આજનો ઇતિહાસ 14 ફેબ્રુઆરી : પુલવામા એટેકમાં કેટલા ભારતીય સૈનિકો શહીદ થયા હતા?

Today History 14 February : આજે 14 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પુલવામા એટેકની 5મી વર્ષગાંઠ છે. આજે વેલેન્ટાઇન ડે છે. ઉપરાંત ભાજપ નેતા સુષમા સ્વરાજ અને મધુબાલાનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today History 14 February : આજે 14 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પુલવામા એટેકની 5મી વર્ષગાંઠ છે. આજે વેલેન્ટાઇન ડે છે. ઉપરાંત ભાજપ નેતા સુષમા સ્વરાજ અને મધુબાલાનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
New Update
Pulwama Attack Anniversary | pulwama attack death | pulwama attack day | Indian Army | today history | 14 February | 14 February history

Pulwama Attack Anniversary : પુલવામા એટેક વર્ષ 2019માં થયો હતો. (Photo - Social media)

Today History 14 February : આજે તારીખ 14 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પુલવામાં એટેકની 5મી વર્ષગાંઠ છે. 'વેલેન્ટાઇન ડે' છે, જેને દુનિયાભરમાં પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને સંત વેલેન્ટાઇન્સ ડે પણ કહેવાય છે. આજના દિવસે જ પંજાબના ગુરદાસપુર જિલ્લાના કલાનૌરમાં અકબરની તાજપોશી કરવામાં આવી તો વર્ષ 1628માં શારજહાં આગ્રાની ગાદી પર બેઠા હતા. તો વર્ષ 1912માં ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત ડીઝલ એન્જિન સબમરીન રજૂ કરવામાં આવી હતી.

Advertisment

વર્ષ 2019માં આજની તારીખે જમ્મુ- કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય સૈનિકોના વાહન પર આત્મધામી હુમલો કરવામાં આવ્યો છે. આ આંતકી હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા. પ્રખ્યાત કે સેલિબ્રિટીની વાત કરીયે તો મુઘલ સમ્રાટ બાબર, ગુજરાતના 13માં મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખ, ભાજપના અગ્રણી મહિલા રાજકારણી સુષમા સ્વરાજ, હિંદી ફિલ્મો લોકપ્રિય અભિનેત્રી મધુબાલાનો આજે જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (14 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

14 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1537 - ગુજરાતના બહાદુર શાહને પોર્ટુગીઝોએ છલથી ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો અને તે બચવાનો પ્રયાસ કરતી વખતે ડૂબી ગયો.
  • 1556 - પંજાબના ગુરદાસપુર જિલ્લાના કલાનૌરમાં અકબરની તાજપોશી કરવામાં આવી.
  • 1628 - શારજહાં આગ્રાની ગાદી પર બેઠા.
  • 1658 - દિલ્હીની સત્તા કબજે કરવા માટે મુઘલ વંશના ગૃહયુદ્ધમાં વારાણસી નજીક બહાદુરપુરના યુદ્ધમાં દારાએ શુજાને હરાવ્યો.
  • 1663 - કેનેડા ફ્રાન્સનો પ્રાંત બન્યો.
  • 1670 - રોમન કેથોલિક સમ્રાટ લિયોપોલ્ડ પ્રથમે વિયેનામાંથી યહૂદીઓને હાંકી કાઢ્યા.
  • 1743 - હેનરી પેલહમ બ્રિટનના નાણા વિભાગના પ્રથમ વડા બન્યા.
  • 1846 - ક્રાકોવ પ્રજાસત્તાકનો બળવો પોલેન્ડમાં ફેલાયો.
  • 1899 - યુએસ કોંગ્રેસે ફેડરલ ચૂંટણીઓમાં વોટિંગ મશીનના ઉપયોગને મંજૂરી આપી.
  • 1893 - હવાઈ યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બન્યો.
  • 1912 - ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત ડીઝલ એન્જિન સબમરીન લોન્ચ કરવામાં આવી.
  • 1920 - શિકાગોમાં વિમેન્સ વોટર્સ લીગની સ્થાપના થઈ.
  • 1943 - સોવિયેત દળોએ જર્મન સેના પાસેથી રોસ્તોવને પુનઃ કબજે કર્યો.

આ પણ વાંચોઃ 13 ફેબ્રુઆરીનો ઇતિહાસ- ‘હિંદની બુલબુલ’ સરોજિની નાયડુની જન્મજયંતિ અને વિશ્વ રેડિયો દિવસ

Advertisment
  • 1945 - પેરુ, પેરાગ્વે, ચિલી અને એક્વાડોર સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બન્યા.
  • 1958 - શાહ ફૈઝલ ઈરાક અને જોર્ડન સાથે મળીને બનેલા ફેડરેશનના વડા બન્યા.
  • 1972 - અમેરિકાએ ચીન સાથેના વેપાર પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી.
  • 1978 - અમેરિકાએ ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને ઇઝરાયેલને અબજો ડોલરના શસ્ત્રો વેચવાની જાહેરાત કરી.
  • 1979 - મુસ્લિમ ઉગ્રવાદીઓ દ્વારા કાબુલમાં અમેરિકન રાજદૂત એડોલ્ફ ડક્સની હત્યા.
  • 1988 - પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સાયપ્રસમાં બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા.
  • 1989 - બેલ્જિયમના ભૂતપૂર્વ વડા પ્રધાન પાલ્ક વેડનને એક મહિના પછી ખંડણી ચૂકવ્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટના સંબંધિત અરજી પર સુનાવણી બંધ કરી દીધી છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પર આધારિત પ્રથમ ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીક અવકાશમાં મૂકવામાં આવ્યો હતો.
  • 1990 - બેંગ્લોરમાં એક વિમાન દુર્ઘટનામાં ઈન્ડિયન એરલાઈન્સ- 605માં સવાર 92 લોકો માર્યા ગયા.
  • 1992 - સોવિયેત યુનિયનથી અલગ થયેલા અડધાથી વધુ ગણરાજ્યોએ અલગ સૈન્ય બનાવવાની ઘોષણા કરી.
  • 1993 - કપિલ દેવે 400 વિકેટ અને 5000 રનનો રેકોર્ડ બનાવ્યો.

આ પણ વાંચોઃ 12 ફેબ્રુઆરીનો ઇતિહાસ – બારડોલી સત્યાગ્રહની શરૂઆત અને મહર્ષિ દાયનંદ સરસ્વતીની જન્મજયંતિ

  • 1999 - ઇમ્ફાલમાં પાંચમી નેશનલ ગેમ્સની શરૂઆત થઇ.
  • 2001 - અલ સાલ્વાડોરમાં ભૂકંપ, 225ના મોત.
  • 2005 - પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. વિદ્યાનિવાસ મિશ્રાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું. વિડિયો-શેરિંગ વેબસાઇટ યુટ્યુબની શરૂઆત થઇ.
  • 2007 - મધ્યપ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી બનેલા શ્યામચરણ શુક્લાનું અવસાન.
  • 2008- નૈયા મસૂદને તેમના વાર્તા સંગ્રહ તઉસ ચમન કી મૈના માટે વર્ષ 2007 માટે 'સરસ્વતી સન્માન' એનાયત કરવામાં આવ્યો હતો.
  • 2009 - સાનિયા મિર્ઝાએ પટાયા ઓપન ટેનિસની ફાઇનલમાં પ્રવેશ કર્યો.

આ પણ વાંચો | 13 ફેબ્રુઆરીનો ઇતિહાસ : આજે વિશ્વ રેડિયો દિવસ છે, હિંદની બુલબુલ કોને કહેવામાં આવે છે?

14 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • બાબર (1483) - મુઘલ સમ્રાટ હતા
  • સૈયદ ઝફરુલ હસન (1885) - અગ્રણી મુસ્લિમ ફિલસૂફ (ભારતીય/પાકિસ્તાની)
  • કે.કે. હનુમંતૈયા (1908) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • દામોદરમ સંજીવૈયા (1921) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, જેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
  • મોહન ધારિયા (1925) - ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સામાજિક કાર્યકર.
  • શિવ ચરણ માથુર (1927) - રાજસ્થાનના દસમા મુખ્યમંત્રી હતા.
  • મધુબાલા (1933) - ભારતીય ફિલ્મ અભિનેત્રી.
  • દિલીપભાઈ રમણભાઈ પરીખ (1937) - એક ભારતીય રાજકારણી હતા, જેઓ ગુજરાતના ભૂતપૂર્વ 13મા મુખ્યમંત્રી હતા.
  • કમલા પ્રસાદ (1938) - હિન્દીના પ્રખ્યાત વિવેચક
  • સુષ્મા સ્વરાજ (1952) - ભારતીય જનતા પાર્ટીની અગ્રણી મહિલા રાજકારણી.
  • સકીના જાફરી (1962) - ભારતીય અભિનેત્રી

આ પણ વાંચો | 12 ફેબ્રુઆરીનો ઇતિહાસ : રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ કેમ ઉજવાય છે, આર્ય સમાજના સ્થાપક કોણ હતા? જાણો ઇતિહાસ

14 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • શ્યામા ચરણ શુક્લા (2007) - મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હતા.
  • વિદ્યાનિવાસ મિશ્રા (2005) - પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર, સફળ સંપાદક, સંસ્કૃતના મહાન વિદ્વાન અને જાણીતા ભાષાશાસ્ત્રી.
  • વી.ટી. કૃષ્ણમાચારી (1964) - એક ભારતીય નાગરિક સેવક અને વહીવટકર્તા હતા.
  • સર જોન શોર (1834) - વર્ષ 1793 થી 1798 સુધી ભારતના ગવર્નર-જનરલ હતા.

આ પણ વાંચો | 11 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? દાણચોરી વિરોધી દિવસ કેમ ઉજવાય છે?

વેલેન્ટાઇન ડે Indian army આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ કરિયર