scorecardresearch

અગ્નિપથ અંતર્ગત સેનાની ભરતી પ્રક્રિયા બદલાઇ, ભીડ ઓછી કરવા માટે શારીરિક કસોટી પહેલા આપવી પડશે ઓનલાઇન પરીક્ષા

Agnipath recruitment rally : જૂનિયર કમીશંડ ઓફિસર (JCO) અને બીજી રેન્ક (OR)માં ભરતી માટે યુવાઓને હવે શારીરિક પરીક્ષા રેલી પહેલા ઓનલાઇન કોમન ઇન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે.

Agnipath Scheme, Agnipath recruitment rally, agniveer
પ્રતિકાત્મક તસવીર

ભારતીય સેનાએ અગ્નિપથ અંતર્ગત યુવાનોને ભરતી કરવાની પ્રક્રિયામાં મહત્વના ફેરફાર કર્યા છે. બેંગ્લુરુમાં મુખ્યાલય ભરતી ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ મેજર જનરલ પી રમેશએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જૂનિયર કમીશંડ ઓફિસર (JCO) અને બીજી રેન્ક (OR)માં ભરતી માટે યુવાઓને હવે શારીરિક પરીક્ષા રેલી પહેલા ઓનલાઇન કોમન ઇન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. આ પરીક્ષાનું મુખ્ય હેતુ રિક્રૂટમેન્ટ રેલી અંતર્ગત ઉમેદવારોની ભારે ભીડને રોકવાનું છે. કમ્પ્યુટર આધારિત સીઈઈ દેશ ભરમાં 176 સ્થળો પર આયોજીત કરવામાં આવશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન 16 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ખુલ્લું રહેશે.

શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોની ભરતી રેલીમાં બોલાવવામાં આવશે

મેજર જનરલ પી રમેશના જણાવ્યા પ્રમાણે ઉમેદવારોને હવે ઓનલાઇન કોમન ઇન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. અહીં શોર્ટલિસ્ટેડ થયા પછી તેમને રિક્રૂટમેન્ટ રેલીમાં બોલાવવામાં આવશે. જ્યાં તેમનો ફિટનેસ ટેસ્ટ થશે. અંતિમ તબક્કામાં તેમને રેલી સ્થળ ઉપર મેડિકલ ટેસ્ટ માટે આવવાનું રહેશે. 2022માં ઉમેદવારોને પહેલા દેશના વિવિધ સ્થળો ઉપર ભરતી રેલીમાં ભાગ લેવાનો રહેતો હતો. પરંતુ માત્ર શોર્ટલિસ્ટ કરવામાં આવેલા મેડિકલી ફિટ ઉમેદવારોને જ ઓનલાઇન કોમન ઇન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવતી હતી.

ફેરફારોથી વહીવટી સમસ્યાઓ પણ ઓછી થશે

રમેશે જણાવ્યું હતું કે, “બદલેલી પ્રક્રિયા ભરતી દરમિયાન ઉન્નત જ્ઞાનાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પરિણામે સમગ્ર દેશમાં વ્યાપક અને સારી પહોંચ મળશે. તે રેલીઓમાં ભરતી થનારી વિશાળ ભીડને પણ ઘટાડશે અને ઓછી વહીવટી વ્યવસ્થા હશે.

દલાલો દ્વારા ગેરમાર્ગે ન દોરવા સલાહ આપવામાં આવી છે

તેમણે કહ્યું “પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત હશે, ઉમેદવારો માટે દેખાવા માટે સરળ હશે અને દેશની વર્તમાન તકનીકી પ્રગતિ સાથે સુમેળમાં હશે. ઉમેદવારોને લાગશે કે પ્રક્રિયા ન્યૂનતમ હસ્તક્ષેપ સાથે સંપૂર્ણપણે સ્વચાલિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ દલાલોનો શિકાર ન બને કારણ કે તેઓ તેમને કોઈપણ રીતે મદદ કરી શકતા નથી. ભારતીય સેનામાં ભરતી સંપૂર્ણપણે ન્યાયી અને યોગ્યતાના આધારે થાય છે.

રમેશે કહ્યું “ભારતીય સેનામાં જોડાવા માટે બનાવેલી વેબસાઈટ પર મોક ટેસ્ટ પેપર અપલોડ કરવામાં આવ્યા છે. આનાથી ઉમેદવારો પરીક્ષા માટે પ્રેક્ટિસ કરી શકશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઈન CEE માં તેમના પ્રદર્શનના આધારે ભરતી રેલીઓ માટે બોલાવવામાં આવશે. ભરતી રેલીઓની પ્રક્રિયા પહેલા જેવી જ છે. અંતિમ મેરિટ CEE પરિણામો અને શારીરિક કસોટીના સ્કોર્સ પર આધારિત હશે.

Web Title: Agnipath recruitment rally agniveer online exam indian army jobs

Best of Express