આજનો ઇતિહાસ 10 જૂન : વિશ્વ નેત્રદાન દિવસ; વિશ્વ ભૂગર્ભ જળ દિવસ - દુનિયામાં ભૂગર્ભ જળ સતત ઘટી રહ્યું છે

Today history 10 june : આજે 10 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ નેત્રદાન દિવસ અને વિશ્વ ભૂગર્ભ જળ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today history 10 june : આજે 10 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ નેત્રદાન દિવસ અને વિશ્વ ભૂગર્ભ જળ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
eye

વિશ્વ નેત્રદાન દિવસ દર વર્ષે 10 જૂનના રોજ ઉજવાય છે.

Today history 10 june : આજે 10 જૂન 2023 (10 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ નેત્રદાન દિવસ છે. આ દિવસ નેત્રદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને લોકોને મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેરિત કરવામાં આવે છે. આજે વિશ્વ ભૂગર્ભ જળ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (10 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

10 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1246 - નસીરુદ્દીન મુહમ્મદ શાહ દિલ્હીની ગાદી પર બેઠા.
  • 1972 - સંપૂર્ણ વાતાનુકૂલિત જહાજ હર્ષવર્ધન મુંબઈના મડગાંવ બંદરેથી પહેલીવાર રવાનું થયું.
  • 1983 - બ્રિટનમાં માર્ગારેટ થેચર ફરીથી વડાપ્રધાન બન્યા.
  • 1999 - ઇન્ડોનેશિયાના સ્વતંત્રતા તરફી નેતા જોસ રામોસ હોર્ટા દ્વારા 23 વર્ષ પછી સ્વદેશ પરત ફરવાની ઘોષણા, જીનીવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદની શરૂઆત.
  • 2001- નેપાળ રાજાની હત્યાની તપાસનો સમયગાળો ચાર દિવસ માટે લંબાવવામાં આવ્યો, બર્લુસ્કોનીને ઇટાલીના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2002 - પાકિસ્તાનના રોમમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની વર્લ્ડ ફૂડ કોન્ફરન્સે વિશ્વના બીજા સૌથી ઊંચા શિખર K-2નું નામ બદલીને 'ચોગોરી' અથવા 'શાહગોરી' કર્યું.
  • 2005 - ભારત અને શ્રીલંકામાં શિક્ષણ અને સામુદાયિક વિકાસ સંબંધિત બે કરારો પર હસ્તાક્ષર.
  • 2008 - લગે રહો મુન્નાભાઈએ 54માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. કેન્દ્ર સરકારે ત્રણેય સેવાઓ માટે 'ઇન્ટિગ્રેટેડ સ્પેસ સેલ'ની જાહેરાત કરી છે. ઉત્તર ગ્રીસમાં ઉદ્યોગ સંગઠનના પ્રમુખ જ્યોર્જ મિનોલાસનું અજાણ્યા લોકોએ અપહરણ કર્યું હતું.

આ પણ વાંચોઃ 9 જૂનનો ઇતિહાસ : બિરસા મુંડા શહીદ દિવસ, ઇન્ટરનેશનલ આર્કાઇવ ડે

વિશ્વ નેત્રદાન દિવસ

વિશ્વ નેત્રદાન દિવસ (World Eye Donation Day) દર વર્ષે 10 જૂનના રોજ ઉજવાય છે. તે નેત્રદાનના મહત્વને સમજવા અને લોકોને નેત્ર દાન માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વ નેત્રદાન દિવસનો ઉદ્દેશ નેત્રદાનના મહત્વ વિશે જનજાગૃતિ કેળવવાનો અને લોકોને મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેરિત કરવાનો છે. વિકાસશીલ દેશોમાં અંધત્વ એ મુખ્ય જન આરોગ્ય સમસ્યાઓ પૈકીની એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, મોતિયા અને ગ્લુકોમા પછી, કોર્નિયાના રોગો (કોર્નિયાને નુકસાન, જે આંખનું આગળનું સ્તર છે) દ્રષ્ટિની ખોટ અને અંધત્વના મુખ્ય કારણો પૈકીનું એક છે.

Advertisment

આ પણ વાંચોઃ 8 જૂનનો ઇતિહાસ : વિશ્વ મહાસાગર દિવસ; વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે – મગજની ગાંઠની બીમારી બની રહી છે ઘાતક

વિશ્વ ભૂગર્ભ જળ દિવસ

વિશ્વ ભૂગર્ભ જળ દિવસ દર વર્ષે 10 જૂને ઉજવાય છે. ભૂગર્ભ જળના મહત્વ, જરૂરિયાત અને સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે 10મી જૂને "વિશ્વ ભૂગર્ભ જળ દિવસ" ઉજવવામાં આવે છે. તેનો હેતુ વિશ્વના તમામ દેશોમાં સ્વચ્છ અને સલામત પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે, તેમજ જળ સંરક્ષણના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વર્ષ 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 'યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ' યોજાઈ હતી. આ દિવસે દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1993માં પ્રથમ જળ દિવસ 22 માર્ચે ઉજવવામાં આવ્યો. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ જળ દિવસ 2023 ની થીમ - Accelerating the change to solve the water and sanitation crisis - એટલે કે પાણી અને સ્વચ્છતાના સંકટને દૂર કરવા માટે ઝડપી ગતિએ ફેરફારો કરવા છે.

આ પણ વાંચોઃ 7 જૂનનો ઇતિહાસ : વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ – ભોજનનો બગાડ અટકાવો, દુનિયામાં ઘણા લોકો ભૂખમરાથી પીડિત છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગોપીનાથ બોરદોલોઈ (1890) - ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા.
  • દામોદર મેનન (1906)- ભારતના અગ્રણી સ્વતંત્રતા સેનાની.
  • રૂપકુમાર રાઠોડ - હિન્દી ફિલ્મ ગાયક.
  • શિવદિન રામ જોશી (1921) - તેમના સમયના જાણીતા કવિ.
  • પ્રિન્સ ફિલિપ (ડ્યુક ઓફ એડિનબર્ગ) (1921) - યુનાઇટેડ કિંગડમની રાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ છે.
  • એમ.એસ. ગોપાલકૃષ્ણન (1931) - ભારતના પ્રખ્યાત વાયોલિનવાદક.
  • રાહુલ બજાજ (1938)- ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ.
  • પ્રકાશ પાદુકોણ (1955) - પ્રખ્યાત ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી.
  • અનુપ સેઠી (1958)- લેખક અને જનસેવક.
  • દેવેન્દ્ર ઝાઝરિયા (1981) - ભારતના એથ્લેટ છે.
  • બલરાજ ભલ્લા (1888)- પ્રખ્યાત ક્રાંતિકારી અને મહાત્મા હંસરાજના પુત્ર.

આ પણ વાંચોઃ 6 જૂનનો ઇતિહાસ : નેશનલ હાયર એજ્યુકેશન ડે – કોલેજની ફી તમામ વિદ્યાર્થીઓને પોસાય તેવી હોવી જોઇએ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ગિરીશ કર્નાડ (2019) - કવિ, થિયેટર કાર્યકર, વાર્તા લેખક, નાટ્યકાર, ફિલ્મ નિર્દેશક અને ફિલ્મ અભિનેતા હતા.
  • આર. વી. જાનકીરમન (2019) - પુડુચેરીના ભૂતપૂર્વ 7મા મુખ્યમંત્રી હતા.
  • જીવન (1987) - હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કલાકાર હતા.
  • ભાઈ વીર સિંહ (1957)- આધુનિક પંજાબી કવિતા અને ગદ્યના પ્રખ્યાત સર્જક હતા.

આ પણ વાંચોઃ 5 જૂનનો ઇતિહાસ : વિશ્વ પર્યાવરણ દિવસ; ઓપરેશન બ્લુ સ્ટારની 39મી વરસી, જે ઇન્દિરા ગાંધી માટે ઘાતક સાબિત થયુ

આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge કરિયર