વોડાફોન આઈડિયાના 16 કરોડથી વધારે ગ્રાહકોને લાગી શકે છે મોટો ઝટકો? જાણો શું કહ્યું કંપનીએ

Vodafone Idea : વોડાફોન આઈડિયાએ કહ્યું છે કે તે સરકારના સમર્થન વિના નાણાકીય વર્ષ 2025-2026થી આગળ કામ કરી શકશે નહીં.

Vodafone Idea : વોડાફોન આઈડિયાએ કહ્યું છે કે તે સરકારના સમર્થન વિના નાણાકીય વર્ષ 2025-2026થી આગળ કામ કરી શકશે નહીં.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Vodafone idea, Vodafone, idea

વોડાફોન-આઈડિયા

Vodafone Idea will not work after FY 2026 : દેવામાં ડુબેલી ટેલિફોન કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ નાદાર થઇ જાય તેવી સંભાવના છે. વોડાફોન આઈડિયાએ કહ્યું છે કે તે સરકારના સમર્થન વિના નાણાકીય વર્ષ 2025-2026થી આગળ કામ કરી શકશે નહીં. સીએનબીસી-ટીવી 18ના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. કંપનીએ અહેવાલ મુજબ જણાવ્યું હતું કે જો તેને સરકાર તરફથી ટેકો નહીં મળે તો તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં જશે.

Advertisment

ઉલ્લેખનીય છે કે વોડાફોન-આઈડિયા પર સ્પેક્ટ્રમની બાકી રકમ માટે સરકાર પર 1.95 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જો વોડાફોન-આઈડિયા નાદાર થઈ જશે તો સરકાર સ્પેક્ટ્રમ વેચાણના 1.18 લાખ કરોડ રૂપિયાના બાકી લેણાંની વસૂલાત નહીં કરી શકે. ઇક્વિટી કન્વર્ઝન બાદ હવે વોડાફોન-આઇડિયામાં સરકારનો 49 ટકા હિસ્સો છે.

કંપનીએ કહ્યું છે કે સરકારનું ઇક્વિટી કન્વર્ઝન અને ઇક્વિટી ઇન્ફ્યુઝન 26,000 કરોડ રૂપિયા હોવા છતાં તેને બેન્કો તરફથી કોઇ સપોર્ટ મળ્યો નથી.

વોડાફોન-આઈડિયાએ સુપ્રીમ કોર્ટની મદદ માંગી

આ પહેલા ગુરુવારે વોડાફોન આઈડિયાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને પોતાની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) અને સ્પેક્ટ્રમની બાકી રકમ પર વધુ રાહતની માંગ કરી હતી. સીએનબીસી-ટીવી18ના રિપોર્ટ અનુસાર કંપની પેનલ્ટી અને વ્યાજના કારણે 30,000 કરોડ રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ માંગી રહી છે.

Advertisment

આ પણ વાંચો - જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહિને 5000 રૂપિયા જમા કરાવો છો, મેચ્યોરિટી પર આટલા લાખ રૂપિયા મળશે

વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે એજીઆરના નિર્ણય દ્વારા લાદવામાં આવેલી અવરોધોને કારણે સરકાર રાહત આપવામાં અસમર્થ" છે. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે એજીઆર અને સ્પેક્ટ્રમની બાકી નીકળતી રકમને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા પછી સરકાર હવે 49 ટકા હિસ્સા સાથે કંપનીમાં અસરકારક રીતે "ભાગીદાર" છે.

તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો 6.56 ટકા હિસ્સો ધરાવે છે, જોકે કોઈ પણ વ્યક્તિગત રોકાણકાર 1 ટકાથી વધુ હિસ્સો ધરાવતો નથી. કંપની પાસે 59 લાખથી વધુ નાના શેરહોલ્ડરો છે જેમની પાસે 2 લાખ રૂપિયા સુધીની અધિકૃત શેર મૂડી છે.

કેન્દ્ર સરકાર બિઝનેસ