/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/World-Radio-Day.jpg)
World Radio Day : વિશ્વ રેડિયો દિવસ (Photo - Freepik)
Today history 13 February : આજે તારીખ 13 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ રેડિયો દિવસ (World Radio Day) છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2012થી દુનિયાભરમાં વર્લ્ડ રેડિયો દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. તો અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુની (Sarojini Naidu) જન્મજયંતિ છે. તેનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સ્વરમીઠાશને કારણે તેઓ 'હિંદની બુલબુલ' કે 'ભારતની કોકીલા' તરીકે પણ ઓળખાય છે.
વધુ વાત કરીયે તો વર્ષ 1959માં આજના દિવસે બાળકીઓની પસંદગીની 'બાર્બી ડોલ'નું વેચાણ શરૂ થયુ હતુ. સેલિબ્રિટીની વાત કરીયે તો હિન્દી ફિલ્મોના અભિનેતા વિનોદ મહેરા, હાસ્ય કલાકાર રાજેન્દ્ર નાથનો આજે બર્થ ડે છે. તો શાસ્ત્રીય ગાયક ઉત્સાદ અમીર ખાંની મૃત્યુતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (13 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
13 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1542 - ઈંગ્લેન્ડની રાણી કેથરીન હવાઈને મૃત્યુદંડ આપવામાં આવ્યો.
- 1575 - રીમ્સમાં ફ્રાન્સના રાજા હેનરી તૃતિયનો રાજ્યાભિષેક.
- 1601 - લંડનમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રથમ પ્રવાસનું નેતૃત્વ લેંકાસ્ટરે કર્યું.
- 1633 - ઇટાલીના ખગોળશાસ્ત્રી ગેલિલિયો રોમ પહોંચ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી.
- વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી તેમના કેસના સંદર્ભમાં રોમ આવ્યા હતા.
- 1688 - સ્પેને પોર્ટુગલને અલગ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું.
- 1689 - વિલિયમ અને મેરીને ઈંગ્લેન્ડના સંયુક્ત શાસક જાહેર કરવામાં આવ્યા.
- 1693 - અમેરિકાના વર્જિનિયામાં વિલિયમ એન્ડ મેરીની કોલેજ ખુલ્યું.
- 1739 - નાદિરશાહની સેનાએ કરનાલના યુદ્ધમાં મુઘલ શાસક મુહમ્મદ શાહની સેનાને હરાવ્યું.
- 1788 - વોરન હેસ્ટિંગ્સ પર ભારતમાં લોકોનું શોષણ અને દમન ગુજારવા બદલ ઇંગ્લેન્ડમાં કેસ ચલાવવામાં આવ્યો.
- 1820 - ફ્રેન્ચ રાજગાદીના દાવેદાર ડ્યુક બેરીની હત્યા કરવામાં આવી હતી.
- 1856 - લખનઉની સાથે અવધ પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો કબજો.
- 1861 - નેપલ્સના ફ્રેન્ચ દ્વતીય એ ગ્યૂસેપ ગેરીબાલ્ડીને શરણાગતિ આપી.
- 1880 - થોમસ એડિસને એડિસન અસરની પુષ્ટિ કરી.
- 1920 - અમેરિકામાં બેસબોલની નીગ્રો નેશનલ લીગની સ્થાપના કરવામાં આવી.
- 1931 - નવી દિલ્હીને ભારતની રાજધાની જાહેર કરવામાં આવી.
- 1941 - નાઝીઓએ જર્મનીમાં ડચ યહૂદી પરિષદ પર હુમલો કર્યો.
- 1945 - સોવિયત સંઘે જર્મની સાથે 49 દિવસના યુદ્ધ પછી હંગેરીની રાજધાની બુડાપેસ્ટ પર કબજો કર્યો, જેમાં એક લાખ 59 હજાર લોકો માર્યા ગયા.
- 1959 - બાળકીઓની મનપસંદ બાર્બી ડોલનું વેચાણ શરૂ થયું.
- 1961 - સુરક્ષા પરિષદે કોંગોમાં ગૃહ યુદ્ધને રોકવા માટે બળના ઉપયોગને મંજૂરી આપી.
- 1966 - સોવિયેત સંઘે પૂર્વ કઝાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1974 - અસંતુષ્ટ નોબેલ પારિતોષિક વિજેતા એલેક્ઝાન્ડર સોલઝેનિટસિનને સોવિયત સંઘમાંથી હાંકી કાઢવામાં આવ્યો.
- 1975 - તુર્કીએ સાયપ્રસના ઉત્તર ભાગમાં એક અલગ વહીવટની સ્થાપના કરી.
- 1984 - ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ નૌકાદળ માટે મુંબઈમાં મઝાગાંવ ડોકનું ઉદ્ઘાટન કર્યું.
- 1988 - બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ હુસૈન મુહમ્મદ ઇરશાદને હટાવવા માટે વિરોધ પ્રદર્શનકારીઓના અભિયાનમાં સેંકડો લોકો ઘાયલ થયા.
- 1989 - સોવિયેત સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરવાનું શરૂ કર્યું.
- 1990 - અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જર્મનીનું પુનઃ એકીકરણ કરવા સંમત થયા.
- 1991 - અમેરિકન લડાકુ વિમાનોએ બગદાદમાં ઘણા બંકરોને નષ્ટ કર્યા, જેમાં સેંકડો સૈનિકો માર્યા ગયા.
- 2000- પ્રખ્યાત પીનટ્સ કોમિક સ્ટ્રીપના સર્જક ચાર્લ્સ શુલ્ઝનું અવસાન થયું.
- 2001 - પ્રથમ માનવરહિત વાહન અવકાશમાં એસ્ટરોઇડ 'ઈરોસ' પર ઉતર્યું. મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં 6.6ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 400 લોકો માર્યા ગયા હતા.
- 2002- પર્લ અપહરણ કેસના મુખ્ય આરોપી ઉમર શેખની લાહોરમાં ધરપકડ, ઈરાનમાં વિમાન દુર્ઘટનામાં 117ના મોત.
- 2003 - યશ ચોપરાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો.
- 2004 - કુઆલાલંપુરમાં 10મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો.
- 2005 - ઈરાકમાં સદ્દામ હુસૈન પછી પ્રથમ ચૂંટણીમાં શિયા ઈસ્લામિક ફ્રન્ટનો વિજય.
- 2007 - ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ બંધ કરવા સંમત થયું.
- 2008 - પાકિસ્તાને ટૂંકા અંતરની ફાયરપાવર મિસાઈલ ગઝનવીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
- 2010 - મહારાષ્ટ્રના પુણેમાં યહૂદી ધર્મસ્થાન નજીક એક બેકરીમાં સાંજે બોમ્બ વિસ્ફોટમાં પાંચ મહિલાઓ અને એક વિદેશી નાગરિક સહિત નવ લોકો માર્યા ગયા અને 53 અન્ય ઘાયલ થયા.
- 2014 - ચીનના કાલી શહેરમાં ગેરકાયદેસર ચાલતા કેસિનોમાં થયેલા વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો | 12 ફેબ્રુઆરીનો ઇતિહાસ : રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ કેમ ઉજવાય છે, આર્ય સમાજના સ્થાપક કોણ હતા? જાણો ઇતિહાસ
13 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- વરુણ ભાટી (1995) - ભારતનો હાઈ જમ્પ ખેલાડી.
- સરોજિની નાયડુ (1879) (ભારતની કોકિલા) - ભારતના અગ્રણી મહિલા સ્વતંત્રતા સેનાની.
- ગોપાલ પ્રસાદ વ્યાસ (1915) - ભારતના પ્રખ્યાત કવિ અને લેખક.
- ફૈઝ અહેમદ ફૈઝ (1911) - પ્રખ્યાત કવિ, જેઓ તેમની ક્રાંતિકારી રચનાઓમાં રોમેન્ટિક લાગણીઓ (ક્રાંતિકારી અને રોમેન્ટિક)ના સંયોજન માટે જાણીતા છે.
- જગજીત સિંહ અરોરા (1916) - ભારતીય સેનાના કમાન્ડર
- ઓડુવિલ ઉન્નીક્રિષ્નન (1944) - ભારતીય અભિનેતા
- રશ્મિ પ્રભા (1958) - સમકાલીન કવયિત્રી
- કમલેશ ભટ્ટ કમલ (1959) - સમકાલીન કવિ
- વિનોદ મહેરા (1945) - ભારતીય સિનેમાના અભિનેતા.
આ પણ વાંચો | 11 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? દાણચોરી વિરોધી દિવસ કેમ ઉજવાય છે?
13 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ
- રાજેન્દ્ર કુમાર પચૌરી (2020) - આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પર્યાવરણવાદી હતા.
- ઓ.એન.વી. કુરુપ (2016) - પ્રખ્યાત મલયાલમ કવિ અને ગીતકાર હતા.
- ડૉ. તુલસીરામ (2015) - દલિત લેખક હતા જેમનું સાહિત્ય જગતમાં આગવું સ્થાન હતું.
- અખલાક મુહમ્મદ ખાન 'શહરયાર' (2012) - ઉર્દૂ ભાષાના પ્રખ્યાત કવિ હતા.
- રાજેન્દ્ર નાથ (2008) - હિન્દી સિનેમાના હાસ્ય કલાકાર હતા.
- ઉસ્તાદ અમીર ખાન (1974) - ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત ગાયક.
- આસિત કુમાર હાલ્દાર (1964) - એક કલ્પનાશીલ, લાગણીશીલ આધુનિક ચિત્રકાર હતા.
- સર સુંદર લાલ (1918) - પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને જાહેર કાર્યકર્તા હતા.
- બુધુ ભગત (1832) - પ્રખ્યાત ક્રાંતિકારી અને 'લારકા વિદ્રોહ'ના આરંભકર્તા હતા.
આ પણ વાંચો | 10 ફેબ્રુઆરીનો ઇતિહાસ : કાશી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? પાયલોટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us