Dev Uthani Ekadashi 2023: દેવ પ્રબોધિની એકાદશી ક્યારે છે? દેવ ઉઠી અગિયારસ પર ધન-સંપત્તિમાં વૃદ્ધિ માટે શું કરવું અને શું ન કરવું, જાણો

Dev Uthani Ekadashi 2023 Date Shubh Muhurat Puja Vidhi: હિંદું વૈદિક કેલેન્ડર અનુસાર દેવઉઠી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે. આ સાથે દેવ પ્રબોધિની એકાદશીથી ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તુલસી વિવાહની ઉજવણીથી લગ્ન પ્રંસગ જેવા માંગલિક કાર્યોની શરૂઆત થાય છે

Dev Uthani Ekadashi 2023 Date Shubh Muhurat Puja Vidhi: હિંદું વૈદિક કેલેન્ડર અનુસાર દેવઉઠી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે. આ સાથે દેવ પ્રબોધિની એકાદશીથી ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તુલસી વિવાહની ઉજવણીથી લગ્ન પ્રંસગ જેવા માંગલિક કાર્યોની શરૂઆત થાય છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
dev uthani ekadashi | dev uthani ekadashi 2023 date | dev prabodhini ekadashi | Tulsi vivas | dev prabodhini ekadashi upvas tips | lord vishnu tulshi puja

દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગે છે, તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. (Photo - ieGujarati)

Dev Uthani Ekadashi 2023 : શાસ્ત્રોમાં દેવ પ્રોબિધની એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે. તેમજ લગ્ન જેવા શુભ માંગલિક પ્રસંગો આ દિવસથી શરૂ થાય છે. દેવ પ્રબોધિની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. દેવ પ્રબોધિની એકાદશી કારતક સુદ અગિયારસ તિથિના રોજ ઉજવાય છે. આ દિવસને તુલસી વિવાદના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ તે દિવસે ભગવાન કૃષ્ણના તુલસી સાથે વિવાહ કરાવવાની પરંપરા છે.

Advertisment

દેવ પ્રબોધિની એકાદશીથી ચાતુર્માસ સમાપ્ત (Dev Prabodhini Ekadashi 2023)

દેવ પ્રબોધિની એકાદશીથી હિંદુ ચાતુર્માસ પણ સમાપ્ત થાય છે અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. હરિ પ્રબોધિની એકાદશી અને દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. તેમજ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ શાસ્ત્રોમાં આ દિવસને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો તે નિયમોનું પાલન કરવામાં આવે તો તમારી ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ…

dev uthani ekadashi | dev uthani ekadashi 2023 date | dev prabodhini ekadashi | Tulsi vivas |  dev prabodhini ekadashi upvas tips | lord vishnu tulshi puja<br />
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગે છે, તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. (Photo - ieGujarati)

દેવ ઉઠી એકાદશી તારીખ 2023 (Tulsi Vivah On Dev Prabodhini Ekadashi 2023)

Advertisment

જ્યોતિષીય કેલેન્ડર મુજબ, કારતક સુદ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે, જે આ વર્ષે 22 નવેમ્બર, 2023 રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 23 નવેમ્બર,2023 રાત્રે 11:03 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયતિથિના આધારે, દેવઉઠી એકાદશી 23 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

દેવ પ્રબોધિની એકાદશી પર શું કરવું (Dev Prabodhini Ekadashi Rules)

દેવઉઠી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો. સ્વચ્છ કપડાં પણ પહેરો. આ ગંગા જળ હાથમાં લઈને ઉપવાસનો સંકલ્પ કરવો.

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેમને શેરડી અને સિંગોડાો ભોગ લગાવો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે.

દેવુથની એકાદશી પર ભગવાન વિષ્ણુનો દૂધ, દહીં અને અભિષેક કરો. તેમજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો.

દેવ પ્રબોધિની એકાદશીની તિથિએ નિર્જલ ઉપવાસ રાખો. ગરીબો અને જરૂરિયાતમંદોને પણ દાન કરો. આમ કરવાથી તમને શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ આવશે.

આ પણ વાંચો | શનિદેવ થશે મહેરબાન, જૂન 2024થી 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે; ધન લાભ અને નોકરી-ધંધામાં પ્રગતિ થશે

દેવ પ્રબોધિની એકાદશી પર શું ન કરવું

દેવઉઠી એકાદશી પર લસણ અને ડુંગળી જેવી તામસિક ચીજોનું સેવન કરવું નહીં. તેમજ આ દિવસે માંસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ.

દેવ પ્રબોધિની એકાદશી પર તુલસી વિવાહ કરવામાં આવે છે, તેથી આ દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ.

આ દિવસે ચોખા અને ભાતનું સેવન ટાળવું જોઈએ. આવું કરવાથી જીવનમાં દરિદ્રતા આવી શકે છે. તેમજ કોબીજ, પાલક વગેરે જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

દેવઉઠી એકાદશીના દિવસે વાળ કે નખ કાપવા જોઇએ નહીં. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ શકે છે.

તહેવાર diwali ધર્મ ભક્તિ