આજનો ઇતિહાસ 12 નવેમ્બર : આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ અને રાષ્ટ્રીય પક્ષી દિવસ છે; ભારતના પક્ષી માનવ કોને કહેવાય છે?

Today History 12 Navember : આજે 12 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના પક્ષી માનવ તરીકે ઓળખાતા સલીમ અલીનો જન્મદિન, જેને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today History 12 Navember : આજે 12 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના પક્ષી માનવ તરીકે ઓળખાતા સલીમ અલીનો જન્મદિન, જેને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
New Update
Today history | 12 navember navember history | World Pneumonia Day | pneumonia disease

ન્યુમોનિયા એ જીવલેણ બીમારી છે. 12 નવેમ્બરે વિશ્વ ન્યુમોનિયા દિવસ ઉજવાય છે. (Photo - Freepik)

Today History 12 Navember : આજે 12 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના પ્રખ્યાત પક્ષી નિષ્ણાંત સલીમ અલીનો જન્મદિન છે, જેમને ભારતના પક્ષી માનવ તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મદિનના માનમાં આ તારીખે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવાય છે. આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ છે. ફેફસાંની ગંભીર બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવવામાં આવે છે. દુનિયામાં માનવ મૃત્યુના સામાન્ય કારણોમાં ન્યુમોનિયાનો પણ સમાવેશ થાય છે. આજે ભારતના બાળ રોગના નિષ્ણાંત ડોક્ટર દિલીપ મહલાનબીસનો જન્મદિન છે. તેઓ ઝાડાના રોગોની સારવાર માટે ORSનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

12 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1781 - અંગ્રેજોએ નાગાપટ્ટિનમ પર કબજો કર્યો.
  • 1847 - બ્રિટીશ ચિકિત્સક સર જેમ્સ યંગ સિમ્પસને એનેસ્થેસિયાની દવા તરીકે પ્રથમ વખત ક્લોરોફોર્મનો ઉપયોગ કર્યો.
  • 1918 - ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક બન્યું.
  • 1925 - અમેરિકા અને ઇટાલીએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1930 - લંડનમાં પ્રથમ વખત ગોળમેજી પરિષદ શરૂ થઈ. તેમાં 56 ભારતીય અને 23 બ્રિટિશ પ્રતિનિધિઓએ ભાગ લીધો પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોઈ સભ્યએ હાજરી આપી ન હતી.
  • 1936 - કેરળના મંદિરો તમામ હિન્દુઓ માટે ખોલવામાં આવ્યા.
  • 1953 - ઇઝરાયેલના વડા પ્રધાન ડેવિડ બેન ગુરિયોને તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
  • 1956 - મોરોક્કો, સુદાન અને ટ્યુનિશિયા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
  • 1963 - જાપાનમાં ટ્રેન દુર્ઘટનામાં 164 લોકોના મોત થયા.
  • 1967 - ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન પદ રાખતા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
  • 1969 - વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી અલગ કરવાની જાહેરાત કરવામાં આવી.
  • 1974 - વંશીય નીતિઓને કારણે દક્ષિણ આફ્રિકાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું.
  • 1990 - જાપાનમાં સમ્રાટ અકિહિતોનું પરંપરાગત રાજ્યાભિષેક.
  • 1995 - નાઇજીરીયાને કોમનવેલ્થના સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું.
  • 2001 - ન્યૂયોર્કમાં અમેરિકન એરલાઇન્સનું પ્લેન ક્રેશ થતાં તેમાં સવાર તમામ 260 મુસાફરો માર્યા ગયા હતા.
  • 2002 - સંયુક્ત રાષ્ટ્રે સ્વિટ્ઝર્લેન્ડના સંઘીય માળખાના આધારે સાયપ્રસ માટે નવી શાંતિ યોજના તૈયાર કરી.
  • 2005 - ઢાકામાં 13મી સાર્ક સમિટ શરૂ થઈ. ભારતીય વડા પ્રધાને સાર્ક સમિટ દરમિયાન આતંકવાદને ખતમ કરવાની હાકલ કરી હતી.
  • 2007 - સાઉદી પ્રિન્સ અલવલીદ સુપરજમ્બો એર બસ A-380 ના પ્રથમ ખરીદનાર બન્યા.
  • 2008 - પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ K-15નું બાલાસોરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશના પ્રથમ માનવરહિત અવકાશયાન-1ને ચંદ્રની અંતિમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.
  • 2009 - ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના 'અતુલ્ય ભારત' અભિયાનને વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ-2009 એનાયત કરવામાં આવ્યો.

આ પણ વાંચો |  11 નવેમ્બરનો ઇતિહાસ : રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોન હતા?

સલીમ અલી, રાષ્ટ્રીય પક્ષી દિવસ (Salim Ali, National Bird Day)

રાષ્ટ્રીય પક્ષી દિવસ દર વર્ષે 12 નવેમ્બર ઉજવાય છે. 12 નવેમ્બરે ડો. સલીમ અલીનો જન્મદિન છે, જે વિશ્વપ્રસિદ્ધ પક્ષી નિષ્ણાંત અને પ્રકૃતિવાદી હતા. તેઓ ભારતના એક એવા વ્યક્તિ હતા જેમણે સમગ્ર ભારતભરમાં વ્યવસ્થિત રીતે પક્ષી સર્વેક્ષણ કર્યુ હતું અને પક્ષીઓ વિશે તેમણે લખેલા પુસ્તકો પક્ષી વિજ્ઞાનમાં મદદરૂપ થયાછે. ભારતમાં તેમને પક્ષી માનવના નામ ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સલીમ અલીના જન્મદિનને પક્ષી દિવસ તરીકે જાહેર કર્યો હતો. ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ જારી કરી હતી. તેમને વર્ષ 1958માં પદ્મભૂષણ અને વર્ષ 1976માં પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisment

આ પણ વાંચો | 10 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે? ભારતીય મજદૂર સંઘના સ્થાપક કોણ હતા?

વિશ્વ ન્યુમોનિયા દિવસ (World Pneumonia Day)

વિશ્વ ન્યુમોનિયા દિવસ (World Pneumonia Day) દર વર્ષે 12 નવેમ્બરે ઉજવવામાં આવે છે. ન્યુમોનિયાથી પુખ્ત વયના લોકો અને બાળકો માટે જીવલેણ બીમારી સાબિત થઇ શકે છે. વર્ષ 2019માં ન્યુમોનિયાની બીમારીથી 672,000 બાળકો સહિત 25 લાખ લોકોના મૃત્યુ થયા હતા. વર્ષ 2009માં પહેલી વખત વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ન્યુમોનિયા એ ફેફસાં (એલ્વેઓલી) અને તેમની આસપાસની પેશીઓમાં હવાની નાની કોથળીઓનો ચેપ છે. ન્યુમોનિયા એ વિશ્વભરમાં મૃત્યુના સૌથી સામાન્ય કારણો પૈકીનું એક છે. ન્યુમોનિયા એક ગંભીર બીમારી છે, ક્રોનિક રોગો ધરાવતા લોકોમાં મૃત્યુનું કારણ બને છે. કોમ્યુનિટી-એક્વાર્ડ ન્યુમોનિયા (સીએપી) ના મુખ્ય કારણભૂત એજન્ટો બેક્ટેરિયા છે, જેમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા લગભગ 50% કેસ સાથે સંકળાયેલા છે. તે વિવિધ બેક્ટેરિયા જેવા કે, સ્ટ્રેપ્ટોકોકસ નિમોનમો કારણે થાય છે. આ બીમારી ત્યારે થાય છે જ્યારે શરીર કમજોર પડી જાય છે. કોઈપણ રોગ, પોષણનો અભાવ, વૃદ્ધાવસ્થા વગેરેને કારણે બેક્ટેરિયાનો ચેપ લાગવા પર ન્યુમોનિયા થઈ શકે છે. બેક્ટેરિયલ ન્યુમોનિયા કોઇ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે.

આ પણ વાંચો | 9 નવેમ્બરનો ઇતિહાસ : આજે ઉત્તરાખંડ સ્થાપના દિન છે; રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ કેમ ઉજવાય છે?

12 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • રાજીવ સંધુ (1966) - મહાવીર ચક્રથી સમ્માનિત ભારતીય લશ્કરી અધિકારી.
  • બી. એન. સુરેશ (1943) - ભારતના પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક છે.
  • સલીમ અલી (1896) - ભારતીય પક્ષીશાસ્ત્રી અને પ્રકૃતિશાસ્ત્રી, જેમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું.
  • અમજદ ખાન (1940) - ભારતના ફિલ્મ કલાકાર.
  • દિલીપ મહલાનબીસ (1934) - ભારતના બાળરોગ ચિકિત્સક હતા જેઓ ઝાડાના રોગોની સારવાર માટે ORSનો ઉપયોગ કરવા માટે જાણીતા છે.
  • અખ્તરુલ ઈમાન (1915) - ઉર્દૂ ભાષાના અદભૂત કવિતા.

આ પણ વાંચો | 8 નવેમ્બરનો ઇતિહાસ : પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી’ને બેંકો સામે લોકોની લાંબી લાઇનો લાગી

12 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • મદન મોહન માલવિય (1946) - ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, શિક્ષણશાસ્ત્રી અને એક મહાન સમાજ સુધારક પણ હતા.
  • ભુવનેશ્વર પ્રસાદ સિંહા (1986) - ભારતના ભૂતપૂર્વ છઠ્ઠા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • લલ્લન પ્રસાદ વ્યાસ (2012) - ભારતના સમાજ સુધારક.
  • અનંત કુમાર (2018) - બેંગલુરુ દક્ષિણની લોકસભા બેઠકના સાંસદ સભ્ય હતા.
  • આસિફ બસરા (2020) - ભારતીય ફિલ્મ અભિનેતા અને ટીવી કલાકાર હતા.

આ પણ વાંચો |  7 નવેમ્બરનો ઇતિહાસ : શિશુ સુરક્ષા દિવસ;, રાષ્ટ્રીય કેન્સર સુરક્ષા દિવસ કોની યાદીમાં ઉજવાય છે?

આજના દિવસનો ઇતિહાસ જીવનશૈલી health tips knowledge કરિયર