પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માનું રાજીનામું, બોર્ડની સદસ્યતા પણ છોડી

Vijay Shekhar Sharma : પેટીએમએ સ્ટોક એક્સચેંજને માહિતી આપી છે કે વિજય શેખર શર્માએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Vijay Shekhar Sharma : પેટીએમએ સ્ટોક એક્સચેંજને માહિતી આપી છે કે વિજય શેખર શર્માએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Share Market: આ શેર માં રોકાણકારોના લાખના બાર હજાર થયા, બ્રોકરેજ હાઉસે ચેતવણી સાથે ટાર્ગેટ પ્રાઇઝ ઘટાડ્યો

પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માનું રાજીનામું (Express Photo by Amit Mehra)

Paytm Vijay Shekhar Sharma : પેટીએમ પેમેન્ટ બેંક સતત મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન પેટીએમ પેમેન્ટ બેંકના ચેરપર્સન વિજય શેખર શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પેટીએમએ સ્ટોક એક્સચેંજને માહિતી આપી છે કે વિજયે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્ટોક એક્સચેંજ ફાઇલિંગમાં જણાવાયું છે કે વન 97 કમ્યુનિકેશન્સ લિમિટેડે પેટીએમ પેમેન્ટ બેંક બોર્ડમાંથી વિજયે પોતાનું નોમિની પર્સન પરત લઇ લીધું છે.

Advertisment

પેટીએમ પેમેન્ટ બેંકે હવે નવા બોર્ડની રચના કરી

આ ઉપરાંત વિજય શેખર શર્માએ પાર્ટ ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડના પદેથી પણ રાજીનામું આપી દીધું છે. જાણકારી મુજબ પેટીએમ પેમેન્ટ બેંકે હવે નવા બોર્ડની રચના કરી છે. નવા બોર્ડમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત આઈએએસ દેબેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોકકુમાર ગર્ગ અને નિવૃત્ત આઈએએસ રજની સેખરી સિબ્બલનો સમાવેશ થાય છે.

આરબીઆઈએ 31 જાન્યુઆરીએ નિર્દેશ આપ્યો હતો કે તે 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, વોલેટ, ફાસ્ટેગ અને અન્ય ઉપકરણોમાં જમા કે ટોપ-અપ સ્વીકારવાનું બંધ કરી દે. કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે એક વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સના વેરિફિકેશન રિપોર્ટમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ તરફથી માર્ગદર્શિકાનું પાલન ન કરવાના સંકેત મળ્યા છે.

આ પણ વાંચો - ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર વધુ કેશબેક જોઇએ છે, આ બાબત ધ્યાનમાં રાખવાથી થશે ફાયદો

Advertisment

આરબીઆઈએ કેટલીક નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી

આ પહેલા ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલી કેટલીક નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક 15 માર્ચ 2024 પછી તેના ગ્રાહક ખાતાઓ અને વોલેટ્સમાં વધુ ક્રેડિટ સ્વીકારી શકશે નહીં. આમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા સંચાલિત '@paytm' હેન્ડલનો ઉપયોગ કરીને યુપીઆઈ ગ્રાહકો દ્વારા અવિરત ડિજિટલ ચુકવણીની ખાતરી કરવા અને બહુવિધ ચુકવણી એપ્લિકેશન સેવા પ્રદાતાઓ સાથે યુપીઆઈ સિસ્ટમમાં ચાલી રહેલા જોખમને ઘટાડવાનો સમાવેશ થાય છે.

વિવાદોમાં સપડાયા બાદ પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સે તાજેતરમાં જ તેનું નોડલ એકાઉન્ટ પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાંથી બદલીને એક્સિસ બેંકમાં કરી દીધું છે. આ પગલાથી પેટીએમ ક્યૂઆર, સાઉન્ડબોક્સ, કાર્ડ મશીન સાથે જોડાયેલી સેવાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલી 15 માર્ચની તારીખ પછી પણ ચાલુ રાખી શકાશે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ