/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/RBI-governor-Shaktikanta-Das.jpg)
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ ફાઇલ તસવીર
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જાહેરાત કરી હતી કે મૌદ્રિક ની સમિતિએ રેપો દર થતાવત રાખવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય લોકો માટે મોટી રાહત છે. આરબીઆઇ ગવર્નરે જાહેરાત કરી છે કે રેપો રેટ 6.5 ટકા જ રહેશે. તેમણે કહ્યું કે દુનિયાની અર્થવ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે પરંતુ ભારત પોતાની સ્થિતિ અને સ્થિર રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે.
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બેંકિંગ અને ગેર બેકિંગ નાણાંકિય પ્રણાલી સ્વસ્થ્ય બની છે. અને અત્યારના નાણાંકિય વર્ષ 7 ટકાથી અપેક્ષિત વૃદ્ધિની સાથે ભારતની આર્થિક ગતિવિધિ લચીલી બનેલી છે. ગવર્નરે કહ્યું કે રેપો રેટ નહીં વધારવાનો નિર્ણય આ મીટિંગમાં લેવાયો છે. આગળની મીટિંગમાં કંઇક અલગ નિર્ણય લઇ શકે છે.
રેપો દર શું હોય છે?
રેપો રેટ પ્રમાણે ભારતીય રિઝર્વ બેન્ક અને સેન્ટ્ર બેન્ક ઓફ ઇન્ડિયા અન્ય કોમર્શિયલ બેન્કોને પૈસા ઉધાર આપે છે. જ્યારે રિવર્સ રેપો દર એવો દર છે જેના આધારે કોમર્શિયલ બેન્ક આરબીઆઇને પોતાની પાસે બચેલા વધારાના નાણાં જમા કરાવે છે અને વ્યાજદર અર્જીત કરે છે. નાણાંકિય વર્ષ 2024 માટે આરબીઆઈએ આર્થિક વિકાસ દરમાં વધારો ના કરતા 6.4 ટકાથી 6.5 ટકા કરી દીધો છે. આમ આરબીઆઈને ગ્રોથમાં વધારો થવાનો વિશ્વાસ છે.
આરબીઆઇ ગવર્નરે કહ્યું કે આ અસ્થિરતા વચ્ચે, ભારતમાં બેકિંગ અને ગેર બેકિંગ નાણાંકિય સેવા ક્ષેત્ર સ્વસ્થ્ય બનશે. નાણાંકિય બજાર એક વ્યવસ્થિત રીતે વિકસિત થયું છે. આર્થિક ગતિવિધિ લચીલી બનેલી છે. વાસ્તવિક સકળ ઘરેલુ ઉત્પાદનમાં વૃદ્ધિ નાણાંકિય વર્ષ 23માં 7 ટકા રહેવાની આશા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us