દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવામાં આવશે, આ શાળાઓમાં 4,000થી વધુ નોકરીઓ ઉભી થશે

Kendriya Vidyalayas : કેન્દ્રની મોદી સરકારે શિક્ષણ અને રોજગાર ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારનો આ નિર્ણય માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ રોજગાર ક્ષેત્રમાં પણ નવી તકો ઊભી કરશે

Kendriya Vidyalayas : કેન્દ્રની મોદી સરકારે શિક્ષણ અને રોજગાર ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારનો આ નિર્ણય માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ રોજગાર ક્ષેત્રમાં પણ નવી તકો ઊભી કરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Cabinet gives approval to 57 new Kendriya Vidyalayas

બુધવારે કેન્દ્રીય કેબિનેટે દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી

Kendriya Vidyalayas : કેન્દ્રની મોદી સરકારે શિક્ષણ અને રોજગાર ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારનો આ નિર્ણય માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ રોજગાર ક્ષેત્રમાં પણ નવી તકો ઊભી કરશે.

Advertisment

રાજ્ય સરકારો હેઠળ 50 શાળાઓ હશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય વિશે માહિતી આપી હતી કે દેશમાં જે 57 નવી કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે તેમાંથી 7 શાળાઓ કેન્દ્ર સરકાર હેઠળ હશે અને બાકીની શાળાઓ રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ શાળાઓ ખોલવાથી 86,640 થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

સરકારનો ખર્ચ કેટલો થશે?

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં દેશમાં 1288 કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત છે. તેમણે કહ્યું કે દેશમાં 57 નવી KV શાળાઓની સ્થાપના પર કુલ 5,862.55 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રકમ વર્ષ 2026-27થી આગામી નવ વર્ષમાં ખર્ચવામાં આવશે. આમાં 2,585.52 કરોડ રુપિયાનો મૂડીગત ખર્ચ અને રૂ.3,277.03 કરોડના ઓપરેટિંગ ખર્ચનો સમાવેશ થાય છે.

નવી શાળાઓ ક્યાં ખુલશે?

સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ 7 શાળાઓ ગૃહ મંત્રાલય હેઠળ રહેશે જ્યારે 50 શાળાઓ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો હેઠળ હશે. 20 શાળાઓ એવા જિલ્લાઓમાં ખોલવામાં આવશે જ્યાં હજી સુધી કોઈ કેન્દ્રીય વિદ્યાલય નથી અને ત્યાં મોટી સંખ્યામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ રહે છે.

Advertisment

આ પણ વાંચો - કેનેડામાં નોકરી મેળવવાની સુવર્ણ તક! સરકાર આ છ ક્ષેત્રોમાં આપી રહી છે આમંત્રણ

મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 14 શાળાઓ, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓમાં 4 શાળાઓ અને ઉત્તર-પૂર્વ અને પર્વતીય વિસ્તારોમાં 5 શાળાઓ ખોલવામાં આવશે.

4 હજારથી વધુ નોકરીઓનું સર્જન પણ થશે

આ નવી મંજૂરી બાદ 4 હજારથી વધુ સરકારી નોકરીઓનું પણ સર્જન થશે. કેન્દ્રીય વિદ્યાલય ચલાવવા માટે સરેરાશ 81 જગ્યાઓની જરૂર પડે છે. આ પ્રમાણે 57 નવી શાળાઓમાંથી 4,617 કાયમી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. બાંધકામ અને અન્ય પ્રવૃત્તિઓમાંથી હજારો હંગામી નોકરીઓ પણ પૂરી પાડવામાં આવશે.

હાલમાં, દેશભરમાં 1,288 કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત છે, જેમાં ત્રણ વિદેશી દેશો (મોસ્કો, કાઠમંડુ અને તેહરાન) નો સમાવેશ થાય છે. આ શાળાઓમાં કુલ 13.62 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

શિક્ષણ કેન્દ્ર સરકાર india નોકરી દેશ કરિયર