/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/RBI-Governor-Shaktikanta-Das-2023-11-02T225556.201.jpg)
સોમનાથ શર્મા - પરમવીર ચક્રથી સમ્માનિત પ્રથમ ભારતીય સૈનિક છે. (Photo : nationalherosofindia.blogspot.com)
Today History 3 Navember : આજે 3 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ગૃહિણી દિવસ છે. ઘર અને પરિવાર માટે દિવસ-રાત મહેનત કરતી ગૃહિણીઓને સમ્માનિત કરવાનો દિવસ છે. આજે નેશનલ સેન્ડવિચ દિવસ છે. આજે ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ એચ. જે. કણિયાનો જન્મદિન અને પ્રથમ પરમવીર ચક્ર મેળવનાર ભારતના બહાદુર સૈનિક સોમનાથ શર્માનો શહીદ દિન છે. વર્ષ 1948માં ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. વર્ષ 1958માં તત્કાલીન સોવિયત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
3 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1394 - ફ્રેન્ચ સમ્રાટ ચાર્લ્સ છઠ્ઠા એ યહૂદીઓને ફ્રાન્સમાંથી હાંકી કાઢ્યા.
- 1493 - ક્રિસ્ટોફર કોલંબસે ડોમિનિકા ટાપુની શોધ કરી.
- 1655 - ઈંગ્લેન્ડ અને ફ્રાન્સે લશ્કરી અને આર્થિક કરારો પર હસ્તાક્ષર કર્યા.
- 1762 - બ્રિટન અને સ્પેન વચ્ચે પેરિસ સંધિ પર હસ્તાક્ષર થયા.
- 1796 - જોન એડમ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1857 - મથુરામાં નાનારાવની મિલકત તોડી પાડવાનો આદેશ.
- 1869 - કેનેડામાં હેમિલ્ટન ફૂટબોલ ક્લબ અસ્તિત્વમાં આવી.
- 1903 - પનામાએ કોલંબિયાથી સ્વતંત્રતા મેળવી.
- 1938 - 'આસામ હિન્દી પ્રચાર સમિતિ' નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
- 1948 - ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું.
- 1958 - તત્કાલીન સોવિયત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1962 - ચીનના હુમલાને ધ્યાનમાં રાખીને ભારતમાં ગોલ્ડ બોન્ડ યોજનાની જાહેરાત કરવામાં આવી.
- 1984 - ભારતમાં શીખ વિરોધી રમખાણોમાં ત્રણ હજારથી વધુ લોકો માર્યા ગયા.
- 1988 - ભારતીય સશસ્ત્ર દળોએ માલદીવમાં થયેલા લશ્કરી બળવાને દબાવવામાં ત્યાંની સરકારને મદદ કરવા માટે એક ઓપરેશન શરૂ કર્યું.
- 1997 - જી-15 જૂથની સાતમી સમિટ કુઆલાલંપુરમાં શરૂ થઈ.
- 2000 - ભારત સરકાર દ્વારા બધા માટે ડાયરેક્ટ ટુ હોમ બ્રોડકાસ્ટિંગ સેવા શરૂ કરવામાં આવી.
- 2001 - અમેરિકાએ લશ્કર અને જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ મૂક્યો.
- 2003 - બેઇજિંગમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે આઠ કરાર થયા.
- 2006 - ભારતે બેલ્જિયમ સાથે સામાજિક સુરક્ષા ગેરંટી પર કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 2007 - પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બેનઝીર ભુટ્ટોને નજરકેદ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં, પરવેઝ મુશર્રફે બંધારણને રદ કરીને અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને હટાવીને કટોકટી જાહેર કરી.
- 2011 - ફ્રાન્સના કેન્સમાં જી-20 શિખર સંમેલન શરૂ થયુ, જેમાં યુરોઝોન દેવાની કટોકટીની ચર્ચા કરવામાં આવી.
- 2014 - અમેરિકામાં આતંકવાદી હુમલામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ધ્વસ્ત કર્યાના 13 વર્ષ બાદ તે જ જગ્યાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખોલવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | 2 નવેમ્બરનો ઇતિહાસ : રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે? બોલીવુડના કિંગ ખાનની ઉંમર કેટલી છે?
રાષ્ટ્રીય ગૃહિણી દિવસ (National Housewife Day)
રાષ્ટ્રીય ગૃહિણી દિવસ (National Housewife Day) દર વર્ષે 3 નવેમ્બરના રોજ ઉજવાય છે. આ એક વિશેષ દિન છે જે ઘર અને પરિવારોમાં ગૃહિણીઓની ભૂમિકા અને કામગીરીને સમ્માનિત કરવા માટે ઉજવાય છે. દરેક ઘર અને પરિવારમાં ગૃહિણીનું વિશેષ મહત્વ હોય છે. તે સખત મહેનત, સમર્પણ અને પ્રેમની કદર કરવાનો દિવસ છે જે ગૃહિણીઓ તેમના ઘરોમાં તેમના યોગદાનને માન- સમ્માન આપે છે.
આ પણ વાંચો | 1 નવેમ્બર : આજે વર્લ્ડ વીગન ડે છે અને વીગેનિઝમનું મહત્વ શું છે? મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સ્થાપના દિવસ
3 નવેમ્બરની જન્મજયંતિ
- માનવજીત સિંહ સંધુ (1976) - ભારતીય શૂટર, જે મુખ્યત્વે ટ્રેપ શૂટિંગ માટે જાણીતા છે.
- સ્વામી ચિન્ના જિયર (1956) - એક આધ્યાત્મિક વ્યક્તિત્વ છે જેમણે ભારત અને વિદેશમાં આધ્યાત્મિકતા અને સમાજ સેવાના ક્ષેત્રમાં કામ કર્યું છે.
- અમર્ત્ય સેન (1933) - અર્થશાસ્ત્રી
- લક્ષ્મીકાંત (1937) - હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર.
- પૃથ્વીરાજ કપૂર (1906) - હિન્દી ફિલ્મ અને થિયેટર અભિનયના ઇતિહાસના એક અગ્રણી કલાકાત, જેમણે મુંબઈમાં 'પૃથ્વી થિયેટર'ની સ્થાપના કરી.
- એચ.જે. કણિયા (1890) - સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનો જન્મ ગુજરાતના નવસારી જિલ્લામાં થયો હતો.
- સવાઈ જય સિંહ (1688) - જયપુરના આમેરના રાજા હતા.
3 નવેમ્બરની પૃણ્યતિથિ
- રેશ્મા (2013) - પ્રખ્યાત લોક ગાયિકા.
- લલિત મોહન શર્મા (2008) - ભારતના ભૂતપૂર્વ 24મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- ભગવંતરાવ મંડલોઈ (1977) - મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
- સોમનાથ શર્મા (1947) - 'પરમવીર ચક્ર' મેળવનાર પ્રથમ ભારતીય શહીદ.
- દિવાન સિંહ દાનુ (1947) - 'મહાવીર ચક્ર'થી સમ્માનિત ભારતીય સૈનિક હતા.
- ચિદમ્બરમ પિલ્લઈ (1936) - તમિલ ભાષાના વિદ્વાન અને પ્રખ્યાત સમાજ સુધારક.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us