આજનો ઇતિહાસ 21 એપ્રિલ : ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડેની ઉજવણી

Today history 21 April : આજે 21 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today history 21 April : આજે 21 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
National Civil Services Day

ભારતના નેશનલ સિવિલ સર્વિસ ડે

Today history 21 April : આજે 21 એપ્રિલ 2023 (21 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડે છે, જેનો ઉદ્દેશ્ય જાહેર વહીવટી સેવાના અધિકારીઓને તેમની ઉત્તમ કામગીરી બદલ સમ્માનિત કરવાનો અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે પ્રેરિત કરવાનો છે. આજે ભારનતા મહાન મહિલા ગણિતશાસ્ત્રી શકુંતલા દેવીનું અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (21 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

21 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1977 - મેજર જનરલ ઝિયાઉર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ નિયુક્ત.
  • 2001- ભારતે બાંગ્લાદેશમાં ભારતીય સૈનિકોની ક્રૂર હત્યા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો.
  • 2002 - અમેરિકા LTTE પરનો પ્રતિબંધ ન ઉઠાવવાનો નિર્ણય લીધો.
  • 2003 - ભારતમાં અમેરિકન રાજદૂત રોબર્ટ બ્લેકવિલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
  • 2004 - બસરામાં મિસાઈલ હુમલામાં 68 લોકોના મોત.
  • 2006- નેપાળના રાજાએ ચૂંટાયેલી સરકારને સત્તા સોંપવાની જાહેરાત કરી.
  • 2007 - બ્રાયન લારાએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
  • 2008 - હીરો હોન્ડા ગ્રુપે કોમર્શિયલ વાહનોના ઉત્પાદન માટે ડેમલર એજી સાથે સંયુક્ત સાહસની રચના કરી હતી. ભારત અને બ્રિટનની નૌકાદળ વચ્ચે ત્રીજી સંયુક્ત કવાયત ગોવા નજીક કોંકણમાં શરૂ થઈ. ભારત અને ચીને પરસ્પર સહયોગ વધારવા માટે ચાર કરારો પર હસ્તાક્ષર કરવા સંમતિ દર્શાવી હતી.

નેશનલ સિવિલ સર્વિસ ડે

ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડે 21 એપ્રિલના રોજ ઉજવાય છે. તે ભારતીય વહીવટી સેવા, રાજ્ય વહીવટી સેવા સહિત તમામ નાગરિક સેવાઓમાં શ્રેષ્ઠત્તમની માટે ઉજવાય છે. ભારત સરકાર દર વર્ષે 21મી એપ્રિલને જાહેર સેવા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે અખિલ ભારતીય સેવાના અધિકારીઓને નાગરિકોને ઉત્તમ સેવાઓ આપવા બદલ આપવામાં આવે છે. આનાથી અધિકારીઓને માત્ર વધુ સારી કામગીરીની અનુભૂતિ જ નથી થતી, પરંતુ બદલાતા સમય અને નવા પડકારોને પહોંચી વળવા માટે તેમની નીતિઓ પર વિચાર કરવાની તક પણ મળે છે.

આ દિવસના મૂળિયા વર્ષ 1947 સાથે જોડાયેલા છે જ્યારે 21મી એપ્રિલે સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મેટકાફ હાઉસ, દિલ્હી ખાતે અખિલ ભારતીય વહીવટી સેવા તાલીમ શાળામાં પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કર્યા હતા. તેમણે દમદાર ભાષણ આપ્યું અને સનદી અધિકારીઓને ભૂતકાળના અનુભવને છોડીને રાષ્ટ્રીય સેવાની સાચી ભૂમિકા અપનાવવાની શક્તિ આપી. તેમના ભાષણમાં તેમણે સનદી અધિકારીઓનો ઉલ્લેખ 'ભારતની સ્ટીલ ફ્રેમ' તરીકે કર્યો હતો. 21 એપ્રિલ 2006ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. અને ત્યારથી 21 એપ્રિલને રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Advertisment

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

જેમ્સ બ્રેડી ટેલર (1891) - ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ડેપ્યુટી ગવર્નર અને ઓસ્બોર્ન સ્મિથ પછી બીજા હતા.
એન. ગોપાલસ્વામી (1944) - ભારતના 15મા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
કરણી સિંહ (1924) - ભારતના પ્રથમ નિશાનેબાજ હતા, જેમને 1961માં 'અર્જુન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાણી એલિઝાબેથ દ્વિતીય (1926) - યુનાઇટેડ કિંગડમ અને અન્ય કોમનવેલ્થ ક્ષેત્રોની રાણી 6 ફેબ્રુઆરી 1952 થી 2022 માં તેમના મૃત્યુ સુધી.
સદાશિવ ત્રિપાઠી (1910) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ઓડિશાના 5મા મુખ્યમંત્રી હતા.
ગબર સિંહ નેગી (1895) - તે એક ભારતીય સૈનિક હતા જેમણે પ્રથમ વિશ્વ યુદ્ધમાં મરણોત્તર 'વિક્ટોરિયા ક્રોસ' મેળવ્યો હતો.
મેક્સ વેબર (1864) - પ્રખ્યાત જર્મન ફિલસૂફ અને ઇતિહાસકાર.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મોહમ્મદ ઇકબાલ (1938) - પ્રખ્યાત કવિ અને શાયર.
  • શકુંતલા દેવી (2013) - માનસિક કેલ્ક્યુલેટર (ગણિતશાસ્ત્રી)
  • જાનકી વલ્લભ પટનાયક (2015) - એક ભારતીય રાજકારણી અને રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.
  • શંખ ઘોષ (2021) - એક પ્રખ્યાત બંગાળી કવિ, વિવેચક અને શિક્ષણશાસ્ત્રી હતા.
  • મૌલાના વહીદુદ્દીન ખાન (2021) - પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાન અને શાંતિ કાર્યકર્તા હતા.
આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge