5 દિવસ પછી બનવા જઇ રહ્યો છે બુધાદિત્ય અને લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓને મળશે અપાર ધન અને પ્રતિષ્ઠા

Astrology : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો નિશ્ચિત અંતરાલમાં પરિવહન કરે છે અને શુભ યોગ અને રાજયોગ રચે છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે

Astrology : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો નિશ્ચિત અંતરાલમાં પરિવહન કરે છે અને શુભ યોગ અને રાજયોગ રચે છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
budhaditya rajyog, akshay tritiya 2024

અખાત્રીજ પર આ બંને યોગોની રચનાને કારણે કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે

Budhaditya Rajyog And Laxmi Narayan Rajyog : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો નિશ્ચિત અંતરાલમાં પરિવહન કરે છે અને શુભ યોગ અને રાજયોગ રચે છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે બુધ ગ્રહ 10 મેના રોજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ અહીં પહેલેથી જ સંક્રમણ કરી રહેલા સૂર્ય સાથે સંયોજિત થશે. જેના દ્વારા બુધાદિત્ય રાજયોગ બનશે. સાથે જ આ દિવસે લક્ષ્મી નારાયણ રાજ યોગની પણ રચના થશે. આવી સ્થિતિમાં અખાત્રીજ પર આ બંને યોગોની રચનાને કારણે કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે. વળી કેટલાક લોકોની સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

Advertisment

મેષ રાશિ

બુધાદિત્ય અને લક્ષ્મી નારાયણ રાજયો યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને સમયે સમયે અચાનક ધનલાભ થઈ શકે છે. વળી આ સમયે તમારા કેરિયરમાં કોઈ મોટો માઈલસ્ટોન આવી શકે છે. તમને અન્ય કંપનીઓ તરફથી સારી નોકરીની ઓફર મળી શકે છે. સાથે જ વેપારીઓને અટકેલા પૈસા પણ મળશે. આ સાથે જ ઉધાર પૈસા મળશે. સાથે જ આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સુધરશે. તો બીજી તરફ જે લોકોના કામ અને બિઝનેસનો સંબંધ વાણી સાથે છે, જેમ કે માર્કેટિંગ, મીડિયા, બેન્કિંગ અને એજ્યુકેશન લાઇન તેમને આ વખતે ફાયદો થશે.

આ પણ વાંચો - શનિ જયંતિ ક્યારે છે 7 કે 8 મે? જાણો શુભ મુહૂર્તિ, પૂજા વિધિ, મંત્ર અને મહત્વ

મિથુન રાશિ

બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાથી મિથુન રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે. તેમજ નોકરીમાં પ્રમોશન અને અન્ય લાભ મળવાના યોગ છે. આનાથી તમારી ખુશીમાં વધારો થશે અને તમારી કારકિર્દીમાં મોટી વૃદ્ધિ થશે. સાથે જ નોકરીયાત લોકોને જૂનિયર અને સીનિયર્સનો સહયોગ મળશે. વળી જે લોકો બિઝનેસમેન છે તેમને આ સમયે સારા પૈસા મળી શકે છે. વળી બિઝનેસનો વિસ્તાર પણ થઈ શકે છે. સાથે જ તમારા પિતા સાથે સંબંધ મજબૂત બનશે. તેમજ આ સમયગાળા દરમિયાન તમે પૈસાની બચત પણ કરી શકશો.

Advertisment

સિંહ રાશિ

બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી રાજ યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે આવનારા સમયમાં તમારા માટે નવી તકો આવશે. તમારા વ્યવસાયમાં નાણાંનો પ્રવાહ વધશે અને એકથી વધુ સ્રોતથી આવક થશે. સાથે જ તમે અનેક સોર્સથી પૈસા કમાઈ શકશો. તેમજ સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે જ શેર બજાર, સટ્ટાબાજી અને લોટરીથી તમને સારો લાભ મળી શકે છે. સાથે જ તમે કોઇ પણ પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો.

રાશિ પરિવર્તન astrology રાશિફળ ધર્મ ભક્તિ