આજનો ઇતિહાસ 13 ડિસેમ્બર: સંસદ પર કેટલા આંતકવાદીએ હુમલો કર્યો હતો, રાષ્ટ્રીય ઘોડા દિવસ કેમ ઉજવાય છે?

Today History 13 December: આજે 13 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતની સસંદ પર આંતકવાદી હુમલાની 22મી વર્ષગાંઠ અને રાષ્ટ્રીય અશ્વ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today History 13 December: આજે 13 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતની સસંદ પર આંતકવાદી હુમલાની 22મી વર્ષગાંઠ અને રાષ્ટ્રીય અશ્વ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Today History | 13 December History | 2001 Indian Parliament attack | Indian Parliament

ભારતની સંસદ પર વર્ષ 2001માં 13 ડિસેમ્બરે આંતકવાદી હુમલો થયો હતો. (Express Photo)

Today History 13 December: આજે 13 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતની સસંદ પર આંતકવાદી હુમલાની 22મી વર્ષગાંઠ છે. વર્ષ 2001માં હથિયારધારી 5 આંતકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. આજે રાષ્ટ્રીય અશ્વ દિવસ છે. વર્ષ 1961માં મન્સૂર અલી ખાન પટૌડીએ દિલ્હીમાં ઈંગ્લેન્ડ સામે તેની ટેસ્ટ મેચ કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1921માં બનારસ હિન્દુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન 'પ્રિન્સ ઓફ વેલ્સ' દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 1955માં ભારત અને સોવિયેત સંઘે પંચશીલ કરાર સ્વીકાર્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

13 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2012 - બ્લાઈન્ડ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 30 રને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
  • 2008- જમ્મુ અને કાશ્મીરના પાંચમા તબક્કા માટે 11 વિધાનસભા મતવિસ્તારોમાં 57% મતદાન થયું હતું.
  • 2007 - શ્રીલંકન આર્મી અને એલટીટીઇ વચ્ચેના સંઘર્ષમાં એલટીટીઇના 17 આતંકવાદીઓ માર્યા ગયા.
  • 2006 - વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિયેતનામને 150મા સભ્ય તરીકે સામેલ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
  • 2004 - ઈસ્લામાબાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ અને સરક્રીક પર મંત્રણા શરૂ થઈ. ચિલીના ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ ઓગસ્ટો પિનોચેટને અપહરણ અને નરસંહારના નવ ગુનામાં આરોપ મૂક્યા બાદ નજરકેદ કરવામાં આવ્યા છે.
  • 2003 - પૂર્વ ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની તેમના વતન ટિગ્રિટ નજીક ધરપકડ કરવામાં આવી.
  • 2002 - યુરોપિયન યુનિયને તુર્કી સાથે બહુપ્રતિક્ષિત કરારને મંજૂરી આપી. યુરોપિયન યુનિયન મોટું થયું. તેમાં સાયપ્રસ, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, હંગેરી, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, સ્લોવેકિયા અને સ્લોવેનિયા સામેલ હતા.
  • 2001 - દિલ્હીમાં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો. ઈઝરાયેલે યાસર અરાફાત સાથેનો સંપર્ક તોડ્યો.
  • 1998 - મહાત્મા રામચંદ્ર વીરને બડા બજાર પુસ્તકાલય, કોલકાતા તરફથી "ભાઈ હનુમાન પ્રસાદ પોદ્દાર રાષ્ટ્ર સેવા" પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
  • 1996 - કોફી અન્નાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ તરીકે ચૂંટાયા.
  • 1995 - દક્ષિણ લંડનના બ્રિક્સટનમાં પોલીસ કસ્ટડીમાં એક અશ્વેત વ્યક્તિના મૃત્યુ પછી, સેંકડો ગોરા અને અશ્વેત યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને તોડફોડ કરી અને દુકાનો અને કારને આગ ચાંપી દીધી.
  • 1989 - ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રીને આતંકવાદીઓની ચુંગાલમાંથી છોડાવવાના બદલામાં પાંચ કાશ્મીરી આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
  • 1981- પોલેન્ડમાં સૈન્ય દ્વારા સત્તા પર કબજો.
  • 1977 - માઈકલ ફરેરાએ નેશનલ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં નવા નિયમો હેઠળ 1149 પોઈન્ટનો સૌથી વધુ બ્રેક બનાવ્યો.
  • 1974 - માલ્ટા પ્રજાસત્તાક બન્યું.
  • 1961 - મન્સૂર અલી ખાન પટૌડીએ દિલ્હીમાં ઈંગ્લેન્ડ સામે તેની ટેસ્ટ મેચ કારકિર્દીની શરૂઆત કરી.
  • 1959 - આર્કબિશપ વકારિયોસ સાયપ્રસના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1955 - ભારત અને સોવિયેત સંઘે પંચશીલ કરાર સ્વીકાર્યો.
  • 1937 - ચીન અને જાપાન વચ્ચે નાનજિંગનું યુદ્ધ જાપાનીઓએ જીત્યું. આ પછી, હત્યાકાંડ અને અત્યાચારનો કહેર લાંબા સમય સુધી ચાલુ રહ્યો.
  • 1921 - બનારસ હિન્દુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન 'પ્રિન્સ ઓફ વેલ્સ' દ્વારા કરવામાં આવ્યું હતું.
  • 1921 - વોશિંગ્ટન કોન્ફરન્સ દરમિયાન, અમેરિકા, ગ્રેટ બ્રિટન, જાપાન અને ફ્રાન્સ વચ્ચે ફોર પાવર ટ્રીટી પર હસ્તાક્ષર થયા. જેમાં બે સભ્યો વચ્ચે કોઈ મોટા પ્રશ્ન પર વિવાદ થાય તો ચારેય દેશોની સલાહ લેવાની જોગવાઈ કરવામાં આવી હતી.
  • 1920 - નેધરલેન્ડના હેગ ખાતે લીગ ઓફ નેશન્સ ઓફ જસ્ટિસની આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના.
  • 1916 - ઑસ્ટ્રિયાના ટાયરોલમાં હિમપ્રપાતથી 24 કલાકમાં 10,000 ઑસ્ટ્રિયન અને ઇટાલિયન સૈનિકો માર્યા ગયા.
  • 1772 - નારાયણ રાવ સતારાના પેશ્વા બન્યા.
  • 1232 - ગુલામ વંશના શાસક ઇલ્તુત્મિશે ગ્વાલિયર પર કબજો કર્યો.

આ પણ વાંચો | 12 ડિસેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય હેલ્થ કવરેજ દિવસ; દુનિયાની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય યોજના કઇ છે?

ભારતની સસંદ પર આતંકવાદી હુમલો (2001 Indian Parliament attack)

આજે ભારતની સંસદ પર આંતકવાદી હુમલાની 22મી વર્ષગાંઠ છે. વર્ષ 2001માં 13 ડિસેમ્બરના રોજ નવી દિલ્હી, ભારતમાં ભારતની સંસદ પર આતંકવાદી હુમલો હતો. આ હુમલો પાંચ સશસ્ત્ર હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હતો અને તેના પરિણામે છ દિલ્હી પોલીસ કર્મચારીઓ, સંસદ સુરક્ષા સેવાના બે કર્મચારી અને એક માળીના મોત થયા હતા.

Advertisment

આ પણ વાંચો | 11 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ, માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ કેટલી છે અને નામ કેવી રીતે પડ્યું?

રાષ્ટ્રીય ઘોડા દિવસ (National Horse Day)

રાષ્ટ્રીય ઘોડા દિવસની દર વર્ષે દર 13 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે ઘોડાના માનવજીવનમાં આર્થિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક યોગદાનને યાદ કરવાનો દિવસ છે. આ જાજરમાન પ્રાણીના મહત્વને સમ્માનિત કરવા આ દિવસ ઉજવાય છે. વર્ષ 2004માં યુએસ કોંગ્રેસે 13 ડિસેમ્બરને રાષ્ટ્રીય ઘોડા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ભારતમાં પ્રાચીનકાળથી ઘોડા માનવ સમુદાયનો એક અભિન્ન અંગ રહ્યા છે. ભારતમાં પ્રાચીનકાળમાં રાજા મહારાજાઓ ઘોડા પર સવારી કરતા, યુદ્ધ લડતા હતા. ગુજરાતના કાઠીયાવાડી ઘોડા અને મારવાડી ઘોડા ઘણા પ્રખ્યાત છે.

આ પણ વાંચો | 10 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

13 ડિસેમ્બરની જન્મજયંતિ

  • મનોહર પર્રિકર (1955) - ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • હર્ષ વર્ધન (1954) - ભારતીય જનતા પાર્ટી નેતા.
  • આગા ખાન ચોથા (1936) - શિયા ઈમામી ઈસ્માઈલી મુસ્લિમોના 49મા ઈમામ.
  • શરદ કુમાર દીક્ષિત (1930) - ભારતીય મૂળના અમેરિકન પ્લાસ્ટિક સર્જન હતા.
  • ડી.વી.એસ. રાજુ (1928) - ભારતીય ફિલ્મ નિર્માતા હતા.
  • કમલ નારાયણ સિંહ (1926) - ભારતના ભૂતપૂર્વ 22મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • લક્ષ્મીચંદ જૈન (1925) - ભારતીય અર્થશાસ્ત્રી.
  • ઇલાચંદ્ર જોશી (1903) - હિન્દીમાં મનોવૈજ્ઞાનિક નવલકથાઓના સ્થાપક.

આ પણ વાંચો | 9 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારથી ઉજવાય છે, કરપ્શન ઇન્ડેક્સમાં ભારત ક્યા ક્રમે છે?

13 ડિસેમ્બરની પૃણ્યતિથિ

  • સ્મિતા પાટીલ (1986) - હિન્દી ફિલ્મોની પ્રખ્યાત ભારતીય અભિનેત્રી.
  • અલ્બેરુની (1048) - એક પર્શિયન વિદ્વાન, લેખક, વૈજ્ઞાનિક, ધર્મવાદી અને વિચારક.

આ પણ વાંચો | 8 ડિસેમ્બરનો ઇતિહાસ: આજે સાર્ક દિવસ છે, SAARC સંગઠનની રચના કેમ કરવામાં આવી, તેના સભ્ય દેશો કેટલા છે?

સંસદ આજના દિવસનો ઇતિહાસ knowledge કરિયર