સ્નાન કરવાના પાણીમાં ભેળવી દો આ ખાસ વસ્તુ, રાતોરાત ચમકી શકે છે તમારું નસીબ

Astro Tips: આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ ગ્રહોની અસરો સાથે સંબંધિત હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા ગ્રહ દોષોથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલુ અને સરળ ઉપાય આપવામાં આવ્યા છે

Astro Tips: આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ ગ્રહોની અસરો સાથે સંબંધિત હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા ગ્રહ દોષોથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલુ અને સરળ ઉપાય આપવામાં આવ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
bathing astrology, bathing

પાણીમાં હળદર નાખી સ્નાન કરવાથી ઘણા ફાયદા થાય છે (તસવીર - ફ્રીપિક)

Astro Tips: આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ ગ્રહોની અસરો સાથે સંબંધિત હોય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો તેને માનસિક તણાવ, આર્થિક પરેશાનીઓ, સંબંધોમાં તિરાડો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા ગ્રહ દોષોથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલુ અને સરળ ઉપાય આપવામાં આવ્યા છે. આ ઉપાયોમાંથી એક ઉપાય એ છે કે સ્નાનના પાણીમાં હળદર મિક્સ કરીને સ્નાન કરવું. તો આવી સ્થિતિમાં આવો જાણીએ પાણીમાં હળદર નાખી સ્નાન કરવાથી શું થાય છે.

Advertisment

હળદર અને બૃહસ્પતિ ગ્રહનો ઊંડો સંબંધ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. ગુરુને બુદ્ધિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને અધ્યાત્મનું પ્રતિક માનવામાં આવે છે. જો ગુરુ વ્યક્તિની કુંડળીમાં નબળી સ્થિતિમાં હોય તો તેને જીવનમાં અસ્થિરતા, આર્થિક તંગી, વૈવાહિક સમસ્યાઓ અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

નકારાત્મક ઊર્જામાંથી મુક્તિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્નાનના પાણીમાં ચપટી હળદર ઉમેરીને સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે ખરાબ નજર, નકારાત્મક વિચારો અને નકારાત્મક વાતાવરણ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. હળદરમાં રહેલા શુદ્ધ ગુણ મન અને શરીર બંનેને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. કહેવાય છે કે આ ઉપાય નિયમિત કરવાથી વિશેષ લાભ મળે છે.

આર્થિક સ્થિતિમાં સુધારો

હળદરને ધન અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. હળદરયુક્ત પાણીથી સ્નાન કરતી વખતે ગુરુ ગ્રહની શુભ ઉર્જા સક્રિય થાય છે, જેનાથી ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ જળવાઈ રહે છે. જો કોઈ વ્યક્તિ નોકરી કે ધંધામાં વારંવાર નિષ્ફળ થઈ રહ્યો છે, તો આ ઉપાયથી તેની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળી શકે છે.

Advertisment

આ પણ વાંચો - આ 3 રાશિઓને મળી શકે છે અચાનક પૈસા, પદોન્નતિ સાથે પગાર વધારાના યોગ

માનસિક શાંતિ અને એકાગ્રતા

ગુરુ માત્ર સંપત્તિ અને ભાગ્યનું જ નહીં, પરંતુ માનસિક શક્તિ અને સમજણનું પણ પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ગુરુ નબળો હોય છે ત્યારે વ્યક્તિ મૂંઝવણમાં, તણાવગ્રસ્ત અને નિર્ણય લેવામાં અસમર્થ બની જાય છે. હળદરવાળા પાણીથી સ્નાન કરવાથી મન શાંત થાય છે, એકાગ્રતા વધે છે અને આત્મવિશ્વાસ વધે છે. આ ઉપાય વિદ્યાર્થીઓ અને માનસિક તાણથી પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યો છે.

પ્રેમ અને લગ્ન જીવનમાં સુધાર

જ્યોતિષમાં હળદરનો સંબંધ લગ્ન સાથે પણ જોડવામાં આવ્યો છે. લગ્નમાં વિલંબ થાય કે સંબંધોમાં તણાવ રહે તો હળદર સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. આ ઉપાય વિવાહના યોગને મજબૂત બનાવે છે અને સારા જીવનસાથીની પ્રાપ્તિમાં મદદ કરે છે. સાથે જ વિવાહિત જીવનમાં પરસ્પર સમજણ અને પ્રેમને પણ વધારે છે.

હળદરથી સ્નાન કરવાથી સ્વાસ્થ્યને લાભ પણ થાય છે

હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચા સંબંધી સમસ્યાઓ જેવી કે ફોલ્લીઓ, ખંજવાળ, એલર્જીને ઓછી કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને ચંદ્ર ગ્રહોના દોષ સાથે ત્વચાના રોગો જોડાયેલા છે. હળદર આ ગ્રહોની આડઅસરોને શાંત કરીને સ્વાસ્થ્ય લાભ આપવામાં મદદ કરે છે. તે ગુરુ દોષ અને મંગલ દોષના શમનમાં પણ ઉપયોગી માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

astrology ધર્મ ભક્તિ