/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/IT-Department-bharti.jpg)
આવકવેરા વિભાગ ભરતી - photo - Social media
income tax department recruitment 2025, આવકવેરા વિભાગ ભરતી : સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. આવકવેરા વિભાગ દ્વારા ડાટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટ ગ્રેડ બી પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઇન્કમટેક્સ વિભાગે આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા તેમજ લાયક ઉમેદવારો પાસે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
આવકવેરા વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાનું સરનામું, એપ્લિકેશન મોડ, જરૂરી સૂચનો, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
આવકવેરા વિભાગ ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | આવકવેરા વિભાગ |
| પોસ્ટ | ડાટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટ ગ્રેડ -બી |
| જગ્યા | 8 |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| વયમર્યાદા | 56 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 30 દિવસની અંદર |
| ક્યાં અરજી કરવી | આ લેખમાં આપેલા સરનામા પર અરજી કરવાની |
આવકવેરા વિભાગ ભરતી માટે પોસ્ટની વિગતો
આવકવેરા વિભાગે ડાટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટ ગ્રેડ બી ગેઝેટેડ અધિકારીની કુલ 8 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી છે. દિલ્હી, લખનૌ, હૈદરાબાદ, કાનપુર, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈમાં આ જગ્યાઓ ભરવાની છે.
આવકવેરા વિભાગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. હેન્ડ-ઓન પ્રોગ્રામિંગ અનુભવ સાથે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કાર્યમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ જરૂરી છે.
વય મર્યાદા અને પગાર ધોરણ
આ ભરતી માટે અરજી કરના ઉમેદવારની મહત્તમ ઉમંર 56 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે પગાર ધોરણની વાત કરીએ તો આ પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારને પે મેટ્રિક્સમાં પગાર સ્તર 7 મુજબ માસિક પગાર ₹44,900 થી ₹1,42,400 મળવા પાત્ર રહેશે.
અરજી કરવાનું સરનામુ
ડિરેક્ટોરેટ ઓફ ઈન્કમ ટેક્સ (સિસ્ટમ્સ), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, વગેરે. 2, ARA સેન્ટર ઝંડેવાલન એક્સટેન્શન
નોટિફિકેશન અને અરજી ફોર્મ
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત
- અધૂરી અરજીઓ અથવા યોગ્ય માધ્યમો દ્વારા પ્રાપ્ત ન થયેલી અરજીઓ ટૂંકમાં નકારી કાઢવામાં આવશે.
- ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ અરજી કરતા પહેલા તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે.
- વિભાગ કોઈપણ કારણ આપ્યા વિના ભરતી પ્રક્રિયાને રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.
- વિગતવાર માહિતી અને સત્તાવાર સૂચના માટે ઉમેદવારોને આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની લાયકાત અને અનુભવને ધ્યાનમાં રાખીને ડેપ્યુટેશનના આધારે પસંદગી કરવામાં આવશે. જો વિભાગ દ્વારા જરૂરી જણાય તો શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ અથવા વધુ મૂલ્યાંકન માટે બોલાવવામાં આવી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us