Mughal Emperors in NCERT Class 8: NCERTની ધો.8ની પુસ્તકમાં બાબર, અકબર, ઔરંગજેબ વિશે શું જણાવ્યું?

NCERT સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં મુઘલ સમ્રાટો : NCERTના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં મુઘલ શાસક બાબરને 'ક્રૂર અને નિર્દય શાસક' તરીકે વર્ણવવામાં આવ્યો છે.

NCERT સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં મુઘલ સમ્રાટો : NCERTના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં મુઘલ શાસક બાબરને 'ક્રૂર અને નિર્દય શાસક' તરીકે વર્ણવવામાં આવ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Mughal Emperors in NCERT Class 8

NCERT ધોરણ 8 માં અકબર, ઔરંગઝેબ વિશે NCERT વર્ણન - photo- ANI

Akbar, Aurangzeb in NCERT Class 8: રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં મુઘલ શાસક બાબરને 'ક્રૂર અને નિર્દય શાસક' તરીકે વર્ણવવામાં આવ્યો છે. બાબર વિશે એવું કહેવામાં આવે છે કે તેણે ઘણા શહેરોમાં બધા લોકોને મારી નાખ્યા હતા. આ પુસ્તકને લઈને આગામી દિવસોમાં દેશમાં મોટો હોબાળો જોવા મળી શકે છે.

Advertisment

અકબરના શાસનને ક્રૂરતા અને સહિષ્ણુતાના મિશ્રણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. પુસ્તકમાં એવું પણ લખ્યું છે કે મુઘલ શાસક ઔરંગઝેબે મંદિરો અને ગુરુદ્વારાઓ તોડી પાડ્યા હતા. આ પુસ્તક મુઘલ સલ્તનત વિશે છે અને તે સમય દરમિયાન ધાર્મિક વાતાવરણ કેવું હતું તે વિશે ઘણી બાબતો કહેવામાં આવી છે.

પુસ્તક આગળ શું કહે છે?

NCERT એ કહ્યું છે કે "નોટ ઓન સમ ડાર્કર પીરિયડ્સ ઇન હિસ્ટ્રી" દ્વારા પુસ્તકમાં આ બાબતો સમજાવવામાં આવી છે. જો કે, નોંધમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ભૂતકાળની ઘટનાઓ માટે આજે કોઈને જવાબદાર ન ઠેરવવું જોઈએ. ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન પુસ્તક - 'એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયન એન્ડ બિયોન્ડ' નો ભાગ 1 આ અઠવાડિયે પ્રકાશિત થયો હતો. પહેલા તે ધોરણ 7 માં ભણાવવામાં આવતું હતું પરંતુ હવે મુઘલો અને મરાઠાઓ સાથે સંબંધિત બાબતો ફક્ત ધોરણ 8 માં જ શીખવવામાં આવશે.

'ભારતના રાજકીય નકશાનું પુનર્ગઠન' પ્રકરણમાં 13મી અને 17મી સદી વચ્ચેના ભારતના ઇતિહાસની ઘટનાઓ વર્ણવવામાં આવી છે અને તે દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ શાસન અને તેના વિરોધ અને શીખો કેવી રીતે આવ્યા તે વિશે પણ જણાવે છે. આ પુસ્તક જણાવે છે કે તે સમય દરમિયાન ગામડાઓ અને શહેરોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી અને મુઘલ સેનાએ ગામડાઓ અને શહેરોને લૂંટી લીધા હતા અને મંદિરો તોડી નાખ્યા હતા.

Advertisment

પુસ્તકના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ

અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ મલિક કાફુરે શ્રીરંગમ, મદુરાઈ, ચિદમ્બરમ અને રામેશ્વરમ જેવા હિન્દુ ધર્મના ઘણા કેન્દ્રો પર હુમલો કર્યો હતો.

મુઘલ સલ્તનત દરમિયાન, બૌદ્ધ, જૈન અને હિન્દુ મંદિરોની મૂર્તિઓ પર ઘણા હુમલા થયા હતા અને આ ફક્ત લૂંટને કારણે જ નહીં પરંતુ મૂર્તિના વિરોધમાં કરવામાં આવ્યું હતું.

પુસ્તકમાં જણાવાયું છે કે મુઘલ સલ્તનતમાં બિન-મુસ્લિમો પર જઝિયા કર લાદવામાં આવતો હતો અને આમ કરીને તેમને અપમાનિત કરવામાં આવતા હતા અને ઇસ્લામ સ્વીકારવાનું કહેવામાં આવતું હતું.

બાબર વિશે એવું કહેવામાં આવ્યું છે કે તે એક બુદ્ધિશાળી વ્યક્તિ હતો પરંતુ તે ક્રૂર પણ હતો અને તેણે ઘણા શહેરોમાં લોકોને મારી નાખ્યા હતા. તેણે બાળકો અને સ્ત્રીઓને બંધક બનાવ્યા હતા. જ્યારે ધોરણ 7 ના પુસ્તકમાં બાબર વિશે આ બધી વાતો કહેવામાં આવી નથી.

ઔરંગઝેબ વિશે એવું કહેવામાં આવ્યું છે કે તેણે બનારસ, મથુરા, સોમનાથ અને જૈન મંદિરો અને શીખ ગુરુદ્વારાઓનો નાશ કર્યો હતો.

શિવાજીએ તોડી પાડવામાં આવેલા મંદિરોનું પુનઃનિર્માણ કરાવ્યું

પુસ્તકમાં મરાઠાઓ વિશે લખવામાં આવ્યું છે કે છત્રપતિ શિવાજીએ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને તોડી પાડવામાં આવેલા મંદિરોનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

NCERT નું નિવેદન

NCERT કહે છે કે નવી પુસ્તકો નવી શિક્ષણ નીતિ 2020 અને NCF-SE 2023 ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમાં નવો અભ્યાસક્રમ, નવી ડિઝાઇન છે તેથી તેની તુલના જૂના પુસ્તકો સાથે ન કરવી જોઈએ.

એક્સપ્રેસ એક્સપ્લેન કરિયર ટીપ્સ શિક્ષણ