આ દિશામાં અખંડ જ્યોત પ્રગટાવો, ઘરમાં સુખ અને સંપત્તિ આવશે, અકાળ મૃત્યુનો ભય થશે દૂર

Best Direction Of Akhand Jyot Rules: દેવી ભાગવત પુરાણ અનુસાર ઘરમાં સાચી દિશામાં અખંડ દીવો પ્રગટાવવો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, નહીં તો તેનું ઊલટું પરિણામ આવે છે. ચાલો જાણીએ કે અખંડ જ્યોત કઈ દિશામાં પ્રગટાવવી શુભ હોય છે.

Best Direction Of Akhand Jyot Rules: દેવી ભાગવત પુરાણ અનુસાર ઘરમાં સાચી દિશામાં અખંડ દીવો પ્રગટાવવો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, નહીં તો તેનું ઊલટું પરિણામ આવે છે. ચાલો જાણીએ કે અખંડ જ્યોત કઈ દિશામાં પ્રગટાવવી શુભ હોય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
akhand jyot tips | best akhand jyoti direction | akhand Jyoti rules | akhand Jyoti benefits

અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘણા ફાયદા થાય છે. (Photo - Freepik)

Best Direction Of Akhand Jyot Rules: હિંદુ ધર્મમાં અખંડ જ્યોતિ એટલે કે અખંડ દીપકનું વિશેષ મહત્વ છે. કોઈ પણ શુભ કે શુભ કાર્યમાં દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. બે પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે. કર્મનો દીવો, જે માત્ર પૂજાના સમયમાં જ પ્રગટાવવામાં આવે છે. આ સાથે જ બીજો અખંડ દીવો તહેવાર કે પૂજા પૂરી ન થાય ત્યાં સુધી તેને પ્રજ્વલીત રાખવામાં આવે છે. જેમ કે નવરાત્રિ, ગણેશ ચતુર્થી, સત્ય નારાયણ ની કથા વગેરે ધાર્મિક પ્રસંગો પર અખંડ જ્યોત પ્રગટાવવાનો નિયમ છે.

Advertisment

આ ઉપરાંત દેવી-દેવતાઓના અનેક મંદિરોમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવી સૌથી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે અને દરેક કાર્ય સિદ્ધ થાય છે. આ સાથે જ વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. દેવી ભાગવત પુરાણમાં આ અંગે વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. આવો જાણીએ કે અખંડ દીપકની જ્યોત કઈ દિશામાં રાખવી શુભ હોય છે અને કઈ દિશામાં રાખવાથી તમારા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

અખંડ જ્યોતની વાટ કઈ દિશામાં પ્રગટાવવી જોઈએ?

અખંડ જ્યોતની વાટ દક્ષિણ દિશા તરફ ન રાખવી

દેવી ભાગવત પુરાણ મુજબ જ્યારે પણ ઘરમાં અખંડ દીવો પ્રગટાવો તો ધ્યાન રાખો કે તેની જ્યોત એટલે કે વાટ દક્ષિણ દિશા તરફ ન હોય. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તે ઘરમાં એક વર્ષની અંદર કોઇ ઘાત કે કોઇની મૃત્યુ જરૂર થાય છે. તેથી, ક્યારેય દીવાના વાટ દક્ષિણ દિશા તરફ ન રાખવી.

અખંડ જ્યોતની વાટ પશ્ચિમ દિશા તરફ રાખવી

દેવી ભાગવત પુરાણ અનુસાર પશ્ચિમ દિશા તરફ અખંડ જ્યોતનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં દીવાની વાટ રાખવાથી વ્યક્નેતિ ધન - સપંત્તિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ દરેક દુઃખમાંથી મુક્તિ મેળવે છે.

Advertisment

પૂર્વ દિશા તરફ અખંડ જ્યોતની વાટ રાખો

દેવી ભાગવત પુરાણ અનુસાર જો તમારા અખંડ જ્યોતની વાટ પૂર્વ દિશા તરફ હોય તો તેને એકદમ શુભ માનવામાં આવે છે. તેનાથી અન્ય દેવી-દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય છે. આ સાથે જ ઘરમાં સમૃદ્ધિમાં વધારો થાય છે. દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધનમાં પણ વૃદ્ધિ થાય છે.

ઉત્તર દિશા તરફ અખંડ જ્યોતની વાટ

ઉત્તર દિશા તરફ અખંડ જ્યોતની વાટ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો કોઈ ઘરમાં આ દિશામાં વાટ રાખીને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે તો ઉંમર વધે છે. આ સાથે જ અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે.

આ પણ વાંચો | શનિ દેવ : આગામી 10 વર્ષ સુધી 7 રાશિ પર રહેશે સાડા સાતી અને ઢૈયાની અશુભ અસર, ધનહાનિ અને બીમારીનું જોખમ

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી રજૂ કરવાનો છે, તે સાચી કે વાસ્તવિક સાહિત કરવાનો નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

astrology ધર્મ ભક્તિ