Abu Dhabi Temple Inauguration Highlights : અબુધાબી મંદિર ઉદ્ઘાટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારને 14 ફેબ્રુઆરીએ અબુ ધાબી બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી સાથે મહંત સ્વામી મહારાજ અને સંતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવીય ઈતિહાસનો એક નવો સોનેરી અધ્યાય લખ્યો છે. આજે અબુધાબીમાં અને દિવ્ય મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ક્ષણ પાછળ વર્ષોની મહેનત લાગી છે. આમાં વર્ષો જૂનું સ્વપ્ન સામેલ છે. આમાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ જોડાયેલા છે. આજે, પ્રમુખ સ્વામીજી જે દિવ્ય લોકમાં હશે, તેમનો આત્મા જ્યાં હશે ત્યાં પ્રશન્નતાનો અનુભવ કરી રહ
BAPS સ્વામિનારાયણ મંદિર એ UAE માં પ્રથમ હિન્દુ મંદિર છે. આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં 7 ગોપુરમ અને અનેક શિલ્પો કલાત્મકતાથી કોતરેલા છે. તે માત્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતાને જ પ્રતિબિંબિત કરતું નથી પરંતુ ભારત અને UAE વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આશરે 2000-5000 ભક્તો આ મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ- BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?
આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.
પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે આ મંદિર પણ માનવતા માટે સારા ભવિષ્યની વસંતનું સ્વાગત કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.