NEET, JEE પરિણામ 2023 : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડાના વિદ્યાર્થીઓએ વિદ્રોહના અવરોધોને દૂર કર્યા, NEET, JEE પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન

neet-jee result 2023 : છત્તીસગઢના બળવાગ્રસ્ત દંતેવાડા જિલ્લામાં એક સિદ્ધિ જોવા મળી હતી કારણ કે 68 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) અને JEE (જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કરી હતી.

neet-jee result 2023 : છત્તીસગઢના બળવાગ્રસ્ત દંતેવાડા જિલ્લામાં એક સિદ્ધિ જોવા મળી હતી કારણ કે 68 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) અને JEE (જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
NEET result 2023, jee result 2023, neet-jee result 2023

વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર

NEET, JEE Results 2023: વર્ષ 2023 માં છત્તીસગઢના બળવાગ્રસ્ત દંતેવાડા જિલ્લામાં એક સિદ્ધિ જોવા મળી હતી કારણ કે 68 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) અને JEE (જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કરી હતી. દાંતેવાડાના કલેક્ટર વિનિત નંદનવારે બાળકોને મફત શિક્ષણ આપવાના જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. વધુમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને નિષ્ણાત માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની સખત તૈયારી પૂરી પાડવામાં આવી હતી, એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

Advertisment

વિનિત નંદનવાર, કલેક્ટર, દાંતેવાડાએ જણાવ્યું હતું કે "છૂ લો આસમાન', જિલ્લામાં કાર્યરત સંસ્થા, બાલુદ અને કાર્લી ગામ ખાતે કાર્યરત છે, અહીંના 65 વિદ્યાર્થીઓએ NEET અને JEE લાયકાત મેળવી છે અને આ એક મોટી સિદ્ધિ છે," તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને તૈયારી અને પ્રશ્નો ઉકેલવા માટેની વ્યૂહરચના વિશે શીખવવામાં આવે છે,

તેમણે એવી માન્યતા વ્યક્ત કરી કે દરેક જણ બીજી તક મેળવવા માટે લાયક છે, જેના કારણે ડ્રોપઆઉટ બેચની શરૂઆત થઈ જેના પરિણામે બહુવિધ વિદ્યાર્થીઓની પસંદગી થઈ,”. નંદનવરે ઉમેર્યું હતું કે કેવી રીતે અને શું અભ્યાસ કરવો તે નક્કી કરવામાં તેમને વ્યક્તિગત રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેણે તેમને જિલ્લામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે પ્રેરિત કર્યા હતા. હાલમાં 239 વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરે છે અને 660 વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.

જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પ્રમોદ ઠાકુરે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રની સહાયથી દાંતેવાડામાં બે કોચિંગ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છોકરાઓ માટેનું કેન્દ્ર બાલુદ ગામમાં ચાલે છે, જ્યારે છોકરીઓ માટેનું કેન્દ્ર કારલી ગામમાં આવેલું છે, નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે.

Advertisment

ઠાકુરે જણાવ્યું હતું કે,અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે શિક્ષકોની નિમણૂક ઉપરાંત, NEET અને JEEની તૈયારી માટે વિષય નિષ્ણાતો પણ છે. JEE ક્વોલિફાયર સુરેશ કુમારે જણાવ્યું હતું કે તેઓ IITમાંથી CS ડિગ્રી મેળવ્યા બાદ અને લોકોની સેવા કર્યા પછી રાજકારણમાં જોડાવા માંગે છે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

છત્તીસગઢ પરીક્ષા નીટ