Today History 8 Navember : આજે 8 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નોટબંધીની 7મી વર્ષગાંઠ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ 500 અને 1000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટની માન્યતા રદ કરી અને નોટબંધીની ઘોષણા કરી હતી. નોટબંધીથી દેશભરમાં હડકંપ મચી ગયો હતો. બેંકોની બહાર 500 – 1000 રૂપિયાની નોટ બદલાવવા લોકોની લાંબી લાઇનો લાગી હતી. આજે વિશ્વ શહેરીકરણ દિવસ છે. વર્ષ 2008માં ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન ચંદ્રયાન-1 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
8 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1945 – હોંગકોંગમાં નૌકા દુર્ઘટનામાં 1550 લોકો મૃત્યુ પામ્યા.
- 1956 – સંયુક્ત રાષ્ટ્રસંઘે તત્કાલિન સોવિયત સંઘને યુરોપીય દેશ હંગેરીમાંથી ખસી જવાની અપીલ કરી.
- 1957 – બ્રિટને ક્રિસમસ ટાપુઓ નજીક પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1967 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1988 – ચીનમાં વિનાશક ભૂકંપમાં 900 લોકો માર્યા ગયા.
- 1992 – જર્મનીની રાજધાની બર્લિનમાં જાતિવાદ વિરુદ્ધ પ્રદર્શનમાં ત્રણ લાખ લોકોએ ભાગ લીધો.
- 1998 – બાંગ્લાદેશમાં દેશના પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાનની હત્યા બદલ 15 લોકોને મૃત્યુદંડ.
- 1999 – રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે વન-ડે ક્રિકેટ મેચમાં 331 રનની ભાગીદારી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- 2000 – બિલ ક્લિન્ટનની પત્ની હિલેરી ક્લિન્ટને ન્યૂયોર્ક સીટ જીતીને ઈતિહાસ રચ્યો.
- 2001 – અફઘાનિસ્તાન પર ફરીથી ભયંકર બોમ્બ ધડાકા.
- 2002 – મનીલામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બે દિવસીય બેઠક શરૂ થઈ.
- 2004 – હેગમાં સામાજિક ભાગીદારી વધારવા પર ભારત અને યુરોપિયન સંઘ સહમત થયા.
- 2005 – ભારતે પેલેસ્ટિનિયન સંગઠનોની આતંકવાદી કાર્યવાહી અને ઈઝરાયેલના દમનની ટીકા કરી.
- 2008- ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન ચંદ્રયાન-1 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
- 2013 – ફિલિપાઈન્સના હૈનાન પ્રાંતમાં વિનાશકારી ચક્રવાતને કારણે છ હજાર લોકોના મોત થયા.
- 2016- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરી, 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોની માન્યતા રદ કરી પાછી ખેંચવામાં આવી. સોમાલિયાના મોગાદિશુમાં કાર બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે.
8 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ
- અવની લખેરા (2001) – ભારતીય પેરા શૂટર.
- અરવિંદ ત્રિવેદી (1938) – ભારતીય સિનેમાના નાના પડદાના પ્રખ્યાત કલાકાર હતા.
- ભૂપેન્દ્ર નાથ ક્રિપાલ (1937) – ભારતના 31મા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા.
- લાલ કૃષ્ણ અડવાણી (1929) – ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન
- સિતારા દેવી (1920) – ભારતની પ્રખ્યાત કથક નૃત્યાંગના.
- પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે (1919) – મરાઠી લેખક, નાટ્યકાર, હાસ્ય કલાકાર, અભિનેતા, વાર્તાકાર અને પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક, સંગીતકાર અને ગાયક હતા.
- કમલ રણદિવે (1917) – ભારતીય મહિલા ડૉક્ટર હતા.
આ પણ વાંચો | 6 નવેમ્બરનો ઇતિહાસ: યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
8 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન
- સંચમન લિમ્બુ (2020) – સિક્કિમના ચોથા મુખ્યમંત્રી હતા.
- જૌન એલિયા (2002) – ભારતીય ઉર્દૂ કવિ હતા.
- બોમીરેડ્ડી નરસિમ્હા રેડ્ડી (1977) – દક્ષિણ ભારતીય ફિલ્મના નિર્દેશક
- લોચન પ્રસાદ પાંડે (1959) – પ્રખ્યાત સાહિત્યકાર, જેમણે હિન્દી અને ઉડિયા બંને ભાષાઓમાં કવિતાઓ પણ રચી છે.
- જહાંગીર (1627) – ભારતના મુઘલ શાસક.
આ પણ વાંચો | 5 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ સુનામી જાગૃતિ દિવસ, ભારતમાં ક્યારે સુનામી આવી હતી?





