Share Market News: સેન્સેકસ 4 દિવસની તેજી બાદ ઘટીને બંધ, બેન્ક શેર તૂટ્યા, આઈટી સ્ટોકમાં તેજી

Share Market Today News Update: સેન્સેક્સ ઘટીને જ્યારે નિફ્ટી ફ્લેટ બંધ થયો છે. મંગળવારે બેન્કિંગ શેર તૂટ્યા છે જ્યારે આઈટી અને રિયલ્ટી શેરમાં તેજી જોવા મળી છે.

Share Market Today News Update: સેન્સેક્સ ઘટીને જ્યારે નિફ્ટી ફ્લેટ બંધ થયો છે. મંગળવારે બેન્કિંગ શેર તૂટ્યા છે જ્યારે આઈટી અને રિયલ્ટી શેરમાં તેજી જોવા મળી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bombay stock exchange building | bombay stock exchange | BSE | Sensex | Indian bombay stock exchange | Indian Stock Market | Share market News

Bombay Stock Exchange : બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારતનું સૌથી જુનું શેરબજાર છે. (Express Photo)

Share Market Today News Update: શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી ચાર દિવસ બાદ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટી 82391 જ્યારે નિફ્ટી માત્ર 1 પોઇન્ટ વધી 25104 બંધ થયો છે. સેન્સેક્સની વિકસી એક્સપાયરીના દિવસે બેન્કિંગ શેર તૂટ્યા છે જ્યારે આઈટી શેરમાં તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયા છે.

Advertisment

શેરબજાર મંગળવારે ઉછાળે ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન સ્ટોક માર્કેટના મિશ્ર સંકેત અને ઘરઆંગણે બેન્કિંગ સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે. તો આઈટી, મેટલ ઇન્ મીડિયા ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. બીજી બાજુ બુલિયન માર્કેટમાં એમસીએક્સ સોના ચાંદી વાયદા પણ ઘટ્યા છે.

સેન્સેક્સ અને નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ

બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 82445 સામે મંગળવારે 198 પોઇન્ટ વધીને 82643 ખુલ્યો હતો. જો કે બેન્કિંગ અને ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્તા સેન્સેક્સ 82240 સુધી તૂટ્યો હતો. અલબત્ત આઈટી અને ટેક્નોલોજી સ્ટોકમાં તેજીથી માર્કેટ નીચા સ્તરેથી રિકવર થઇ 82480 લેવલ આસપાસ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25103 સામે આજે 25196 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 22 પોઇન્ટ વધીને 25125 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

ICICI બેન્કે થાપણદર ઘટાડ્યા

આઈસીઆઇસીઆઈ બેંકે થાપણદર 0.25 ટકા ઘટાડ્યા છે. આ નવા થાપણદર 10 જૂનથી લાગુ થશે. થાપણદરમાં ફેપાર 3 કરોડ રૂપિયાથી ઓછી થાપણો પર લાગુ થશે અને તે થાપણ મુદત અને ગ્રાહકના પ્રકાર પર આધારિત છે. 7 થી 45 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે 3 ટકા વ્યાજદર મળશે. તો સામાન્ય નાગરિકો માટે સૌથી ઉંચો થાપણદર 6.60 ટકા છે, જે 2 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થાય છે. તો આ મુદ્દતની સમાન સમયગાળાની બેન્ક એફડી પર વરિષ્ઠ નાગરિકોને 7.10% સુધી વ્યાજદર મળશે.

Advertisment
  • Jun 10, 2025 16:02 IST

    માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ, બેન્કિંગ અને રિયલ્ટી શેર તૂટ્યા

    મંગળવારે બેન્કિંગ અને રિયલ્ટી શેર તૂટ્યા હતા. બેન્ક નિફ્ટી 210 પોઇન્ટ અને બેન્કેક્સ ઇન્ડેક્સ 85 પોઇન્ટ ઘટી બંધ થયો છે. રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઇ પર 1805 શેર ઘટીને બંધ રહેવાની સામે 2232 શેર વધીને બંધ રહેતા માર્કેડ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. બીએસઇની માર્કેટકેપ વધીને 455.40 લાખ કરોડ રૂપિયા થઇ હતી.



  • Jun 10, 2025 15:56 IST

    શેરબજાર ચાર દિવસની તેજી બાદ ઘટીને બંધ

    શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી ચાર દિવસ બાદ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટી 82391 જ્યારે નિફ્ટી માત્ર 1 પોઇન્ટ વધી 25104 બંધ થયો છે. સેન્સેક્સની વિકસી એક્સપાયરીના દિવસે બેન્કિંગ શેર તૂટ્યા છે જ્યારે આઈટી શેરમાં તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયા છે.



  • Jun 10, 2025 14:04 IST

    Motorola Edge 60 ભારતમાં લોન્ચ: 5500mAh મોટી બેટરી અને 50MP કેમેરા, ઓછી કિંમત, જાણો શું છે ખાસ?

    Motorola Edge 60 Launched in India: Motorola Edge 60 કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તેને 12GB સુધીની રેમ, એન્ડ્રોઇડ 15 અને 50MP કેમેરા અને 5500mAh મોટી બેટરી જેવી સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ...સંપૂર્ણ માહિતી



  • Jun 10, 2025 13:47 IST

    અદાણી પાવર શેર 8 ટકા ઉછળ્યો, સતત 5માં દિવસ તેજી

    સેન્સેક્સના ફ્લેટ ટ્રેડિંગ વચ્ચે અદાણી પાવર શેરનો ભાવ આજે 8 ટકા ઉછળી 610 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. હાલ આ શેર 600 રૂપિયા ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. અદાણી પાવરનો શેર સતત પાંચમાં દિવસ વધ્યો છે. માર્ચ ક્વાર્ટર 2025માં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 5 ટકા ઘટીને 25992 કરોડ રૂપિયાથયો છે. આ દરમિયાન ચોખ્ખું વેચાણ 6.5 ટકા ધીને 142374 કરોડ રૂપિયા છે. નબળાં પરિણામ વચ્ચે પણ અદાણી પાવરનો શેર વધી રહ્યો છે. નોંધનિય છેકે, પાછલા એક વર્ષમાં અદાણી પાવરનો શેર 21 ટકા તૂટ્યો હતો.



  • Jun 10, 2025 11:47 IST

    ICICI બેન્કે થાપણદર ઘટાડ્યા

    આઈસીઆઇસીઆઈ બેંકે થાપણદર 0.25 ટકા ઘટાડ્યા છે. આ નવા થાપણદર 10 જૂનથી લાગુ થશે. થાપણદરમાં ફેપાર 3 કરોડ રૂપિયાથી ઓછી થાપણો પર લાગુ થશે અને તે થાપણ મુદત અને ગ્રાહકના પ્રકાર પર આધારિત છે. 7 થી 45 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે 3 ટકા વ્યાજદર મળશે. તો સામાન્ય નાગરિકો માટે સૌથી ઉંચો થાપણદર 6.60 ટકા છે, જે 2 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થાય છે. તો આ મુદ્દતની સમાન સમયગાળાની બેન્ક એફડી પર વરિષ્ઠ નાગરિકોને 7.10% સુધી વ્યાજદર મળશે.



  • Jun 10, 2025 11:46 IST

    સેન્સેક્સ અને નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ

    બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 82445 સામે મંગળવારે 198 પોઇન્ટ વધીને 82643 ખુલ્યો હતો. જો કે બેન્કિંગ અને ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્તા સેન્સેક્સ 82240 સુધી તૂટ્યો હતો. અલબત્ત આઈટી અને ટેક્નોલોજી સ્ટોકમાં તેજીથી માર્કેટ નીચા સ્તરેથી રિકવર થઇ 82480 લેવલ આસપાસ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25103 સામે આજે 25196 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 22 પોઇન્ટ વધીને 25125 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.



સોનું ચાંદી બિઝનેસ શેર બજાર