈ શકે છે.

Advertisment

આરબીઆઈએ એક નિવેદન બહાર પાડીને લોન માફી આપતી જાહેરાતો અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્દ્રીય બેંકે લોન માફીની ઓફર કરતી ભ્રામક જાહેરાતોની નોંધ લીધી છે, જે લોકોને ઉધાર લેવા માટે લલચાવવાનો પ્રયાસ કરે છે.

પ્રિન્ટ-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝુંબેશ સક્રિય છે

આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા ઘણા અભિયાનોને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. એવા અહેવાલો પણ છે કે, આ સંસ્થાઓ કોઈપણ સત્તા વિના 'લોન માફી પ્રમાણપત્રો' જાusj કરવા માટે સેવા/કાનૂની ફી વસૂલતી હોય છે.

લોન માફીની જાહેરાતથી સાવધાન

કેન્દ્રીય બેંકે કહ્યું કે, કેટલીક જગ્યાએ, કેટલાક લોકો દ્વારા લોન માફીની ઓફર સાથે સંબંધિત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે તેમના અધિકારોને લાગુ કરવામાં બેંકોના પ્રયત્નોને નબળા પાડે છે.

Advertisment

આરબીઆઈએ કહ્યું, 'આવી સંસ્થાઓ ખોટી રજૂઆત કરી રહી છે કે, બેંકો સહિત નાણાકીય સંસ્થાઓના લેણાં ચૂકવવાની જરૂર નથી. "આવી પ્રવૃત્તિઓ નાણાકીય સંસ્થાઓની સ્થિરતા અને થાપણદારોના હિતને નબળી પાડે છે."

આ પણ વાંચો - Article 370 | કલમ 370 રદ મામલો : શું કાશ્મીરમાં ઘર અથવા જમીન ભાડે અથવા ખરીદી શકાય?

આરબીઆઈએ ચેતવણી આપી છે કે, આવી સંસ્થાઓ સાથે જોડાણ કરવાથી સીધું નાણાકીય નુકસાન થઈ શકે છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે, જનતાને સાવધાન કરવામાં આવે છે કે, તેઓ આવા ખોટા અને ભ્રામક અભિયાનોનો ભોગ ન બને અને આવી ઘટનાઓની જાણ કાયદા અમલીકરણ એજન્સીઓને કરે.

એજન્સી ઇનપુટ સાથે

આરબીઆઇ ગુજરાતી ન્યૂઝ હોમ લોન બિઝનેસ દેશ