મકરસંક્રાંતિ પર આ 3 દેવતાઓને ખીચડીનો ભોગ લગાવો, તમારું નસીબ ચમકી જશે

Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ખીચડી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેને દેવી-દેવતાઓને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આ પરંપરાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ તે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે

Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ખીચડી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેને દેવી-દેવતાઓને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આ પરંપરાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ તે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે

author-image
Ashish Goyal
New Update
makar sankranti 2026 khichdi bhog

Makar Sankranti 2026: મકરસંક્રાંતિ પર આ 3 દેવતાઓને ખીચડીનો ભોગ લગાવો

Makar Sankranti 2026: દેશમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ધુમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી બહાર આવીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. હિંદુ પંચાંગ મુજબ આ વખતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ છે. 

Advertisment

આ ઉપરાંત મકર સંક્રાંતિ પર ખીચડી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેને દેવી-દેવતાઓને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આ પરંપરાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ તે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. આવી સ્થિતિમાં જાણીએ મકરસંક્રાંતિ પર કયા દેવી-દેવતાઓને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ.

શનિદેવને ખીચડીનો ભોગ

શનિદેવને ન્યાય અને કર્મના દેવતા કહેવામાં આવે છે. તેઓ મનુષ્યના સારા અને ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે. માન્યતા છે કે મકર સંક્રાતિના દિવસે શનિદેવને ખીચડીનો ભોગ ચડાવવવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આ સાથે આર્થિક પરેશાનીઓ ઓછી થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે.

સૂર્યદેવને ખીચડીનો ભોગ

હિંદુ ધર્મમાં સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. તે સૌરમંડળના સ્વામી છે અને તેમની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવને ખીચડીનો ભોગ ચડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને પરેશાનીઓ દૂર થાય છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય તો આ ઉપાય તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Advertisment

આ પણ વાંચો - મકરસંક્રાંતિ પર દાન કરો આ 5 વસ્તુઓ, ગરીબી થઇ શકે છે દૂર અને ભાગ્ય ચમકશે

ભગવાન વિષ્ણુને ખીચડીનો ભોગ

ખીચડી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિ પર તેમને ખીચડી ચઢાવવાથી તેમના આશીર્વાદ મળે છે અને જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને ખીચડીનો ભોગ ચઢાવવાથી ગુરૂદોષનો પ્રભાવ ઓછો થાય છે, સાથે જ પરિવારમાં સુખ-શાંતિ પણ રહે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ધર્મ ભક્તિ ઉત્તરાયણ મકર સંક્રાંતિ