/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ayodhya-ram-lalla-jewellery-and-clothes-.jpg)
આ ખાસ ક્ષણની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર લોકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે
Ayodhya Ram Lalla Jewellery And Clothes Significance: અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર દેશ રામમય થઇ ગયો છે. દેશના ખૂણે ખૂણે જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે. લોકો પોતાની આગવી શૈલીમાં તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આખરે 500 વર્ષના લાંબા ઇંતેજાર બાદ રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની તસ્વીર સામે આવતા ભક્તો ગદગદ થઇ ગયા છે. લોકોની આંખમાં ખુશીના આસું વહેવા લાગ્યા હતા. પ્રભુ શ્રી રામ લલ્લાની 51 ઇંચની મૂર્તિ કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
ભગવાન રામ લલા તેમના ભવ્ય સ્વરૂપમાં છે. રામ લલ્લાની મૂર્તિન દિવ્ય આભૂષણોથી શણગારવામાં આવી છે. તેમનાં વસ્ત્રો મનમોહક છે. તેમની આ તસવીર આધ્યાત્મિકતા અને પરંપરા બંનેની ઝલક આપે છે. તેમનું મુગટ સૂર્ય સમાન પ્રકાશિત દેખાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/pm-modi-title-of-rajarshi.jpg)
રામ લલ્લાના વસ્ત્રોની ખાસિયતો
હકીકતમાં, અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાના વસ્ત્રો અને અલંકારો ઘણા સંશંધોન બાદ બહુજ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. આ દિવ્ય આભૂષણોનું નિર્માણ અધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને આલવંદર સ્તોત્ર જેવા ગ્રંથોમાં વર્ણવેલ શ્રી રામના શાસ્ત્રોક્ત મહિમાના આધારે બનાવવામાં આવ્યા છે. સંશોધન ઉપરાંત શ્રી યતીન્દ્ર મિશ્રાની વિભાવના અને નિર્દેશન મુજબ આ આભૂષણોનું નિર્માણ હરસહાયમલ શ્યામલાલ જ્વેલર્સ લખનઉ દ્વારા કરવામાં આવ્યું છે. આ બ્રાન્ડ 100 વર્ષથી વધુ જૂની છે. તેને HSJ ગ્રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
जो आनंद सिंधु सुखरासी।
सीकर तें त्रैलोक सुपासी॥ pic.twitter.com/m48Pe2vUQ3— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 22, 2024
મ લલ્લાના આભૂષણોમાં સોનું, હીરા, મોતી, પન્ના, માણેક અને મોતીના રત્નોનો સમાવેશ થાય છે. તો શ્રી રામ લાલા બિરાજમાનના વસ્ત્રો બનારસી કાપડમાંથી બનાવવામાં આવ્યા છે. રામ લલ્લાએ પીળું પીતામ્બર અને લાલ રંગનું ઉપવસ્ત્ર ધારણ કર્યું છે. આ ઉપવસ્ત્ર શુદ્ધ સોનાની ઝરી અને દોરાથી બનાવવામાં આવે છે. શુભ વૈષ્ણવ પ્રતીકો - શંખ, કમળ, ચક્ર અને મોર - આ વસ્ત્રો પર બનાવવામાં આવ્યા છે. આ વસ્ત્રનું નિર્માણ દિલ્હીના ટેક્સટાઇલ ડિઝાઇનર મનીષ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ અયોધ્યા ધામમાં કામ કરતા હતા. ખાસ વાત એ છે કે આ આભૂષણો અને વસ્ત્રો શ્રી રામના બાળ સ્વરૂપને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
अपने महा प्रासाद में भगवान श्री रामलला जी दिव्य आभूषणों और वस्त्रों से सज्ज होकर विराजमान हैं।
इन दिव्य आभूषणों का निर्माण अध्यात्म रामायण, श्रीमद्वाल्मीकि रामायण, श्रीरामचरिमानस तथा आलवन्दार स्तोत्र के अध्ययन और उनमें वर्णित श्रीराम की शास्त्रसम्मत शोभा के अनुरूप शोध और अध्ययन… pic.twitter.com/mIhJuk2XNp— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 22, 2024
પ્રભુ શ્રી રામ લાલાએ શું પહેર્યું છે?
શ્રી રામ રામ લાલાએ પીળા સોનાનો મુગટ પહેર્યો છે. તેમાં હીરા, પન્ના અને રૂબી જડેલા છે. બધા હીરા કુદરતી છે, જે એક અબજ વર્ષ જૂના છે.
શ્રી રામ રામ લલ્લાના કપાસમાં સોનાનું મંગળ તિલક છે.
શ્રી રામ રામ લલ્લાના હાથમાંપન્નાની વીંટી છે. જેમાં હીરા અને પન્ના જડેલા છે.
તેમના ડાબા હાથમાં રૂબીની વીંટી છે. તેનું વજન 26 કિલો છે.
પાંચ શેર વાળા હારનું વજન 660 ગ્રામ છે. તેમાં હીરા, પોલ્કી અને પન્ના જડેલા છે.
વિજય માલા સોનાની બનેલી છે. તેનું વજન લગભગ બે કિલોગ્રામ છે.
શ્રી રામ લલ્લાનો કમરબંધ સોનાથી બનેલો છે. તેનું વજન 750 કિલો છે.
બાજુ બંધ 22 કેરેટ સોનામાંથી બનાવવામાં આવે છે. તેનું વજન 400 ગ્રામ છે.
શ્રી રામ લલ્લાના કંગનનું વજન 850 ગ્રામ છે.
પગ ખગડુઆનું વજન 400 ગ્રામ છે.
શ્રી રામ લલ્લાએ સોનાની પાયલ ધારણ કરી છે.
ચાંદી-સોનાની વસ્તુઓ અને ધનુષ-તીર.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us