Chaitra Navratri 2025 : ચૈત્ર નવરાત્રી ક્યારથી શરુ થઇ રહી છે, જાણો તારીખ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રીનો તહેવાર હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે હિન્દુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંથી એક માનવામાં આવે છે. આ સમય દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે અને ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રીનો તહેવાર હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે હિન્દુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંથી એક માનવામાં આવે છે. આ સમય દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે અને ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Chaitra Navratri 2025, Chaitra Navratri

ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરુ થશે

Chaitra Navratri 2025, ચૈત્ર નવરાત્રી 2025: ચૈત્ર નવરાત્રીનો તહેવાર હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે હિન્દુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંથી એક માનવામાં આવે છે. આ સમય દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે અને ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના (કળશ સ્થાપના) કરવામાં આવે છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે અને રામ નવમીના દિવસે પૂર્ણ થાય છે.

Advertisment

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન સાચી ભાવનાથી અને વિધિ વિધાનથી મા દુર્ગાની પૂજા કરવાથી માતા રાણીના આશીર્વાદ મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થઈ રહી છે, કળશ સ્થાપનનું મુહૂર્ત શું છે તેમજ નવરાત્રીનું સંપૂર્ણ કેલેન્ડર જાણો.

ચૈત્ર નવરાત્રી 2025 તારીખ

પંચાગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 29 માર્ચ 2025 ના રોજ સાંજે 04:27 વાગ્યે શરૂ થશે અને 30 માર્ચ 2025 ના રોજ બપોરે 12:49 વાગ્યે સમાપ્ત થશે. જેથી આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025ને રવિવારથી શરૂ થશે અને 7 એપ્રિલે પૂરી થશે.

ચૈત્ર નવરાત્રી 2025 કળશ સ્થાપના શુભ મુહૂર્ત

નવરાત્રીના પ્રથમ દિવસે શુભ સમયમાં કળશની સ્થાપના કરવી જરૂરી છે. આ વર્ષે ઘટ સ્થાપન માટેનો શુભ સમય 30 માર્ચ 2025 ના રોજ સવારે 06:13 થી 10:22 વાગ્યા સુધીનો છે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:01થી 12:50 વાગ્યા સુધી રહેશે.

Advertisment

આ પણ વાંચો - ક્યારેય પણ કોઈની પાસેથી મફતમાં ન લો આ 3 વસ્તુઓ, નહીં તો ખરાબ નસીબ પીછો છોડશે નહીં

ચૈત્ર નવરાત્રીનું મહત્વ

ચૈત્ર નવરાત્રી આત્મશુદ્ધિ અને ભક્તિનો પર્વ છે. આ સમય દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય ઘટ સ્થાપના યોગ્ય મુહૂર્તમાં કરવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ સમય દરમિયાન ભક્તો તમામ નિયમોનું પાલન કરીને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવી શકે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

તહેવાર navratri ધર્મ ભક્તિ