આજનો ઇતિહાસ 12 જૂન: વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ – બાળ મજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ

Today history 12 june : આજે 12 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : January 30, 2024 18:03 IST
આજનો ઇતિહાસ 12 જૂન: વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ – બાળ મજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ
વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ

Today history 12 june : આજે 12 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ છે. ભારત સરકાર 14 વર્ષથી નાના બાળકોને મજૂરી પર રાખવા પ્રતિબંધ મૂક્યો છે. આજે ભારતના પ્રખ્યાત સિવિલ એન્જિનિયર. કોંકણ રેલવે અને દિલ્હીમાં મેટ્રો રેલનો શ્રેય જેમને આપવામાં આવે છે તેવા ઇ. શ્રીધરન અને હિન્દી ફિલ્મ અભિનેત્રી પદ્મિનીનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

12 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1987 – બ્રિટનની ચૂંટણીમાં માર્ગારેટ થેચરની ત્રીજી વખત ઐતિહાસિક જીત.
  • 1998 – ભારત અને પાકિસ્તાનને પરમાણુ પરીક્ષણને કારણે G-8 દેશોએ લોન ન આપવાનો નિર્ણય કર્યો.
  • 1999 – પાકિસ્તાનના સંરક્ષણ બજેટમાં લગભગ 11 ટકાનો વધારો થયો, ઇસ્ટ તિમોરની માટે ‘મિશન’ હેતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મંજૂરી.
  • 2001- ભારત-બાંગ્લાદેશ વચ્ચે સરહદ મુદ્દે વાતચીત શરૂ થઈ.
  • 2002 – સ્વીડન સાથેની મેચ ડ્રો થયા બાદ આર્જેન્ટિના વર્લ્ડ કપ ફૂટબોલમાંથી બહાર થઈ ગયું.
  • 2004 – સવાન્નાહ (જ્યોર્જિયા)માં ગ્રુપ-8 કોન્ફરન્સ યોજાઈ. અમેરિકી રાષ્ટ્રપતિ બુશે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-II સાથે સીધી વાતચીતની ઓફરને ઠુકરાવી દીધી છે.
  • 2007 – કેનેડામાં યોજાનારી બાયોલોજી ઓલિમ્પિયાડમાં ચાર ભારતીયોની પસંદગી. ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં શીખ વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રતીક કિરપાન રાખવાની છૂટ આપવામાં આવી હતી.
  • 2008 – સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશને વર્ષ 2009 માટે 6ઠ્ઠી SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપની યજમાની સોંપી. જાણીતા ફિલ્મ દિગ્દર્શક મૃણાલ સેનનું 10મા ઓસિયાના સિનેફેન ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન કરવામાં આવ્યું હતું.
  • 2016- સાઈના નેહવાલે બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું.

આ પણ વાંચોઃ 11 જૂન : ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલની જન્મતિથિ, અલ્હાબાદ હાઇકોર્ટનો સ્થાપના દિવસ

વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ

વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ (World Day Against Child Labour) દર વર્ષે 12 જૂને ઉજવવામાં આવે છે. બાળ મજૂરીની સમસ્યા ભારતમાં દાયકાઓથી પ્રચલિત છે. ભારત સરકારે બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે પગલાં લીધાં છે. ભારતીય બંધારણની કલમ 23 જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. ભારતની કેન્દ્ર સરકારે 1986માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ મુજબ, બાળ મજૂર તકનીકી સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણ મુજબ જોખમી ઉદ્યોગોમાં બાળકોને રોજગાર આપવા પર પ્રતિબંધ છે. 1987માં રાષ્ટ્રીય બાળ મજૂરી નીતિ ઘડવામાં આવી હતી. બાળ મજૂરી એ માનવ અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તે બાળકોના માનસિક, શારીરિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક હિતોને અસર કરે છે.

આ પણ વાંચોઃ 10 જૂનનો ઇતિહાસ : વિશ્વ નેત્રદાન દિવસ; વિશ્વ ભૂગર્ભ જળ દિવસ – દુનિયામાં ભૂગર્ભ જળ સતત ઘટી રહ્યું છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગીતાંજલિ શ્રી (1957) – હિન્દીના જાણીતા વાર્તા લેખક અને નવલકથાકાર છે.
  • નરેન્દ્ર સિંહ તોમર (1957) – ભારતીય જનતા પાર્ટીના પ્રખ્યાત રાજકારણી.
  • સૂરજ બાઈ ખાંડે (1949) – છત્તીસગઢના પ્રખ્યાત ભરતરી ગાયક હતા.
  • બંડારુ દત્તાત્રેય (1947) – ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા.
  • શ્યામા (1935) – ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી.
  • ઇ. શ્રીધરન (1932) – ભારતના પ્રખ્યાત સિવિલ એન્જિનિયર. કોંકણ રેલવે અને દિલ્હીમાં મેટ્રો રેલનો શ્રેય તેમને જાય છે.
  • પદ્મિની (1932) – હિન્દી, તમિલ અને મલયાલમ ફિલ્મ અભિનેત્રી.
  • જયશ્રી તલપડે – મરાઠી અભિનેત્રી (શરમાળ).
  • સી.કે. નાગરાજા રાવ (1915) – કન્નડ લેખક, નાટ્યકાર, રંગમંચ કલાકાર, દિગ્દર્શક, પત્રકાર અને સામાજિક કાર્યકર હતા.

આ પણ વાંચોઃ 9 જૂનનો ઇતિહાસ : બિરસા મુંડા શહીદ દિવસ, ઇન્ટરનેશનલ આર્કાઇવ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સી. નારાયણ રેડ્ડી (2017) – જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત, તેલુગુ ભાષાના પ્રખ્યાત કવિ હતા.
  • જલગામ વેંગલા રાવ (1999) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, જેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
  • નીલોફર (રાજકુમારી) (1989) – તુર્કીના ઓટ્ટોમન શાહી વંશની છેલ્લી રાજકુમારી હતી.
  • પી.બી. ગજેન્દ્રગડકર (1981) – ભારતના ભૂતપૂર્વ સાતમા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • ગોપીનાથ કવિરાજ (1976) – સંસ્કૃત વિદ્વાન અને મહાન તત્વચિંતક.
  • શ્રી ડી.જી. તેંડુલકર (1972) – મહાત્મા ગાંધીના જીવનચરિત્રના લેખક.
  • પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે (2000) – એક લોકપ્રિય મરાઠી લેખક, નાટ્યકાર, હાસ્યકાર, અભિનેતા, વાર્તાકાર અને પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક, સંગીતકાર અને ગાયક હતા.

આ પણ વાંચોઃ 8 જૂનનો ઇતિહાસ : વિશ્વ મહાસાગર દિવસ; વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે – મગજની ગાંઠની બીમારી બની રહી છે ઘાતક

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ