ચંદ્રગ્રહણ 2023 : ચંદ્રગ્રહણ પર આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું, મુશ્કેલીઓનો કરવો પડશે સામનો

chandra Grahan 2023 : આજે ચંદ્ર ગ્રહણ 2023 (Lunar Eclipse 2023) કેટલીક રાશિ માટે ખુશી તો કેટલીક રાશિ માટે મુશ્કેલી લઈને આવી શકે છે. મિથુન (Gemini), કર્ક (Cancer zodiac), તુલા (Libra) અને મકર રાશિ (Capricorn) ના જાતકોએ સાવધાની રાખવી.

Written by Kiran Mehta
Updated : May 05, 2023 18:31 IST
ચંદ્રગ્રહણ 2023 : ચંદ્રગ્રહણ પર આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું, મુશ્કેલીઓનો કરવો પડશે સામનો
ચંદ્ર ગ્રહણ 2023

Chandra Grahan 2023 : વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે થવા જઈ રહ્યું છે. આજે રાત્રે 8.44 થી સવારે 1.01 સુધી ચંદ્રગ્રહણ ચાલશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન ચંદ્ર તુલા રાશિમાં બિરાજમાન રહશે. આ રાશિમાં ગોચર કરવાથી ઘણી રાશિઓને ફાયદો થઈ શકે છે. તો, કેટલીક રાશિના લોકોના જીવનમાં નકારાત્મક અસર થઈ શકે છે. જાણો કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે, વર્ષનું પ્રથમ ગ્રહણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે. આ સ્થિતિમાં, ચંદ્ર ધૂળની આંધી જેવો દેખાશે. પંડિત જગન્નાથ ગુરુજી જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાય છે.

મિથુન રાશિ

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ મિથુન રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. આ રાશિના લોકોને પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે લવ લાઈફ અને વિવાહિત જીવનમાં પણ કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આ સાથે જ બાળકો સાથે જોડાયેલી કોઈ બાબત પણ પરેશાની પેદા કરી શકે છે.

કર્ક રાશિ

આ રાશિના લોકો માટે પણ આ ચંદ્રગ્રહણ શુભ સાબિત નહીં થાય. આ રાશિના જાતકોને બિઝનેસમાં થોડું નુકસાન થઈ શકે છે. આ સાથે નોકરી વ્યવસાયમાં લોકોએ થોડી સાવધાની રાખવી જોઈએ. આ સાથે, કોઈ કારણસર નોકરી બદલવાની તક પણ આવી શકે છે. આ સાથે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. કોઈ જૂનો રોગ ફરી ઉથલો મારી શકે છે.

તુલા રાશિ

આ રાશિના જાતકોએ ચંદ્રગ્રહણના કારણે ખાસ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે તેમને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે. નાના કામ માટે વધુ મહેનત કરવી પડી શકે છે. પરિવાર સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે.

આ પણ વાંચોચંદ્ર ગ્રહણ 2023 : 9 કલાક પહેલા શરૂ થશે સુતકનો સમય, જાણો શું કરવું અને શું ના કરવું, સમય અને નિયમો

મકર રાશિ

આ રાશિના લોકોએ પોતાના કરિયરને લઈને થોડા ગંભીર બનવાની જરૂર છે, કારણ કે તેમાં આવતા સતત ઉતાર-ચઢાવ આવનારા સમયમાં મુશ્કેલીઓ વધારી શકે છે. આ સાથે, તમારા ગુસ્સા પર પણ કાબુ રાખવાની જરૂર છે, કારણ કે તે તમારા બનાવેલા સંબંધોને બગાડી શકે છે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ