Jupiter In Rohini Nakshatra: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે રાશિઓ સાથે નક્ષત્રો બદલે છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગુરુ ગ્રહ હાલમાં રોહિણી નક્ષત્રમાં સંક્રમણ કરી રહ્યો છે. સાથે જ ગુરુ ગ્રહ 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેનો સ્વામી શુક્ર છે. સાથે જ રોહિણી નક્ષત્રનો સ્વામી પણ શુક્ર છે.
આવી સ્થિતિમાં શુક્ર નક્ષત્રમાં ગુરુના પ્રવેશની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિ એવી છે જેમનું નસીબ આ સમયે બદલાઈ શકે છે. ઉપરાંત આ રાશિના જાતકોને તમામ ભૌતિક સુખ-સુવિધાઓ, વાહનો અને સંપત્તિ મળી શકે છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ …
વૃષ રાશિ
રોહિણી નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિમાં જ સંક્રમણ કરી રહ્યા છે. માટે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. ઉપરાંત તમારી કાર્ય કરવાની શૈલીમાં સુધારો થશે. જો તમે કોઈ પ્રોપર્ટી કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય આ કામ માટે ઘણો સારો છે. તમને સરસ વળતર મળશે. તેમજ આ સમયે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે. તો બીજી તરફ પરણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે.
આ પણ વાંચો – શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? ચોક્કસ તારીખ, ધાર્મિક મહત્વ, મંત્ર અને શિવ આરતી જાણો
સિંહ રાશિ
રોહિણી નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહો તમારી રાશિથી કર્મ ભાવ પર સંક્રમણ કરી રહ્યા છે. તેથી આ સમયે તમને કાર્ય-વ્યવસાયમાં મોટી સફળતા મળશે. સાથે જ કરિયરમાં અણધાર્યા લાભ થવાની શક્યતા છે. તમને આ દરમિયાન નોકરીમાં પ્રમોશન મળવાની તક છે અને તમારા પૈસામાં પણ નોંધપાત્ર વધારો થશે. વળી જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી પણ મળી શકે છે, જ્યારે આ સમયે બિઝનેસમેનને સારો નફો મળી શકે છે. સાથે જ નવું કામ શરૂ કરવા માટે પણ સમય અનુકૂળ છે.
ધનુ રાશિ
રોહિણી નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી ગોચર કુંડળીના છઠ્ઠા ભાવ પર ભ્રમણ કરી રહ્યો છે. સાથે તે તમારી રાશિનો સ્વામી છે. માટે આ સમયે કોર્ટ કેસોમાં સારી સફળતા મળી શકે છે. જો તમે કોઈ પ્રોપર્ટી કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય આ કામ માટે ઘણો સારો છે. સાથે જ આ સમયે તમારી ઈચ્છાઓ પણ પૂરી થશે. સાથે જ નોકરીયાત લોકોને પ્રમોશન પણ મળી શકે છે.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





