Chaitra Navratri 2024 : ચૈત્રી નવરાત્રીમાં શું છે લીમડાના તોરણનું મહત્વ? આ તોરણ હોય છે ખુબ જ શુભ, બનાવવાની રીત?

Chaitra Navratri 2024, Neem Archway : ચૈત્ર મહિનામાં લીમડાના ઝાડનું આગવું મહત્વ છે. સ્વાસ્થ્ય માટે તો લીમડો ખૂબ જ ઉપયોગ છે સાથે સાથે ચૈત્રી નવરાત્રીમાં પણ લીમડાના તોરણનું આગવું મહત્વ છે.

Written by Ankit Patel
April 11, 2024 12:10 IST
Chaitra Navratri 2024 : ચૈત્રી નવરાત્રીમાં શું છે લીમડાના તોરણનું મહત્વ? આ તોરણ હોય છે ખુબ જ શુભ, બનાવવાની રીત?
ચૈત્રી નવરાત્રીમાં લીમાડના તોરણનું મહત્વ - photo - freepik

Chaitra Navratri 2024, Neem Archway : 9 એપ્રિલ 2024થી દેશભરમાં ચૈત્ર નવરાત્રી શરૂઆત થઈ છે. આ ચૈત્ર નવરાત્રી નવ દિવસ ચાલશે જેમાં ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે. આ નવરાત્રીમાં માતાજીની ભક્તિમાં ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે તેમજ માતાજીના મઢ અને મંદિરોએ દર્શન કરવા જતા હોય છે. ચૈત્ર નવરાત્રીનો હિન્દુ ધર્મમાં અનોખો મહિમા છે. ત્યારે ભક્તો ઘરના મુખ્ય દ્વાર પર લીમડાનું તોરણ બાંધીને માતાજીની પૂજા કરતા હોય છે.

ચૈત્રી નવરાત્રી અને લીમડાનું મહત્વ

એવું માનવામાં આવે છે કે આ નવ દિવસોમાં મા દુર્ગા લીમડાના વૃક્ષ પર બિરાજે છે. ચૈત્ર નવરાત્રીના આ નવ દિવસોમાં લીમડાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આમ લીમડાના પાનમાંથી બનાવેલ તોરણ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

લીમડાનું તોરણ અને તેના પર બિરાજમાન હનુમાનજી

ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી ઘરના મુખ્ય દરવાજા પર લીમડાના પાનથી બનેલા તોરણ બાંધવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે તોરણમાં હનુમાનજી સ્વયં બિરાજમાન હોય છે, તેથી પૂજા પહેલા તોરણને બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધવાથી માતાજીની પૂજામાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકે છે. હનુમાનજી ઘરની રક્ષા કરે છે, જે ઘરમાં સૌભાગ્ય લાવે છે. પરિવારનો કોઈ સભ્ય કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાતો અટકે છે.

આ પણ વાંચોઃ- Ambaji One day Trip | ચૈત્રી નવરાત્રી : અંબાજી દર્શન, વને ડે ટ્રીપ આસ્થા સાથે એડવેન્ચર

લીમડાના પાનમાંથી તોરણ કેવી રીતે બનાવશો?

લીમડાના પાનને ડાળીઓ સાથે તોડીને ડાળીઓ અથવા પાંદડાને એક સાથે બાંધી લો. લીમડાના 5, 7, 9 અથવા 11 પાનનો ગુચ્છો બનાવીને રાખો. ત્યારપછી ઘરના મુખ્ય પ્રવેશદ્વારના નામ પ્રમાણે 4-5 ઈંચના અંતરે તમામ ગુચ્છોને એક દોરામાં બાંધી દો. પછી તેને બાંધ્યા પછી તેને સ્વચ્છ વાસણમાં રાખો અને તેની પૂજા કરો. પૂજા કરતી વખતે હનુમાનજીની પ્રાર્થના કરો. પૂજા કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધી દો.

આ પણ વાંચોઃ- Happy Navratri 2024 Wishes, Images, Messages | ચૈત્રી નવરાત્રી શુભેચ્છા સંદેશ : પાવન અવરસ પર સંબંધીઓને મોકલો ભક્તિમય શુભેચ્છાઓ

ચૈત્ર નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીની પૂજા કરવામાં આવશે. દેશભરમાં માતાજીના મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવશે. તેમજ ભક્તો દ્વારા માતાજીને નૈવેધ ચઢાવવામાં આવે છે. દેશભરમાં 9 એપ્રિલ 2024થી શરૂ થયેલી ચૈત્ર નવરાત્રીની 17 એપ્રિલ 2024 સુધી ચાલશે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ