ચૈત્ર નવરાત્રીમાં કળશ સ્થાપના સાથે આ દિશા તરફ અખંડ જ્યોત પ્રગટાવો, માતા દુર્ગા પ્રશન્ન થશે

Chaitra Navratri 2025 : જો તમે આ વર્ષે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાનું વિચારી રહ્યા છો, તો આ નિયમોનું પાલન કરો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ચાલો જાણીએ કે અખંડ જ્યોત કઈ દિશામાં પ્રગટાવવામાં આવે છે અને કયા ફળ પ્રાપ્ત થાય છે

Written by Ashish Goyal
March 29, 2025 17:40 IST
ચૈત્ર નવરાત્રીમાં કળશ સ્થાપના સાથે આ દિશા તરફ અખંડ જ્યોત પ્રગટાવો, માતા દુર્ગા પ્રશન્ન થશે
જો તમે આ વર્ષે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાનું વિચારી રહ્યા છો, તો આ નિયમોનું પાલન કરો (Photo - Freepik)

Chaitra Navratri 2025 Akhand Jyoti Niyam: હિન્દુ પંચાંગ અનુસાર નવરાત્રીની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે અને નવમી તિથિ પર સમાપ્ત થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 નહીં પરંતુ 8 દિવસ ઉજવવામાં આવશે. આ મામલે 30 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલે પૂરી થશે. આ સમય દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની સાથે કળશની સ્થાપના કરવાનું વિધાન છે.

ઘણા લોકો આખા નવ દિવસ સુધી ઉપવાસ કરે છે, તેઓ કળશની સ્થાપના સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. તે ખૂબ જ પવિત્ર જ્યોત છે, જે આખી નવરાત્રીમાં પ્રજ્વલિત રહે છે. જો તમે આ વર્ષે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાનું વિચારી રહ્યા છો, તો આ નિયમોનું પાલન કરો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને અકાળે મૃત્યુથી રક્ષણ પણ મળે છે. ચાલો જાણીએ કે અખંડ જ્યોત કઈ દિશામાં પ્રગટાવવામાં આવે છે અને કયા ફળ પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રો અનુસાર સામાન્ય રીતે પૂજા દરમિયાન બે પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે, એક છે કર્મદીપ જે માત્ર પૂજાના સમયે જ પ્રગટાવવામાં આવે છે અને બીજો છે અખંડ દીવો, જેને અખંડ જ્યોત પણ કહેવામાં આવે છે. આ દીવો ઉપવાસ, તહેવારો અને શુભ કાર્યની શરૂઆત સાથે પ્રગટાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવો છો તો તેને નવરાત્રી પારણા પછી જ બંધ કરવો જોઈએ.

પૂર્વ તરફ અખંડ જ્યોત પ્રગટાવવાનું ફળ

જો તમે પૂર્વ દિશા તરફ અખંડ જ્યોત પ્રગટાવો છો, તો મા દુર્ગાની સાથે અન્ય દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. આ દિશામાં પ્રકાશ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

પશ્ચિમ તરફ અખંડ જ્યોત પ્રગટાવવાનું ફળ

અખંડ જ્યોતને પશ્ચિમ દિશા તરફ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં તમને સુખ, સમૃદ્ધિ, સંપન્નતા મળે છે.

દક્ષિણ દિશા તરફ અખંડ જ્યોત પ્રગટાવવાનું ફળ

દેવી ભગવતી પુરાણ અનુસાર ક્યારેય અખંડ જ્યોતને દક્ષિણ દિશા તરફ પ્રજ્વલિત ન રાખવી જોઈએ, કારણ કે આ દિશા યમરાજની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિશામાં અખંડ જ્યોત સળગાવવાથી ધનહાનિ થવાની સાથે બીમારી અને મૃત્યુની શક્યતાઓ પેદા થાય છે.

આ પણ વાંચો – વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઇ અને કોણે કરી હતી? જાણો તેનો અર્થ પૌરાણિક કથા

ઉત્તર તરફ અખંડ જ્યોત પ્રજ્વલિત કરવી

ઉત્તર દિશાને પણ ખૂબ શુભ દિશા માનવામાં આવે છે. ભગવાન કુબેર આ દિશામાં નિવાસ કરે છે. આવી સ્થિતિમાં આ દિશામાં અખંડ જ્યોત પ્રગટાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.

દક્ષિણ-પૂર્વ દિશા તરફ અખંડ જ્યોત પ્રજ્વલિત કરવી

દેવી ભગવતી પુરાણ અનુસાર દક્ષિણ-પૂર્વ તરફ અખંડ જ્યોત પ્રગટાવવી સૌથી શુભ માનવામાં આવે છે. આ બાજુ અખંડ જ્યોત પ્રગટાવવાથી સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.

ચૈત્ર નવરાત્રી પર અખંડ જ્યોત પ્રગટાવતી વખતે આ મંત્રોનો જાપ કરો

ॐ જયંતિ મંગલા કાલી ભદ્રકાળી કૃપાલિની

દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે.

દીપજ્યોતિ : પરબ્રહ્મ : દીપજ્યોતિ જનાર્દન :

દીપોહરતિમે પાપં સંધ્યાદીપં નમોસ્તુતે.

શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા.

શત્રુબુદ્ધિવિનાશાય દીપકાય નમોસ્તુતે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ