Tips for Students, બોર્ડ પરીક્ષા ટીપ્સ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની એકાગ્રતા વધારવા માટે અપનાવો આ સરળ ટીપ્સ

Board exam tips, બોર્ડ પરીક્ષા ટીપ્સ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં તણાવ વધી જતો હોય છે જેના પગલે વિદ્યાર્થીઓ પરીક્ષામાં એકાગ્રતા ગુમાવે છે. આ માટે વિદ્યાર્થીઓએ આપેલા સરળ ઉપાયથી તણાવ દૂર કરીને એકાગ્રતા મેળવી શકે છે.

Board exam tips, બોર્ડ પરીક્ષા ટીપ્સ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં તણાવ વધી જતો હોય છે જેના પગલે વિદ્યાર્થીઓ પરીક્ષામાં એકાગ્રતા ગુમાવે છે. આ માટે વિદ્યાર્થીઓએ આપેલા સરળ ઉપાયથી તણાવ દૂર કરીને એકાગ્રતા મેળવી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
board Exam tips for students

બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ટીપ્સ - પ્રતિકાત્મક તસવીર- photo- freepik

Board Exam tips, Tips for Students, બોર્ડ પરીક્ષા ટીપ્સ : ગુજરાતમાં આગામી 11 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે. આ ઉપરાંત ઘણા રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકવું સમાન્ય બાબત છે. આ ઉપરાંત સારા પરિણામો મેળવવા માટે બાળકોએ તેમના અભ્યાસનો સમયગાળો પણ વધાર્યો છે.

Advertisment

પરંતુ શું તમે પણ વસ્તુઓને યાદ કર્યા પછી તરત જ ભૂલી જાઓ છો અથવા તમે લાંબા સમય સુધી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી? વાસ્તવમાં આ એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે મોટાભાગના બાળકો પરેશાન રહે છે. પરંતુ હવે તમારે આ વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી.

બોર્ડ પરીક્ષા ટીપ્સ : અભ્યાસની સાથે સાથે કરો આ કામ

બોર્ડની પરીક્ષાના સમયે બાળકો પર અભ્યાસનો બોજ આવવા લાગે છે. આવી સ્થિતિમાં પરીક્ષાના સમયે અભ્યાસમાં તણાવ ન લેવો જોઈએ. બાળકો માટે થોડીક વાતોનું ધ્યાન રાખો. જેમાં તેણે અભ્યાસ માટેનો સમય નક્કી કરવાનો રહેશે. અભ્યાસની સાથે બાળકોએ થોડી કસરત પણ કરવી જોઈએ. ધ્યાન કરો અને રમતો રમો, પરંતુ ઘરની બહાર રમતો પર ધ્યાન આપો, જે માનસિક અને શારીરિક બંને વિકાસમાં મદદ કરશે.

આ પણ વાંચોઃ- બોર્ડ પરીક્ષા ટીપ્સ : ધો. 10 અને ધો. 12 પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓના માતા પિતાએ આટલું રાખવું ધ્યાન

Advertisment

વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનથી દૂર રહેવું

પરીક્ષાના સમયે બાળકોએ ખાસ કરીને મોબાઈલ ફોનથી દૂર રહેવું જોઈએ કારણ કે આજના સમયમાં મોબાઈલ ફોન એટલો ડીજીટલ અને એડવાન્સ થઈ ગયો છે કે તે તમારા મનની એકાગ્રતામાં ખલેલ પહોંચાડશે. તમને ક્યાંક વધુ તણાવ રહેશે. કારણ કે કેટલીક એવી વસ્તુઓ તમારા મોબાઈલમાં જોવા મળશે, જે તમારો તણાવ પણ વધારી શકે છે.

કસરત કરવી વધુ સારી

આવી સ્થિતિમાં, બાળકો માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાને બદલે કેટલીક રમતો રમવી અને કસરત કરવી વધુ સારું છે. આ સાથે તણાવને ધ્યાનમાં રાખીને તમારી ખાનપાનનું ધ્યાન રાખો. જેથી કરીને તમે ઉર્જાવાન રહી શકો. આ માટે બાળકોએ વધુ શાકભાજી અને ફળો ખાતા રહેવું જોઈએ.

ગુજરાત બોર્ડ પરીક્ષા પરીક્ષા કરિયર ટીપ્સ કરિયર