/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/PM-Vidya-Lakshmi-Yojana.jpg)
PM Vidya Lakshmi Yojana: પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર 10 લાખ રૂપિયા સુધીની લોન આપશે. (Photo: Freepik)
PM Vidya Lakshmi Yojana Eligibility And Benefits: પીએમ વિદ્યા લક્ષ્મી યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળથી મંજૂરી આપવામાં આવી છે. પીએમ વિદ્યા લક્ષ્મી યોજના હેઠળ ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન મળશે તે પણ ઓછા વ્યાજદર પર. સૌથી ખાસ વાત એ છે કે કોઇ પણ પ્રકારની ગેરંટી જામીનગીરી વગર લોન મળશે. અહી પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ લોન માટે કેવી રીતે અરજી કરવી, કેટલી લોન મળશે અને યોગ્યતા સહિત તમામ જાણકારી આપવામાં આવી છે.
PM Vidya Lakshmi Yojana : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ 10 લાખ સુધીની લોન
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરવાનો હેતુ NERF Rankingમાં ધરાવતી સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો છે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે જણાવ્યું કે, કેન્દ્ર દ્વાર અનુદાનિત કે 101 થી 200 NERF Rankingમાં સામેલ રાજ્ય સરકાર દ્વારા ફંડેડ અથવા 100 રેન્કની અંદર સ્થાન મેળવનાર કોઇ પણ ઉચ્ચ શૈક્ષિણક સંસ્થામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીને આ લોન મળશે.
Congratulations to our youth on the approval of the 'PM Vidyalakshmi' Scheme in the Union Cabinet today, removing a major obstacle on their path to success. By envisioning a guarantee-free and collateral-free educational loan scheme, Modi Ji has ensured that no student is… pic.twitter.com/T1tvXkOny9
— Amit Shah (@AmitShah) November 6, 2024
તેમાં દેશની 860 ટોચની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના મતે આ શૈક્ષિણક સંસ્થાઓમાં દર વર્ષ લગભગ 22 લાખ વિદ્યાર્થીઓ એડિમેશન મેળવે છે, એટલે કે આ વિદ્યાર્થીઓને પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ મેળવવાની તક મળશે.
દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીને મળશે પીએમ વિદ્યાલક્ષ્મ યોજનાનો લાભ
જો કે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ દર વર્ષે માત્ર 1 લાખ વિદ્યાર્થીઓને મળશે. તમને જણાવી દઇયે કે, કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે વર્ષ 2024-25થી 2030-31 માટે 3600 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેનો 7 લાખ વિદ્યાર્થીઓને લાભ મળવાની અપેક્ષા છે. આ યોજનામાં દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ માટે 3 ટકા વ્યાજ સબસિડી અને ઇ-વાઉચર્સ સામેલ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કેન્દ્રીય બજેટ ભાષણમાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી.
#WATCH | Delhi: On the approval of PM Vidyalaxmi scheme, UGC Chairman M Jagadesh Kumar says, "I want to thank Prime Minister Modi for approving it. Under this scheme, our students from socially and economically weaker sections will get a loan of up to Rs 7.5 lakhs. Students can… pic.twitter.com/GurSvefDIk
— ANI (@ANI) November 6, 2024
PM Vidya Lakshmi Yojana Eligibility And Benefits: પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે યોગ્યતા અને ફાયદા
- પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- આ લોન માત્ર ઉચ્ચ અભ્યાસ માટે મળશે. તેમા NERF Rankingમાં ધરાવતી સ્થાનિક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશનાર વિદ્યાર્થીને લોન મળશે.
- 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર કેન્દ્ર સરકાર પોતાની તરફથી 75 ટકા ક્રેડિટ ગેરંટી આપશે.
- 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન મળશે.
- પીએમ વિદ્યાલક્ષ્મી યોજનામાં વિદ્યાર્થીને 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા વ્યાજ રાહત મળશે.
- લોન પર આ વ્યાજ રાહત લોન પહેલાથી 4.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને મળી રહેલા સંપૂર્ણ વ્યાજ મુક્તિ ઉપરાંત હશે.
- જે વિદ્યાર્થીને અગાઉ થી અન્ય સરકારી સ્કોલરશિપ મળી રહે છે, તે પીએ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ લઇ શકશે નહીં.
- પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને લોન મળશે.
How To Apply For PM Vidya Lakshmi Yojana : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે અરજી કેવી રીતે કરવી
કેન્દ્ર સરકારની આ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એક એકીકૃત પોર્ટલ પીએમ વિદ્યાલક્ષ્મી પર ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, ફોટો, શૈક્ષણિક માર્કશીટ, સંબંધિત શૈક્ષિણક સંસ્થાનું એડમિશન લેટર અને આઈડી કાર્ડની જરૂર પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us