/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Bhang-rules-in-holi.jpg)
ભાંગ કેમ પીવાય છે, શું છે કાયદો જોઈએ તમામ માહિતી (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)
Bhang Drink on Holi 2024 : મહાશિવરાત્રી પસાર થઈ ગઈ છે અને હોળીનો તહેવાર નજીકમાં છે. આ બંને તહેવારોમાં એક વસ્તુ સામાન્ય છે, તે છે ભાંગનુ સેવન. સામાન્ય રીતે હોળીના અવસર પર ઘણા લોકો ભાંગનું સેવન કરે છે. આપણા દેશમાં કેટલાક પ્રદેશમાં લાંબા સમયથી ચાલતી આ પરંપરા છે. કેટલાક લોકોને ભાંગની મસ્તી પસંદ છે. જો કે, ક્યારેક આ મજા ભારે પડી શકે છે. આખરે, હોળી પર શા માટે ભાંગ સેવન કરવામાં આવે છે, તેની પાછળની માન્યતા શું છે, ભાંગ શું છે અને તેના શું ગેરફાયદા છે. જો તેનાથી નશો થાય છે તો, ભારતમાં તેને લગતો કાયદો શું છે? તમામ માહિતી અહીં આપવામાં આવી છે.
ભાંગ શું હોય છે?
અંગ્રેજીમાં ભાંગના છોડને કેનાબીસ (કેનાબીસ ઇન્ડિકા) કહે છે. ભાંગના પાન અને બીજને પીસીને ભાંગ બનાવવામાં આવે છે. તે સરકારી ભાંગની દુકાનો પર ઉપલબ્ધ છે. આ દુકાનોને ભાંગ વેચવાનું લાયસન્સ મળે છે. યુપી સહિત ઘણા રાજ્યોમાં લાઇસન્સવાળી ભાંગની દુકાનો છે. જો કે, કેટલાક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ પણ છે. આના કોન્ટ્રાક્ટ મળે છે, ટેન્ડરથી, આનું કન્ફર્મ લાઇસન્સ છે. ગાંજા અને ભાંગ વચ્ચેનો તફાવત એ છે કે, ગાંજો ગાંજાના ફૂલોમાંથી બનાવવામાં આવે છે.
ભાંગ કેવી રીતે બનાવવામાં આવે છે? (ભાંગ રેસીપી)
હોળી દરમિયાન ભાંગના પાનને પીસીને પેસ્ટ બનાવવામાં આવે છે. ભાંગ માટે પીણું તૈયાર કરવા માટે આ પેસ્ટમાં બદામ, પિસ્તા, ખાંડ, દૂધ અને કેટલાક મસાલા અને જડીબુટ્ટીઓ મિક્સ કરવામાં આવે છે. આ પછી, તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ પીણું 'ભાંગ કી થંડાઈ' અથવા 'ભાંગ કી લસ્સી' તરીકે ઓળખાય છે. હાલમાં, ખાસ કરીને શિવરાત્રી અને હોળી જેવા ધાર્મિક તહેવારો પર ભાંગ મોટા પાયે વપરાય છે. એવું માનવામાં આવે છે કે, ભાંગમાં ઘણા ઔષધીય ગુણો હોય છે. તે મન અને શરીરને શાંત રાખવાનું કામ કરે છે. કેટલાક લોકો તેને પાચન માટે પણ સારું માને છે.
હોળી પર ભાંગ પાછળની પરંપરા
ભાંગને ભગવાન શિવનું પ્રિય પીણું માનવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન શિવને ભાંગ ખૂબ જ પસંદ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, ભાંગ ભગવાન ભોલેનાથ અને ભગવાન વિષ્ણુ વચ્ચેની મિત્રતાનું પ્રતીક પણ છે. એવું માનવામાં આવે છે કે, હિરણ્યકશ્યપને માર્યા પછી ભગવાન વિષ્ણુનો ક્રોધ શાંત થયો ન હતો. તેમને શાંત કરવા માટે, ભગવાન શિવે શરભનો અવતાર લીધો. આ પછી ભગવાન વિષ્ણુએ પોતાની છાલ ભગવાન શિવને અર્પણ કરી. આ ખુશીને ઉજવવા માટે શિવગણોએ એક ઉત્સવ ઉજવ્યો જેમાં ભાંગ સામેલ હતી. આ જ કારણ છે કે, હોળી પર ભાંગનું સેવન કરવામાં આવે છે.
ભારતમાં ભાંગ અંગે શું કાયદો છે
ભારતે 1985 માં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ લાગુ કર્યો, જેમાં ભાંગના ફળ અને ફૂલોના ઉપયોગ પર અસરકારક રીતે પ્રતિબંધ મૂક્યો, પરંતુ તેના પત્તા સિવાય. આ કુદરતી રીતે ઉગતો છોડ છે અને ભારતમાં ભાંગનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં થાય છે, તેથી ભારત સરકારે તેના પાંદડાને કાયદાની બહાર રાખ્યા હતા. પરંતુ સમાન ભાંગના પ્લાન્ટના અન્ય ભાગોનું સેવન કરવાથી દંડ અને જેલ થઈ શકે છે. આ કાયદાને કારણે ગાંજા અને ચરસને હાર્ડ ડ્રગ્સ માનવામાં આવે છે.
આ પણ વાંચો - Holi 2024: હોળી દહનની રાતે કરો આ સિદ્ધ ઉપાય પલટાઈ શકે છે કિસ્મત, નોકરી, ચમકશે ધંધો, થશે ધન વર્ષા!!
ભાંગથી શું નુકસાન થઈ શકે છે?
ભાંગ પીવાથી મગજની સાચુ કે ખોટુ વિચારવાની ક્ષમતા અમુક સમય માટે ઘટી જાય છે અને તે મગજને અમુક સમય માટે નિષ્ક્રિય પણ બનાવી શકે છે. તે સુસ્તી અને ઊંઘનું કારણ બને છે અને વધુ પડતા સેવનથી ડિપ્રેશન પણ થઈ શકે છે. ભૂખ અને બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે. હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. ભાંગના સેવન પછી માથાનો દુખાવો, ગભરાટ, ઉબકા અને ઉલટી પણ સામાન્ય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us