/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Job-Trands-2025-In-India.jpg)
Upcoming Job Opportunities In 2025: વર્ષ 2025માં આઈટી સેક્ટરમાં સૌથી વધુ નોકરીની તક સર્જાશે. (Photo: Freepik)
Year 2024 Job opportunities In India: નવી નોકરીઓનું એલર્ટ: 2024 સમાપ્ત થવાની તૈયારીમાં છે અને વર્ષ 2025 નોકરી વાંચ્છુકો માટે ઘણી આશા અને અપેક્ષાઓ લઇને આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આઈટી સેક્ટરમાં બમ્પર નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે. લાંબા સમયથી મંદ પડેલા આઈટી સેક્ટરના કર્મચારીઓને નવા વર્ષમાં સારા સમાચાર મળી શકે છે. જી હાં, એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2025માં ઘણી નોકરીઓ આવશે અને આઈટી સેક્ટરમાં સૌથી વધુ નવી નોકરીઓનું સર્જન થશે. ટેલેન્ટ સોલ્યુશન્સ કંપની એનએલબી સર્વિસીસના નવા રિપોર્ટ અનુસાર, 2024ના બીજા છમાસિક ગાળામાં શરૂ થયેલો સારો સમય આગળ સમયમાં પણ ચાલુ રહેશે.
લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2025માં આઈડી ઈન્ડસ્ટ્રીમાં 15થી 20 ટકા નવી ખાલી જગ્યાઓ ઉભી કરવામાં આવશે. જ્યારે સ્પેશિયલાઇઝ્ડ ટેકનોલોજી રોલ્ડમાં 30 થી 35 ટકા સુધી માંગ વધી શકે છે. સૌથી વધુ માંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સ્કિલ ધરાવતા લોકોની રહેશે.
એઆઈ એક્સપર્ટ્સ માટે નોકરીની ઉજ્જવળ તક
છેલ્લાં બે વર્ષ એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), મશીન લર્નિંગ અને ક્લોઝ જેવી નવી ટેકનોલોજીનાં રહ્યાં છે. ક્યારેક તેઓ નોકરીઓને ધમકી આપે છે તો ક્યારેક તેમના તરફથી નવી નોકરીઓ ઉભી થવાના સમાચાર પણ સામે આવ્યા છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે મશીન લર્નિંગ અને એઆઈ જેવા નવી ટેકનોલોજી એક્સપર્ટ્સની માંગ વધશે. આ ઉપરાંત નવા વર્ષમાં આ નવી ટેકનોલોજીના કારણે પરફોર્મન્સ પણ વધુ સારું થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, ફ્રેશર્સ માટે વર્ષ 2025 એક સોનેરી સમય હોઈ શકે છે, કારણ કે નવી ટેક્નોલોજી પર કંપનીઓની નિર્ભરતા વધી રહી છે. તેથી, જેમની પાસે આ નવી ટેક્નોલોજીમાં નિપુણતા છે, તેઓ નવી નોકરી મેળવવાની સંભાવનામાં વધારો કરશે.
આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે નવી ભરતીની સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કંપનીઓ નવી ટેકનોલોજી અનુસાર તેમના કર્મચારીઓને તાલીમ આપવા માટે મોટા પ્રમાણમાં રોકાણ કરી રહી છે.
આઈટી સેક્ટરમાં ભારતનું વર્ચસ્વ
આઈટી સેક્ટરમાં નોકરીના સમાચાર ભારત માટે ચોક્કસપણે રાહતરૂપ છે. સંગઠિત ક્ષેત્રમાં વ્હાઇટ કોલર નોકરીઓ પૂરી પાડવામાં આઇટી એ ભારત માટે સૌથી મોટું ક્ષેત્ર છે. કોવિડ દરમિયાન 2020-21માં આવેલી મંદીના કારણે મોટી કંપનીઓને આઈટી કંપનીઓમાંથી છૂટા કરવામાં આવ્યા હતા.
હવે વર્ષ 2025 સુધીમાં નોકરી રોજગારી મામલે સ્થિતિ સુધરવાની આશા છે. નવા વર્ષમાં કર્મચારીઓની છટણી ઘટવાની અને નવી નોકરીઓનું સર્જન વધે તેવી અપેક્ષા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us